Skip to main content

સરકાર પેટ્રોલના ભાવ ને આ રીતે હેન્ડલ કરે તો ભાવ આવી શકે છે રૂપિયા ૪૫ ની પણ નીચે..

સરકારનો એક નિર્ણય પેટ્રોલને 25 રૂપિયા સુધી સસ્તુ કરી શકે છે. ફરીએકવાર પેટ્રોલ-ડીઝલની કિંમતો આસમાને પહોંચી છે. મંગળવારે મુંબઈમાં 1 લીટર પેટ્રોલનો ભાવ 84 રૂપિયા જ્યારે ડીઝલનો ભાવ 72 રૂપિયા હતો. આ પાછળ ક્રૂડ ઓઇલમાં થયેલા કિંમત વધારો જવાબદાર છે. પરંતુ સરકાર ક્રૂડ ઓઇલના વધતા ભાવ વચ્ચે પણ જનતાને ખુશખબર આપી શકે છે.

એવી વાત સામે આવી હતી કે, કેન્દ્ર સરકાર પેટ્રોલ અને ડીઝલને GST અંતર્ગત લાવી શકે છે. આ મુદ્દે ખુદ નાણામંત્રી અરુણ જેટલી અને ઓઇલ મિનિસ્ટર ધર્મેન્દ્ર પ્રધાન પણ સંકેત આપી ચૂક્યા છે. ઓઇલ મિનિસ્ટર ધર્મેન્દ્ર પ્રધાન પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતો પર કન્ટ્રોલ લાવવા માટે આને પણ GST હેઠળ લાવવાની ભલામણ કરી ચૂક્યા છે. નાણામંત્રી અરુણ જેટલીએ પણ કહ્યું હતું કે, તમામ રાજ્ય સરકારોની સહમતિ બાદ પેટ્રોલ અને ડીઝલને GSTમા શામેલ કરી શકાય છે.એટલે કે જો પેટ્રોલ અને ડીઝલને સરકાર GST અંતર્ગત લાવી દે તો પેટ્રોલ-ડીઝલની કિંમતો 40-45 રૂપિયા સુધી પહોંચી શકે છે.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફણડવીસે મુંબઈમાં આયોજિત એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, પેટ્રોલ-ડીઝલને પણ GST અંતર્ગત લાવવું જોઈએ. આનાથી આમ આદમીને વધુ રાહત મળશે. CM ફડણવીસના જણાવ્ચાનુસાર પેટ્રોલ-ડીઝલને GSTની અંતર્ગત લાવવાની માગ પણ તેઓ પેટ્રોલિયમ મિનિસ્ટર ધર્મેન્દ્ર પ્રધાનને કરી ચૂક્યા છે. જો સરકાર ફડણવીસની આ માગ માની લે તો પેટ્રોલ પર વધુમાં વધુ 28% GST લાગી શકે છે. પેટ્રોલ પર 28% GST લાગ્યા બાદ તેની કિંમત 43 રૂપિયા પ્રતિ લીટર થઈ જશે અને ડીઝલ લગભગ 41 રૂપિયા પ્રતિ લીટર મળી શકે છે.


- મા આશાપુરા ન્યુઝ,
ભુજ કચ્છ , ભારત.

94287 48643 વોટ્સએપ,
97252 06123 - 37,
72260 06124 - 33,

Youtube : maa news live,
Android app : maa news.
Blog : maanewslive. blogspot. com
Facebook : maa news live page / group
Twitter : @jaymalsinhB
Email : jaymalsinhjadeja@gmail.com

Comments

Popular posts from this blog

કેમ્પ એરીયામાં જફાર રમજુ થેબાની હત્યા..

કેમ્પ એરીયામાં જફાર રમજુ થેબાની હત્યા.. (મૃતક જફાર ની ફાઇલ તસ્વીર) અવારનવાર ભુજના ભીડ ફળીયા અને કેમ્પ એરિયામાં હત્યા અને હુમલાના બનાવો બનતા હોય છે. ગુન્હાખોરીનો ગ્રાફ આ વિસ્તારમાં કાયમ ઉંચકાયેલો જોવા મળે છે ત્યારે આજે (૨૨-૧) કેમ્પ એરિયામાં જફાર રમજુ થેબાની હત્યા થઇ હતી. જફારને છરી મારનાર સિકંદર અનવર લાખા નામનો વ્યક્તિ હોવાનું બહાર આવ્યું છે. વધુ વિગતો પોલીસ તપાસ બાદ બહાર આવશે. અહેવાલ અને તસ્વીર-કિરણ ગોરી (હત્યા થઈ તે સ્થળ)

