૧૫ મે થી ગુર્જર સમુદાય ફરી બયાનામાં ફરી મહાપંચાયત કરીને અનામત આંદોલનના મંડાણ કરી રહયા છે. તેના લીધે સરકાર અને રેલ્વે એલર્ટ થઇ ગયું છે. રેલ્વેતંત્રએ ગુર્જર આંદોલન ને નીપટાવવા માટે સુરક્ષાબળોને એલર્ટ કરી દીધા છે. સ્થાનિક અખબારના જણાવ્યા મુજબ આંદોલનને ધ્યાનમાં રાખીને ભરતપુરના સંભાગીય આયુકતે ગુર્જર બાહુલ્ય ૮૦ ગ્રામ પંચાયતોના ૧૬૭ ગામડાઓમાં ઇન્ટરનેટ પર ૧૫ મેના સાંજ સુધી પ્રતિબંધ લગાવી દીધો છે. બીજીબાજુ રાજય સરકાર દ્વારા જીલ્લા કલેકટર સંદેશ નાયકે ગુર્જર નેતા કિશોરીસિંહ બંસેલાને વાર્તાનો પ્રસ્તાવ મોકલ્યો છે.
ઉલ્લેખનીય છે કે અત્યારસુધીમાં ગુર્જર પાંચવાર આંદોલન કરી ચુકયા છે. અને દરેક વખતે કરોડોનું નુકશાન થાય જ છે અને અનેક લોકો મૃત્યુ પામે છે. ઉલ્લેખનીય છેકે, વર્ષ ૨૦૦૭માં ૨૯ મેથી ૫ જુન સાત દિવસ ગુર્જરોએ આંદોલન કર્યુ છે. તેમાંથી ૨૦૦ જીલ્લા પ્રભાવિત થયા હતા અને ૩૮ લોકોના મૃત્યુ થયા હતા. ત્યારબાદ ૨૩ મેથી ૧૭ જુન ૨૦૦૮ સુધી ૨૭ દિવસ સુધી આંદોલન ચાલ્યુ, ૨૨ જિલ્લાની સાથે ૯ રાજયો પ્રભાવિત થયા અને તેમાં ૩૦ થી વધુના મોત થયા. સરકારી આંકડા મુજબ ગુર્જર અનામત ના કારણે અત્યાર સુધીમાં ૧૪૫ કરોડ રુપિયાની સરકારી સંપતિઓ અને રાજસ્વનું નુકશાન નોંધાયું છે. તેમજ સામાન્ય માણસ તેમજ પ્રતિષ્ઠિતોનું ૧૩ હજાર ૫૦૦ કરોડથી વધુનું નુકશાન થયું છે.
ઉલ્લેખનીય છે કે અત્યારસુધીમાં ગુર્જર પાંચવાર આંદોલન કરી ચુકયા છે. અને દરેક વખતે કરોડોનું નુકશાન થાય જ છે અને અનેક લોકો મૃત્યુ પામે છે. ઉલ્લેખનીય છેકે, વર્ષ ૨૦૦૭માં ૨૯ મેથી ૫ જુન સાત દિવસ ગુર્જરોએ આંદોલન કર્યુ છે. તેમાંથી ૨૦૦ જીલ્લા પ્રભાવિત થયા હતા અને ૩૮ લોકોના મૃત્યુ થયા હતા. ત્યારબાદ ૨૩ મેથી ૧૭ જુન ૨૦૦૮ સુધી ૨૭ દિવસ સુધી આંદોલન ચાલ્યુ, ૨૨ જિલ્લાની સાથે ૯ રાજયો પ્રભાવિત થયા અને તેમાં ૩૦ થી વધુના મોત થયા. સરકારી આંકડા મુજબ ગુર્જર અનામત ના કારણે અત્યાર સુધીમાં ૧૪૫ કરોડ રુપિયાની સરકારી સંપતિઓ અને રાજસ્વનું નુકશાન નોંધાયું છે. તેમજ સામાન્ય માણસ તેમજ પ્રતિષ્ઠિતોનું ૧૩ હજાર ૫૦૦ કરોડથી વધુનું નુકશાન થયું છે.
Comments
Post a Comment