સુરત પોલીસ કમિશનર દ્વારા મીડિયા પર પ્રતિબંધ લગાવતો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો પરંતુ આ પરિપત્રના વિરોધ કરતા સુરત મીડિયા વેલ્ફેર એશોસિએશન દ્વારા વડાપ્રધાન, ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રી, ગૃહ મંત્રી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, નવસારીના સાંસદ સી. આર. પાટીલ, સુરતના સાંસદ દર્શનાબેન જરદોશને ટ્વીટ કરી ફરિયાદ કરવામાં આવી હતી. તેથી પોલીસ કમિશનર સતીશ શર્માએ મીડિયા કર્મચારીઓના પ્રતિનિધિમંડળ સાથે વાત કરવા માટે પોલીસ કમિશનર કચેરી પર બોલાવ્યા હતા ત્યાં પોલીસ કમિશનરે મીડિયાના પ્રતિનિધિઓ સાથે વાતચીત કરતા કહ્યું કે મીડિયા અંગે અગાઉ પ્રતિબંધ વિશેનો પરિપત્ર રદ કરવામાં આવ્યો છે. હવે પોલીસ સ્ટેશનમાં ધરપકડ અથવા લોકઅપમાં રાખવામાં આવેલા આરોપીની ગેરકાયદેસર ફોટોગ્રાફી કે વીડિયોગ્રાફી કરવા દેવામાં આવશે નહિ. જ્યારે કોઈ ઘટના બની હોય તો ગુનાના સ્થળ પર મીડિયાકર્મીઓને પુરાવાનું નુકસાન ન થાય તે રીતે કવરેજ કરવા દેવાની વ્યવસ્થા ગોઠવવાનો હુકમ કરવામાં આવ્યો છે.
સુરત પોલીસ કમિશનર દ્વારા મીડિયા પર પ્રતિબંધ લગાવતો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો પરંતુ આ પરિપત્રના વિરોધ કરતા સુરત મીડિયા વેલ્ફેર એશોસિએશન દ્વારા વડાપ્રધાન, ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રી, ગૃહ મંત્રી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, નવસારીના સાંસદ સી. આર. પાટીલ, સુરતના સાંસદ દર્શનાબેન જરદોશને ટ્વીટ કરી ફરિયાદ કરવામાં આવી હતી. તેથી પોલીસ કમિશનર સતીશ શર્માએ મીડિયા કર્મચારીઓના પ્રતિનિધિમંડળ સાથે વાત કરવા માટે પોલીસ કમિશનર કચેરી પર બોલાવ્યા હતા ત્યાં પોલીસ કમિશનરે મીડિયાના પ્રતિનિધિઓ સાથે વાતચીત કરતા કહ્યું કે મીડિયા અંગે અગાઉ પ્રતિબંધ વિશેનો પરિપત્ર રદ કરવામાં આવ્યો છે. હવે પોલીસ સ્ટેશનમાં ધરપકડ અથવા લોકઅપમાં રાખવામાં આવેલા આરોપીની ગેરકાયદેસર ફોટોગ્રાફી કે વીડિયોગ્રાફી કરવા દેવામાં આવશે નહિ. જ્યારે કોઈ ઘટના બની હોય તો ગુનાના સ્થળ પર મીડિયાકર્મીઓને પુરાવાનું નુકસાન ન થાય તે રીતે કવરેજ કરવા દેવાની વ્યવસ્થા ગોઠવવાનો હુકમ કરવામાં આવ્યો છે.
Comments
Post a Comment