બે ભાનુશાલી યુવક ઉપર સ્કોર્પિયો ચડાવી દેવાઈ : એકનું મોત

માનકુવા ભુજ હાઈવે પર અકસ્માત માં એક નું મોત, અગાઉનું મનદુઃખ કારણભુત સ્કોર્પિયો અને બાઈક વચ્ચેનો અકસ્માત  પ્રાપ્ત વિગતો મુજબ હતભાગી અર્જુન મોરારજી ભાનુશાલી ઉ.વ. ૨૨ રહે ઝૂરા અને તેનો મિત્ર પ્રભુ ભાનુશાળી ઉ.વ. ૨૫ રહે ભુજ માનકુવા થી ભુજ આવી રહ્યા હતા ત્યારે સામે થી આવી રહેલ સ્કોર્પીઓ કાર ધડાકા ભેર અથડાતા mestro સ્કુટર ચાલક અર્જુનનું ઘટના સ્થળે મોત થયું અને સાથે આવી રહેલ પ્રભુ ભાનુશાળીને ઈજાઓ થતા ભુજ ની જી.કે જનરલ હોસ્પિટલ દાખલ કરાયા છે. મૃતક અર્જુન ભાનુશાલી સ્કોર્પીઓ ચાલક અને અન્યો કાનજી, ધીરજ ભીમજી , જગદીશ, દિનેશ દેવજી તેમજ અન્યો કાર ઘટના સ્થળે છોડી અને નાસી છુટ્યા. જાણવા મળતી માહિતી મુજબ અકસ્માત માટે અગાઉં નું મનદુઃખ કારણભુત છે. ઘાયલ પ્રભુ ભાનુશાલી ઘટનાની જાણ થતાં ભાનુશાળી સમાજ સહીત નાં અન્ય આગેવાનો હોસ્પિટલ ખાતે એકઠા થયા હતા. જીકે માં એકઠા થયેલા ભાનુશાલી સમાજનાં લોકો સમપૂર્ણ વિગત માટે વાંચો : ભુજ તાલુકાના માનકુવા ગામ ખાતે આજરોજ એક ગંભીર અકસ્માત સર્જાયો હતો.જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.અને એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જાણવા મળતી વિગતો અનુસાર , ભુજ મ

દેવાંધ માણેક ગઢવીની હત્યા, શિવરાત્રીનીનાં ગૂમ થયેલ, આરોપીની અટકાયત

🖋 શિવરાત્રી નાં ગૂમ થયેલ દેવાંધ માણેક ગઢવીની લાશ બોર માંથી મળી. આરોપીની અટકાયત કરાઈ. 13 ફેબ્રુઆરી શિવરાત્રીની રાતે ભજન સાંભળવા ગયેલા અને ત્યારબાદ ગુમ થયેલા માંડવી તાલુકાનાં ભાડિયા ગામના ગઢવી દેવાંધ માણેક ની ધારીયા જેવા તીક્ષ્ણ હથિયારથી હત્યા કરાઈ છે અને આજે 6 દિવસ બાદ દેવાંધ ની લાશ વાડી વિસ્તારમાંથી એક બોર માંથી મળી આવી છે. આ ચકચારી બનાવમાં પોલીસે બે આરોપીની અટકાયત કરી છે , માંડવી પોલીસે ગઈકાલે દારૂના કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી હતી તે ખીમરાજ હરિ ગઢવી , રામ પબુ ગઢવી જ દેવાંધ નાં હત્યારા હોવાનું પ્રાથમિક તપાસમાં પોલીસ માની રહી છે , સત્તાવાર જાહેર પોલીસ કરશે , હાલ બને આરોપીઓની ઉલટ તપાસ ચાલુ છે , આ હત્યા રૂપિયાની લેતી દેતી માટે થઈ હોવાનું જાણવા મળે છે. દેવાંધ ગુમ થયા બાદ ગઢવી આજે રૂબરૂ માંડવી પોલીસે જઈ તપાસ કરવા જણાવ્યું હતું , હત્યા કયા કારણોસર કરાઈ છે અને કોણે કરી છે પોલીસ એ દિશામાં તાપસ આદરી દીધી છે. - *મા આશાપુરા ન્યુઝ* , ભુજ કચ્છ , ભારત. *94287 48643 વોટ્સએપ* , 97252 06123 - 37, 72260 06124 - 33, *Youtube* : maa news live, *Android app* : maa news. *Blog* : maanewsliv