“નિપાહ વાયરસ” નો ચેપ મુખ્યત્વે આ રોગથી ગ્રસિત એવા ચામાચિડીયા કે ભૂંડના સંપર્કમાં આવવાથી લાગે છે. ચામાચીડીયા આ વાયરસનું કુદરતી આશ્રય સ્થાન છે. આ વાયરસ તેના પેશાબ મળ, લાળ તથા ઉત્સર્ગિક પ્રવાહીમાં જોવા મળે છે. જેના સંપર્કમાં આવવાથી ડુકકર ચેપગ્રસ્ત થાય છે. ચેપગ્રસ્ત ચામાચીડીયાના મળ/પેશાબ ઝાડ ઉપર હોય એવા ઝાડ પર ખુલ્લા હાથ પગ વડે કામ કરનાર વ્યકિતને આ ચેપ લાગી શકે. આ રોગ કુતરા, બિલાડા, ઘેટા-બકરા તેમજ ઘોડા જેવા પાલતુ પ્રાણીઓમાં ચેપ હોવાના પુરાવા મળેલ છે. નિપાહ વાયરસનો ચેપ લાગ્યો હોય તેવી વ્યકિતના સંપર્કમાં આવવાથી પણ આ રોગનો ચેપ લાગે છે. આ રોગની અટકાયત માટે અસરગ્રસ્ત વિસ્તારમાંથી અન્ય જગ્યાએ જાનવરની હેરફેર ઉપર પ્રતિબંધ મુકવો જરુરી છે.
નિપાહ વાયરસથી ફેલાતા જીવલેણ રોગના લક્ષણોમાં તાવ, માથાનો દુ:ખાવો, સુસ્તી, માનસિક અસ્વસ્થતા, ખેંચ અને કોમા મુખ્ય છે. તેના લક્ષણો ચેપ લાગ્યા બાદ પાંચથી ૧૪ દિવસ બાદ જોવા મળે છે. આ રોગની ચોકકસ દવા કે રસી ઉપલબ્ધ નથી. દર્દીને સપોર્ટિવ સારવાર અપાય છે. ભારતમાં ર૦૦૧માં સિલિગુડીમાં દેખાયા બાદ તાજેતરમાં કેરળમાં આ રોગ દેખાયો છે. શંકાસ્પદ લક્ષણો ધરાવતી વ્યકિતની જાણ થાય તો સ્ટેટ નોડલ ઓફીસર આઈડીએસપીને ssoidsp@gmail.com અથવા મો.૯૭૨૭૭ ૨૩૩૦૧ પર જાણ કરવી..
- મા આશાપુરા ન્યુઝ,
ભુજ કચ્છ , ભારત.
94287 48643 વોટ્સએપ,
97252 06123 -
37,
72260 06124 -
33,
Youtube : maa
news live,
Android app :
maa news.
Blog :
maanewslive. blogspot. com
Facebook : maa
news live page / group
Twitter :
@jaymalsinhB
Email : jaymalsinhjadeja@gmail.com
Comments
Post a Comment