આદિપુર નજીક શિણાય રોડ પર રાત્રીના ભાગમાં બાઇક પર પુરપાટ જઇ રહેલા ચાલકે અંધારામાં વચ્ચે આવી ગયેલા જનાવર સાથે ભટકાવી દેતાં બાઇકમાં પાછળ બેઠેલા સંઘડના યુવાનનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નિપજ્યું હતુ઼.
આ બાબતે આદિપુર પોલીસમાંથી પ્રાપ્ત વીગતો મુજબ,આદિપુર નજીક રાત્રે સાડા નવના આરસામાં શિણાયનજીક આવેલી યોગીપુરમ સોસાયટી સામે સંઘડના કેશાભાઇ કાનાભાઇ રાઠોડ અને તેના પિતરાઇ ભાઇ સનાભાઇ પુંજાભાઇ રાઠોડ જીજે-12-બીએ-1862 નંબરની બાઇક પર પુરપાટ જઇ રહ્યા હતા ત્યારે બાઇક ચલાવી રહેલા કેશાભાઇને બાઇકની ઝડપ વધુ હોતાં અચાનક વચ્ચે જનાવર આવી જતાં તેની સાથે ભટકાઇ જતાં પાછળ બેઠેલા સંઘડના 46 વર્ષીય શનાભાઇ પુંજાભાઇ રાઠોડનું ગંભીર ઇજાઓને કારણે ઘટનાસ્થળે મોત નિપજ્યું હતુ઼.
બન્ને પિતરાઇ ભાઇઓ ગાંધીધામની હોસ્પીટલમાં દાખલ પોતાના સંબંધીની દિકરીની ખબર કાઢી પરત ફરી રહ્યા હતા ત્યારે આઘટના બની હતી.આ બાબતે મૃતકના મોટાભાઇ રવજીભાઇ પુંજાભાઇ રાઠોડે નોંધાવેલી ફરિયાદ મુજબ આદિપુર પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.અત્રે ઉલ્લેખનિય છે કે એક દિવસ પહેલાં જ ભચાઉ નજીક ઝડપી વાહન ચલાવનાર રાજકોટના યુવાન ઇજનેરે જીવ ખોયો હતો ત્યારે બીજા જ દિવસે ઝડપને કારણે સંઘડના યુવાને જીવ ખોયો છે ત્યારે વાહનની ગતિમર્યાદા જીવલેણ સાબિત ન થાય તેવી તકેદારી વાહન ચાલકોએ રાખવી જોઇએ.
Comments
Post a Comment