Skip to main content

આસારામ કેસ: આ તારીખે આવશે કોર્ટનો ચૂકાદો

પાછલા પાંચ વર્ષથી જોધપુર જેલમાં જેલવાસ ભોગવી રહેલા આસારામ અંગે અદાલતે ફાઈનલ જજમેન્ટની તારીખ નક્કી કરી નાંખી છે. આસારામના ભાવિનો ફેંસલો તે તારીખે કરવામાં આવશે. આસારામ જેલમાં જ રહેશે કે બહાર આવશે તે અંગેની નિર્ભરતા કોર્ટના ચૂકાદા પર અવલિંબત રહેલી છે.


2013માં આસારામ વિરુધ્ધમાં જોધપુર તેમજ અમદાવાદ શહેરના ચાંદખેડામાં બળાત્કારના કેસો દાખલ કરવામાં આવ્યો હતો. આસારામની ધરપકડ કરવામાં આવ્યા બાદ સાધકો દ્વારા અનેક પ્રકારના પ્રર્દશનો કરવામાં આવ્યા હતા. આસારામ ઉપરાંત તેના પુત્ર નારાયણ સાંઈ વિરુધ્ધ સુરત શહેરના જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ફરીયાદ દાખલ થઇ હતી.
પોલીસ દ્વારા આસારામ તેમજ નારાયણ સાંઈની ધરપકડ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન આસારામ તેમજ તેના પુત્ર નારાયણ સાંઈ વિરુદ્ધ અગાઉ આશ્રમમાં જ રહેતા તેઓના ઘણા સાધકોએ સાહેદ તરીકે આ આસારામ અને નારાણય વિરુદ્ધ નિવેદનો આપ્યા હતાં, જેને કારણે તેમના વિરુદ્ધના કેસો વધારે મજબૂત થયા હતા. અને બંનેને કોર્ટમાંથી જામીન મળી શક્યા ન હતાં.
યુપીની યુવતી સાથે આસારામે દુષ્કર્મ આચર્યું હતું જેને લઈને જોધપુર પોલીસે આસારામ વિરુધ્ધ ફરીયાદ દાખલ કરી હતી. હવે આ ચકચારિત પ્રકરણમાં જોધપુર કોર્ટે ફાઈનલ જજમેન્ટની તારીખ આપી છે. બળાત્કાર અને દુષ્કર્મના કેસમાં સુનાવણી સંપૂર્ણ થઈ હોવાનું કોર્ટે કહ્યું છે અને 25મી એપ્રિલે આસારામ કેસનો ચૂકાદો આવવાની સંભાવના રહેલી છે.

Comments

Popular posts from this blog

કેમ્પ એરીયામાં જફાર રમજુ થેબાની હત્યા..

કેમ્પ એરીયામાં જફાર રમજુ થેબાની હત્યા.. (મૃતક જફાર ની ફાઇલ તસ્વીર) અવારનવાર ભુજના ભીડ ફળીયા અને કેમ્પ એરિયામાં હત્યા અને હુમલાના બનાવો બનતા હોય છે. ગુન્હાખોરીનો ગ્રાફ આ વિસ્તારમાં કાયમ ઉંચકાયેલો જોવા મળે છે ત્યારે આજે (૨૨-૧) કેમ્પ એરિયામાં જફાર રમજુ થેબાની હત્યા થઇ હતી. જફારને છરી મારનાર સિકંદર અનવર લાખા નામનો વ્યક્તિ હોવાનું બહાર આવ્યું છે. વધુ વિગતો પોલીસ તપાસ બાદ બહાર આવશે. અહેવાલ અને તસ્વીર-કિરણ ગોરી (હત્યા થઈ તે સ્થળ)

