SC-ST એક્ટમાં થયેલા ફેરફારને લઈને સુપ્રીમ કોર્ટે એક મહત્વનો નિર્ણય લીધો છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની રિવ્યૂ પિટીશન પર તાત્કાલિક સુનવણી કરવાની મનાઈ ફરમાવી છે. મોદી સરકારે કોર્ટને પિટીશન પર ઝડપથી સુનવણી કરવા માટે કહ્યું હતું પણ સુપ્રીમ કોર્ટે આ કેસમાં તરત સુનાવણી કરવનો ઈન્કાર કરી દીધો છે.
આ પહેલા કાયદાકીય મંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે હું તમને જણાવવા માગું છું કે આજે અમે સુપ્રીમ કોર્ટ દ્વારા અનુસૂચિત જાતિ અને જનજાતિ અધિનિયમના નિર્ણય પર અરજી દાખલ કરી છે. અમે એક વિસ્તૃત અરજી દાખલ કરી છે જે સરકારના વરિષ્ઠ વકીલો દ્વારા કોર્ટમાં જાહેર કરવામાં આવશે.
આ પહેલા કાયદાકીય મંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે હું તમને જણાવવા માગું છું કે આજે અમે સુપ્રીમ કોર્ટ દ્વારા અનુસૂચિત જાતિ અને જનજાતિ અધિનિયમના નિર્ણય પર અરજી દાખલ કરી છે. અમે એક વિસ્તૃત અરજી દાખલ કરી છે જે સરકારના વરિષ્ઠ વકીલો દ્વારા કોર્ટમાં જાહેર કરવામાં આવશે.
SC-ST એક્ટમાં સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવેલા ફેરફારના વિરોધમાં સોમવારે બંધનું એલાન કરવામાં આવ્યું હતું. જેના કારણે પંજાબ, બિહાર, ઉત્તર પ્રદેશ,ગુજરાત અને ઓરિસ્સામાં તેની વ્યાપક અસર જોવા મળી હતી. આ ઉપરાંત કેટલાક શહેરોમાં હિંસાત્મક ઘટનાઓ પણ સામે આવી હતી.
Comments
Post a Comment