Skip to main content

રાપર તાલુકામાં દલિત અને કોળી સમાજની જમીનનો કબજો સોંપવામાં ન આવતા ૧૪ મીઅે હાઇવે બ્‍લોક કરાશે : જીગ્‍નેશ મેવાણી

રાપર તાલુકામાં દલિત અને કોળી સમાજની જમીનનો કબજો પત્ર દ્વારા અપાયો નથી. આથી તા. ૧૪ના હાઇવે બ્‍લોક કરવાની ચીમકી જીગ્‍નેશ મેવાણીએ આપી છે. ૨૨મી જાન્યુઆરીએ  કચ્છ કલેકટરને આપેલા આવેદનપત્રના જવાબમાં કોઈ નક્કર પગલા ન ભરવામાં આવતા રાપરના દલિત અને કોળી સમાજના લોકો નારાજ થયા છે. નીલ રાઠોડના જણાવ્યા  અનુસાર ૨૨મિ અકિલા જાન્યુઆરી ૨૦૧૮ના રોજ વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની આગેવાની હેઠળ એક આવેદનપત્ર કચ્છ કલેકટરને આપવામાં આવ્યું હતું. જેમાં  રાપર તાલુકાના દલિત અને કોળી સમાજના લોકોને ૧૯૮૪માં સરકાર દ્વારા આપવામાં  આવેલી જમીનનો કબ્જો મેળવવાની માંગણી હતી. આ માંગણીમાં હજી  સુધી સરકાર અને કલેકટર ઓફીસ કચ્છ દ્વારા કોઈ નક્કર પગલા ભરવામાં આવ્યા નથી. જેના કારણે આવનાર ૧૪મી એપ્રિલના રોજ સરકાર દ્વારા થઇ રહેલા અન્યાયના વિરોધમાં સામખીયાળી હાઇવે બ્લોક કરવામાં આવશે જેની આગેવાની ધારાસભ્ય જીગ્નેશ મેવાણી કરશે અને એમાં રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર પણ જોડાવાના છે.  ૧૯૮૪માં રાપર તાલુકાના દલિત અને કોળી પરિવારોને સરકાર દ્વારા જમીન આપવામાં આવી હતી, પરંતુ તેનો કાયદેસરનો કબજો  સોંપવામાં આવ્યો ન હતો અને જમીનો અન્ય માથાભારે લોકો પાસે હોવાથી દલિત અને કોળી સમજના લાભાર્થીઓને અન્યાય થઇ રહ્યો છે. જેમાં દલિત સમાજના લોકોને સોંપવામાં આવેલી ૩૩૦૦ એકર જમીન અને કોળી સમાજના લોકોને સોંપવામાં આવેલી ૨૪૦૦ એકર જમીન હજી મૂળ લાભાર્થીઓના કબ્જામાં નથી. જેના માટે ન્યાય મેળવવા માટે આંદોલન કરવું પડે છે. જીગ્નેશ મેવાણીઅ જણાવ્યું કે, અમે સરકારને આવેદનપત્ર આપ્યું છતાય કોઈ નક્કર પગલા સરકાર દ્વારા ભરવામાં આવ્યા નથી જેના વિરોધમાં અમે આવનાર ૧૪મી એપ્રિલના રોજ સામખીયાળી હાઈ વે બ્લોક કરીશું જેમાં સાથી ધારાસભ્ય અલ્પેશ ઠાકોર પણ હશે. જો દલિતોને એમનો ન્યાય ન મળતો હોય તો એના વિરોધમાં આ રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે. કચ્છ કલેકટર રેમ્યા મોહનએ જણાવ્યું હતું કે, આ મુદ્દે સરકારી નિયમો પ્રમાણે કાર્યવાહી ચાલુ છે જેમાં ૨૭ ગામોનાં ૫૬૦ જેટલા સર્વે નંબર હોય કામગીરી સરકારના પરિપત્ર અનુસાર થઇ રહી છે.

Comments

Popular posts from this blog

કેમ્પ એરીયામાં જફાર રમજુ થેબાની હત્યા..

