પાછલા પાંચ વર્ષથી જોધપુર જેલમાં જેલવાસ ભોગવી રહેલા આસારામ અંગે અદાલતે ફાઈનલ જજમેન્ટની તારીખ નક્કી કરી નાંખી છે. આસારામના ભાવિનો ફેંસલો તે તારીખે કરવામાં આવશે. આસારામ જેલમાં જ રહેશે કે બહાર આવશે તે અંગેની નિર્ભરતા કોર્ટના ચૂકાદા પર અવલિંબત રહેલી છે.
2013માં આસારામ વિરુધ્ધમાં જોધપુર તેમજ અમદાવાદ શહેરના ચાંદખેડામાં બળાત્કારના કેસો દાખલ કરવામાં આવ્યો હતો. આસારામની ધરપકડ કરવામાં આવ્યા બાદ સાધકો દ્વારા અનેક પ્રકારના પ્રર્દશનો કરવામાં આવ્યા હતા. આસારામ ઉપરાંત તેના પુત્ર નારાયણ સાંઈ વિરુધ્ધ સુરત શહેરના જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ફરીયાદ દાખલ થઇ હતી.
પોલીસ દ્વારા આસારામ તેમજ નારાયણ સાંઈની ધરપકડ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન આસારામ તેમજ તેના પુત્ર નારાયણ સાંઈ વિરુદ્ધ અગાઉ આશ્રમમાં જ રહેતા તેઓના ઘણા સાધકોએ સાહેદ તરીકે આ આસારામ અને નારાણય વિરુદ્ધ નિવેદનો આપ્યા હતાં, જેને કારણે તેમના વિરુદ્ધના કેસો વધારે મજબૂત થયા હતા. અને બંનેને કોર્ટમાંથી જામીન મળી શક્યા ન હતાં.
યુપીની યુવતી સાથે આસારામે દુષ્કર્મ આચર્યું હતું જેને લઈને જોધપુર પોલીસે આસારામ વિરુધ્ધ ફરીયાદ દાખલ કરી હતી. હવે આ ચકચારિત પ્રકરણમાં જોધપુર કોર્ટે ફાઈનલ જજમેન્ટની તારીખ આપી છે. બળાત્કાર અને દુષ્કર્મના કેસમાં સુનાવણી સંપૂર્ણ થઈ હોવાનું કોર્ટે કહ્યું છે અને 25મી એપ્રિલે આસારામ કેસનો ચૂકાદો આવવાની સંભાવના રહેલી છે.
Comments
Post a Comment