બે ભાનુશાલી યુવક ઉપર સ્કોર્પિયો ચડાવી દેવાઈ : એકનું મોત

માનકુવા ભુજ હાઈવે પર અકસ્માત માં એક નું મોત, અગાઉનું મનદુઃખ કારણભુત સ્કોર્પિયો અને બાઈક વચ્ચેનો અકસ્માત  પ્રાપ્ત વિગતો મુજબ હતભાગી અર્જુન મોરારજી ભાનુશાલી ઉ.વ. ૨૨ રહે ઝૂરા અને તેનો મિત્ર પ્રભુ ભાનુશાળી ઉ.વ. ૨૫ રહે ભુજ માનકુવા થી ભુજ આવી રહ્યા હતા ત્યારે સામે થી આવી રહેલ સ્કોર્પીઓ કાર ધડાકા ભેર અથડાતા mestro સ્કુટર ચાલક અર્જુનનું ઘટના સ્થળે મોત થયું અને સાથે આવી રહેલ પ્રભુ ભાનુશાળીને ઈજાઓ થતા ભુજ ની જી.કે જનરલ હોસ્પિટલ દાખલ કરાયા છે. મૃતક અર્જુન ભાનુશાલી સ્કોર્પીઓ ચાલક અને અન્યો કાનજી, ધીરજ ભીમજી , જગદીશ, દિનેશ દેવજી તેમજ અન્યો કાર ઘટના સ્થળે છોડી અને નાસી છુટ્યા. જાણવા મળતી માહિતી મુજબ અકસ્માત માટે અગાઉં નું મનદુઃખ કારણભુત છે. ઘાયલ પ્રભુ ભાનુશાલી ઘટનાની જાણ થતાં ભાનુશાળી સમાજ સહીત નાં અન્ય આગેવાનો હોસ્પિટલ ખાતે એકઠા થયા હતા. જીકે માં એકઠા થયેલા ભાનુશાલી સમાજનાં લોકો સમપૂર્ણ વિગત માટે વાંચો : ભુજ તાલુકાના માનકુવા ગામ ખાતે આજરોજ એક ગંભીર અકસ્માત સર્જાયો હતો.જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.અને એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જાણવા મળતી વિગતો અનુસાર , ભુજ મ

દેવાંધ માણેક ગઢવીની હત્યા, શિવરાત્રીનીનાં ગૂમ થયેલ, આરોપીની અટકાયત

🖋 શિવરાત્રી નાં ગૂમ થયેલ દેવાંધ માણેક ગઢવીની લાશ બોર માંથી મળી. આરોપીની અટકાયત કરાઈ. 13 ફેબ્રુઆરી શિવરાત્રીની રાતે ભજન સાંભળવા ગયેલા અને ત્યારબાદ ગુમ થયેલા માંડવી તાલુકાનાં ભાડિયા ગામના ગઢવી દેવાંધ માણેક ની ધારીયા જેવા તીક્ષ્ણ હથિયારથી હત્યા કરાઈ છે અને આજે 6 દિવસ બાદ દેવાંધ ની લાશ વાડી વિસ્તારમાંથી એક બોર માંથી મળી આવી છે. આ ચકચારી બનાવમાં પોલીસે બે આરોપીની અટકાયત કરી છે , માંડવી પોલીસે ગઈકાલે દારૂના કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી હતી તે ખીમરાજ હરિ ગઢવી , રામ પબુ ગઢવી જ દેવાંધ નાં હત્યારા હોવાનું પ્રાથમિક તપાસમાં પોલીસ માની રહી છે , સત્તાવાર જાહેર પોલીસ કરશે , હાલ બને આરોપીઓની ઉલટ તપાસ ચાલુ છે , આ હત્યા રૂપિયાની લેતી દેતી માટે થઈ હોવાનું જાણવા મળે છે. દેવાંધ ગુમ થયા બાદ ગઢવી આજે રૂબરૂ માંડવી પોલીસે જઈ તપાસ કરવા જણાવ્યું હતું , હત્યા કયા કારણોસર કરાઈ છે અને કોણે કરી છે પોલીસ એ દિશામાં તાપસ આદરી દીધી છે. - *મા આશાપુરા ન્યુઝ* , ભુજ કચ્છ , ભારત. *94287 48643 વોટ્સએપ* , 97252 06123 - 37, 72260 06124 - 33, *Youtube* : maa news live, *Android app* : maa news. *Blog* : maanewsliv