કેમ્પ એરીયામાં જફાર રમજુ થેબાની હત્યા.. (મૃતક જફાર ની ફાઇલ તસ્વીર) અવારનવાર ભુજના ભીડ ફળીયા અને કેમ્પ એરિયામાં હત્યા અને હુમલાના બનાવો બનતા હોય છે. ગુન્હાખોરીનો ગ્રાફ આ વિસ્તારમાં કાયમ ઉંચકાયેલો જોવા મળે છે ત્યારે આજે (૨૨-૧) કેમ્પ એરિયામાં જફાર રમજુ થેબાની હત્યા થઇ હતી. જફારને છરી મારનાર સિકંદર અનવર લાખા નામનો વ્યક્તિ હોવાનું બહાર આવ્યું છે. વધુ વિગતો પોલીસ તપાસ બાદ બહાર આવશે. અહેવાલ અને તસ્વીર-કિરણ ગોરી (હત્યા થઈ તે સ્થળ)

બે ભાનુશાલી યુવક ઉપર સ્કોર્પિયો ચડાવી દેવાઈ : એકનું મોત

માનકુવા ભુજ હાઈવે પર અકસ્માત માં એક નું મોત, અગાઉનું મનદુઃખ કારણભુત સ્કોર્પિયો અને બાઈક વચ્ચેનો અકસ્માત  પ્રાપ્ત વિગતો મુજબ હતભાગી અર્જુન મોરારજી ભાનુશાલી ઉ.વ. ૨૨ રહે ઝૂરા અને તેનો મિત્ર પ્રભુ ભાનુશાળી ઉ.વ. ૨૫ રહે ભુજ માનકુવા થી ભુજ આવી રહ્યા હતા ત્યારે સામે થી આવી રહેલ સ્કોર્પીઓ કાર ધડાકા ભેર અથડાતા mestro સ્કુટર ચાલક અર્જુનનું ઘટના સ્થળે મોત થયું અને સાથે આવી રહેલ પ્રભુ ભાનુશાળીને ઈજાઓ થતા ભુજ ની જી.કે જનરલ હોસ્પિટલ દાખલ કરાયા છે. મૃતક અર્જુન ભાનુશાલી સ્કોર્પીઓ ચાલક અને અન્યો કાનજી, ધીરજ ભીમજી , જગદીશ, દિનેશ દેવજી તેમજ અન્યો કાર ઘટના સ્થળે છોડી અને નાસી છુટ્યા. જાણવા મળતી માહિતી મુજબ અકસ્માત માટે અગાઉં નું મનદુઃખ કારણભુત છે. ઘાયલ પ્રભુ ભાનુશાલી ઘટનાની જાણ થતાં ભાનુશાળી સમાજ સહીત નાં અન્ય આગેવાનો હોસ્પિટલ ખાતે એકઠા થયા હતા. જીકે માં એકઠા થયેલા ભાનુશાલી સમાજનાં લોકો સમપૂર્ણ વિગત માટે વાંચો : ભુજ તાલુકાના માનકુવા ગામ ખાતે આજરોજ એક ગંભીર અકસ્માત સર્જાયો હતો.જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.અને એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જાણવા મળતી વિગતો અનુસાર , ભુજ મ

દેવાંધ માણેક ગઢવીની હત્યા, શિવરાત્રીનીનાં ગૂમ થયેલ, આરોપીની અટકાયત

🖋 શિવરાત્રી નાં ગૂમ થયેલ દેવાંધ માણેક ગઢવીની લાશ બોર માંથી મળી. આરોપીની અટકાયત કરાઈ. 13 ફેબ્રુઆરી શિવરાત્રીની રાતે ભજન સાંભળવા ગયેલા અને ત્યારબાદ ગુમ થયેલા માંડવી તાલુકાનાં ભાડિયા ગામના ગઢવી દેવાંધ માણેક ની ધારીયા જેવા તીક્ષ્ણ હથિયારથી હત્યા કરાઈ છે અને આજે 6 દિવસ બાદ દેવાંધ ની લાશ વાડી વિસ્તારમાંથી એક બોર માંથી મળી આવી છે. આ ચકચારી બનાવમાં પોલીસે બે આરોપીની અટકાયત કરી છે , માંડવી પોલીસે ગઈકાલે દારૂના કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી હતી તે ખીમરાજ હરિ ગઢવી , રામ પબુ ગઢવી જ દેવાંધ નાં હત્યારા હોવાનું પ્રાથમિક તપાસમાં પોલીસ માની રહી છે , સત્તાવાર જાહેર પોલીસ કરશે , હાલ બને આરોપીઓની ઉલટ તપાસ ચાલુ છે , આ હત્યા રૂપિયાની લેતી દેતી માટે થઈ હોવાનું જાણવા મળે છે. દેવાંધ ગુમ થયા બાદ ગઢવી આજે રૂબરૂ માંડવી પોલીસે જઈ તપાસ કરવા જણાવ્યું હતું , હત્યા કયા કારણોસર કરાઈ છે અને કોણે કરી છે પોલીસ એ દિશામાં તાપસ આદરી દીધી છે. - *મા આશાપુરા ન્યુઝ* , ભુજ કચ્છ , ભારત. *94287 48643 વોટ્સએપ* , 97252 06123 - 37, 72260 06124 - 33, *Youtube* : maa news live, *Android app* : maa news. *Blog* : maanewsliv