વાહનચાલકો કરે છે નિયમભંગ છતાં પોલીસ તંત્ર કરતું નથી કોઈ કાર્યવાહી..
ક્ચ્છ માં આરટીઓ અને પોલીસતંત્ર ની બેદરકારી સામે આવી છે કારણ છે પોલીસ દ્વારા નિયમોનું પાલન કરાવામાં આવતું નથી.
દ્વિચક્રી વાહનચાલકો માટે હેલ્મેટ પહેરીને વાહન ચલાવવું અનિવાર્ય છે તથા ચાલુ ડ્રાઇવિંગ દરમ્યાન ફોન પર વાત ન કરવી, લાયસન્સ વગર ગાડી ન ચલાવવી, 18 વર્ષથી ઓછી ઉંમર ના બાળકોએ ગાડી ન ચલાવવી જેવા નિયમો પણ અસ્તિત્વ માં છે પરંતુ ભુજ શહેર માં વાહનચાલકોને આવા કોઈ નિયમો લાગુ જ ન પડતા હોય તેવું લાગી રહ્યું છે કારણકે ભુજ શહેર માં મોટાભાગના વાહનચાલકો હેલ્મેટ પહેર્યા વિના જ ગાડી ચલાવે છે. જેના કારણે દિવસે દિવસે અકસ્માત ની ઘટનાઓ વધી રહી છે.
અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ જેવા મોટા શહેરોમાં પોલીસ તંત્ર દ્વારા ચુસ્તપણે વાહનચાલકોને નિયમોનું પાલન કરાવાય છે. પરંતુ ભુજ માં પોલીસ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી જ કરવામાં આવતી નથી. જેના કારણે ભુજમાં પોલિસ તંત્ર ની અને આરટીઓ ની બેદરકારી છતી થઈ છે. જે ભૂલ ના કારણે અનેક અકસ્માત સર્જાય છે.
માર્ગ સુરક્ષા સલામતી સપ્તાહ દરમ્યાન મોટા ઉપાડે વાહનચાલકોને ટ્રાફિક ના નિયમોની સમજૂતી આપવામાં આવે છે. પરંતુ આડા દિવસે, પોલિસ દ્વારા કોઈ કાર્યવાહી જ કરવામાં આવતી નથી. જેથી પોલીસ દેખાડો કરવા આવા કાર્યક્રમો યોજે છે તે સ્પષ્ટ કહી શકાય તેમ છે.
ત્યારે આરટીઓ અને પોલીસતંત્ર આ બાબતને ગંભીરતા થી લઈને ટ્રાફીક ના નીયમોનું વાહનચાલકોને પાલન કરાવે અને વાહનચાલકો પણ ટ્રાફિક ના નિયમોનું પાલન કરે તે ઇચ્છનીય બન્યું છે.
અહેવાલ - કૌશિક છાયા
- મા આશાપુરા ન્યુઝ,
ભુજ કચ્છ , ભારત.
94287 48643 વોટ્સએપ,
97252 06123 - 37,
72260 06124 - 33,
Youtube : maa news live,
Android app : maa news.
Blog : maanewslive. blogspot. com
Facebook : maa news live page /
group
Twitter : @jaymalsinhB
Email : jaymalsinhjadeja@gmail.com
Comments
Post a Comment