ભારત દેશની આઝાદી માટે સને 1930 19મી મેના દિને શહાદતને વરેલા વીર વિઠ્ઠલદાસ ચંદનની યાદમાં દેશભકતને શ્રદ્ધાંજલિ અર્પિત કરવા માટે કચ્છના નખત્રાણા તાલુકા મથકે શ્રી નખત્રાણા તાલુકા રઘુવંશી સોશ્યલ ગ્રુપ દ્વારા વીર પુરુષને શ્રદ્ધાંજલિ અર્પિત કરવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
શહાદત દિન નિમિત્તે નખત્રાણા ના સાંઇ જલારામ મંદિરેથી દેશભકિતના સૂરો સાથે એકસો જેટલા યુવા યુવતીઓની બાઇકરેલી નું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ બાઇક રેલીને અબડાસા ના ધારાસભ્ય પ્રદ્યુમ્ન સિંહ જાડેજાએ સ્ટાર્ટ આપ્યો હતો.
આ બાઇક રેલી નખત્રાણા ના માર્ગો પર ફરીને વીર વિઠ્ઠલદાસ ચંદનની જન્મભૂમિ ખોંભડી મોટી ગામે પહોંચી હતી અને ત્યાં શહીદની પ્રતિમાને ભાવવંદના સાથે પુષ્પહાર અર્પણ કરવામાં આવ્યું હતું અને રાષ્ટ્રગીતના ગાન સાથે શહીદ ને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ પ્રસંગે ખોંભડી ગામની ગૌમાતાઓને લીલા ઘાસચારાનું નીરણ તેમજ ચકલી માટે ચકલીઘર અને પક્ષીઓ માટે પાણી ના કુંડા નું વિતરણ કરાવવામાં આવ્યું હતું. નખત્રાણા તાલુકા રઘુવંશી સોશ્યલ ગ્રુપ ના પ્રમુખ રાજેશ પલણ, નીતિન ઠક્કર, પ્રાગજીભાઇ ઠક્કર, સહિત સમાજના અગ્રણીઓ તેમજ ખોભડી ગામના સરપંચ દિલીપસિંહ જાડેજા એ શહીદ પૂજન કર્યું હતું.
આ બાઇક રેલી નખત્રાણા ના માર્ગો પર ફરીને વીર વિઠ્ઠલદાસ ચંદનની જન્મભૂમિ ખોંભડી મોટી ગામે પહોંચી હતી અને ત્યાં શહીદની પ્રતિમાને ભાવવંદના સાથે પુષ્પહાર અર્પણ કરવામાં આવ્યું હતું અને રાષ્ટ્રગીતના ગાન સાથે શહીદ ને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ પ્રસંગે ખોંભડી ગામની ગૌમાતાઓને લીલા ઘાસચારાનું નીરણ તેમજ ચકલી માટે ચકલીઘર અને પક્ષીઓ માટે પાણી ના કુંડા નું વિતરણ કરાવવામાં આવ્યું હતું. નખત્રાણા તાલુકા રઘુવંશી સોશ્યલ ગ્રુપ ના પ્રમુખ રાજેશ પલણ, નીતિન ઠક્કર, પ્રાગજીભાઇ ઠક્કર, સહિત સમાજના અગ્રણીઓ તેમજ ખોભડી ગામના સરપંચ દિલીપસિંહ જાડેજા એ શહીદ પૂજન કર્યું હતું.
- મા આશાપુરા ન્યુઝ,
ભુજ કચ્છ , ભારત.
94287 48643 વોટ્સએપ,
97252 06123 -
37,
72260 06124 -
33,
Youtube : maa
news live,
Android app :
maa news.
Blog :
maanewslive. blogspot. com
Facebook : maa
news live page / group
Twitter :
@jaymalsinhB
Email :
jaymalsinhjadeja@gmail.com
Comments
Post a Comment