માંડવી તાલુકાના નાભોઇ ગામે રહેતા 23 વર્ષીય પરણિત યુવાનને કામધંધા વગર બેકાર બેઠો હોઇ તેના પિતાએ કામકાજ કરવાનું કહી ઠપકો આપ્યો હતો, જેનું મનપર લાગી આવવાથી યુવકે ગળે ફાંસો ખાઇ જીવનનો અંત આણિ દીધો હતો. પુત્રના મોતથી પરિવારજનોમાં આક્રંદ છવાઇ ગયો હતો.
નાભોઇ ગામે રહેતા અને હજુ છ મહિના પહેલા પરણેલા અજિતસિંહ મમુભા જાડેજા (ઉ.વ.23)ને તેના પિતાએ પિતાએ ગુરૂવારે કામકાજ કરવા ઠપકો આપતાં જે બાબતનું મનપર લાગી આવતાં અજિતસિંહએ પોતાના ઘરની ઓરડીમાં લોખંડના પાઇપમાં રસો બાંધી ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. બનાવ સંદર્ભે ગઢશીશા પોલીસ મથકના એએસઆઇ શિવદિપસિંહ જાડેજાએ તપાસ હાથ ધરી છે.
તપાસનીશના જણાવ્યા પ્રમાણે મૃતક અજિતસિંહના લગ્ન 6 મહિના પહેલા થયા હતા. તેના કોઇ કામ કામજ મળતું ન હોવાથી છેલ્લાં ઘણાં સમયથી તે ઘરે બેકાર બેસી રહ્યો હતો. ગુરૂવારે તેના પિતા મમુભાએ ઠપકો આપ્યો આપતા બપોરે એક વાગ્યાના અરસામાં આત્મઘાતી પગલું ભરી લીધું હતું. બનાવને પગલે હતભાગીના પરીવારજનોમાં ગમગની છવાઇ ગઇ હતી.
Comments
Post a Comment