૧૦ જૂને ભારત બંધનું એલાન : શાકભાજી-ફળ-દૂધ અનાજ બધુ અટકાવી દેવાશે..
કર્જમાં માફી, ઉપજોની પૂરી કિંમત અને સ્વામીનાથન પંચનો રીપોર્ટ લાગુ કરવા માટે અહિંના ખેડૂતોએ નવો આઇડીયા અપનાવ્યો છે. આ મૂજબ ૧લી જુનથી ૧૦ જૂન દરમિયાન ચંદીગઢ-પંજાબનો એકપણ ખેડૂત ગામડામાંથી શહેરમાં પોતાના શાકભાજી-ફળ-દૂધ અને અનાજની સપ્લાય બંધ કરી દેશે, વેચાણ જ નહી કરે. રાષ્ટ્રીય કિસાન મહાસંઘની હાકલ બાદ ૯૦ જેટલા ખેડૂત સંગઠનોએ ગામડાબંધનું એલાન જાહેર કરી દિધૂ છે અને તેના કારણે વધૂ એક વખત ખેડૂત આંદોલન ભડકે તેવા એંધાણ પ્રર્વતમાન થયા છે અને પંજાબના શહેરોમાં ખાદ્ય-વસ્તુના પુરવઠાની અછતનો ભય દેખાઇ રહ્યો છે. બંધ દરમિયાન ૬ જૂને મધ્યપ્રદેશના મંડણેરમાં માર્યા ગયેલ ૬ ખેડૂતોના આત્માની શાંતિ માટે હવન તથા શ્રદ્ધાંજલી સભા થશે અને ૧૦ જૂને ભારત બંધનું એલાન અપાશે. સંઘના કોર કમીટીના સભ્ય ગુરૂનામસિંહ ચઢ્ઢનીએ ઉમેર્યું હતું કે આજે પણ દેવા હેઠળ ડૂબેલા ખેડૂતો આપઘાત કરી રહ્યા છે સરકારે ર૦૧૩ થી ૧૬ દરમિયાન રર મૂડીપતિઓના ૧૭ લાખ કરોડનું કર્જ માફ કરી દિધૂ હતું અને ખેડુતોના ૧ર.૬૦ લાખ કરોડ માફ નથી કરતી ખેડૂતો સાથે છેતરપીંડી થઇ રહી છે.
- મા આશાપુરા ન્યુઝ,
ભુજ કચ્છ , ભારત.
94287 48643 વોટ્સએપ,
97252 06123 - 37,
72260 06124 - 33,
Youtube : maa news live,
Android app : maa news.
Blog : maanewslive. blogspot. com
Facebook : maa news live page /
group
Twitter : @jaymalsinhB
Email : jaymalsinhjadeja@gmail.com
Comments
Post a Comment