જોધપુર: વીસ વર્ષ જૂના કાળિયારના શિકાર મામલે જોધપુરની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે આજે અભિનેતા સલમાન ખાનને દોષી જાહેર કર્યો છે. આ મામલે સલમાનને 5 વર્ષની જેલ અને 10 હજાર રૂપિયાના દંડની સજા સંભળાવવામાં આવી છે. કોર્ટથી સલમાનને સીધો જોધપુરની સેન્ટ્રલ જેલમાં મોકલવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આસારામ બાપુ પણ સગીરા સાથે બળાત્કારના મામલે જોધપુરની જેલમાં છેલ્લાં 5 વર્ષથી સજા કાપી રહ્યા છે. તેઓ 2013થી જોધપુરની જેલમાં બંધ છે. જોધપુર જેલની બેરેક -1 માં સલમાન ખાનને રાખવામાં આવશે, જ્યારે આસારામ બાપુ બેરેક -2માં બંધ છે. બંને જેલમાં પાડોશીઓ બનશે.
કેમ્પ એરીયામાં જફાર રમજુ થેબાની હત્યા.. (મૃતક જફાર ની ફાઇલ તસ્વીર) અવારનવાર ભુજના ભીડ ફળીયા અને કેમ્પ એરિયામાં હત્યા અને હુમલાના બનાવો બનતા હોય છે. ગુન્હાખોરીનો ગ્રાફ આ વિસ્તારમાં કાયમ ઉંચકાયેલો જોવા મળે છે ત્યારે આજે (૨૨-૧) કેમ્પ એરિયામાં જફાર રમજુ થેબાની હત્યા થઇ હતી. જફારને છરી મારનાર સિકંદર અનવર લાખા નામનો વ્યક્તિ હોવાનું બહાર આવ્યું છે. વધુ વિગતો પોલીસ તપાસ બાદ બહાર આવશે. અહેવાલ અને તસ્વીર-કિરણ ગોરી (હત્યા થઈ તે સ્થળ)
Comments
Post a Comment