અમદાવાદની મીરઝાપુર ગ્રામ્ય કોર્ટે 1994માં થયેલા એક અકસ્માત અંગે 24 વર્ષ બાદ ચુકાદો આપી અકસ્માત માટે પતિને જ જવાબદાર ગણી પોતાના જ પરિવારના સભ્યોને વળતર ચુકવવાનો આદેશ આપ્યો છે.
9 ઓગષ્ટ 1994ના રોજ અમદાવાદ રહેતા ગુલામ મોયુદ્દીન શેખ પોતાના પરિવાર સાથે કારમાં વિરગગામથી અમદાવાદ આવી રહ્યા હતા, વરસાદી વાતાવરણ હતું, તે દરમિયાન તેમણે સ્ટીયરીંગ ઉપરથી કાબુ ગુમાવતા તેમની કાર એક ઝાડ સાથે ટકરાઈ હતી, જેના કારણે તેમની પત્ની રૂકશાનાબાનુ, દિકરી કૌશર જહાં, શબાના અને તેમની માતાને ઈજા થઈ હતી, જેના કારણે તેમને લાંબો સમય સારવાર માટે હોસ્પિટલ રહેવું પડયું હતું.
આ મામલે રૂકશાનાબાનુએ મોટર એકસીડન્ટ કલેઈમ ટ્રીબ્યુનલ સામે નેશનલ ઈન્સ્યુરન્સ કંપની પાસે વળતરની માગણી કરી હતી, 1994માં થયેલા અકસ્માતનો ચુકાદો 24 વર્ષ બાદ આવ્યા હતો જેમા કોર્ટે અકસ્માત માટે ગુલામ મોયુદ્દીન શેખના બેદરકરારી ભર્યા ડ્રાઈવીંગ માટે જવાબદાર ગણી ગુલામ મોયુદ્દીન શેખ અને નેશનલ ઈન્યુરન્સ કંપનીને વળતર ચુકવવાનો આદેશ કર્યો હતો, જેમાં રૂકશાનાબાનુને 11,500, કૌશરને 3,700 શબાનાને 9,000 અને વૃધ્ધ માતાને 25,000 હજાર ચુકવવાનો આદેશ આપ્યો છે. આ તમામ રકમ નવ ટકા વ્યાજ સાથે પણ ચુકવવાની રહેશે.
- મા આશાપુરા ન્યુઝ,
ભુજ કચ્છ , ભારત.
94287 48643 વોટ્સએપ,
97252 06123 -
37,
72260 06124 -
33,
Youtube : maa
news live,
Android app :
maa news.
Blog :
maanewslive. blogspot. com
Facebook : maa
news live page / group
Twitter :
@jaymalsinhB
Email :
jaymalsinhjadeja@gmail.com
Comments
Post a Comment