નીરવ મોદી બેંક લોન મહાકૌભાંડ પછી રાષ્ટ્રીકૃત બેંક તરફથી હીરા ઉદ્યોગકારોને લોન આપવા મનાઇ ફરમાવામાં આવી રહી છે. ત્યારે ધી જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ દ્વારા રાજ્ય અને કેન્દ્ર સરકાર સહિત શહેરના સાંસદને વિવિધ માગણીઓની રજૂઆત કરશે. એક્ઝિબિશનમાં ભાગ લેનારા એસએમઇ ઉદ્યોગકારોને મર્યાદિત લાભ મહિના અગાઉ નીરવ મોદી દ્વારા કરવામાં આવેલા બેંક લોન મહાકૌભાંડ બાદ ડાયમંડ ઉદ્યોગને શંકાની નજરથી જોવાઈ રહી છે. નાના ઉદ્યોગકારોને પણ લોન મેળવવામાં વલખાં મારવાં પડે છે. એલઓસી અને એલઓયુ આપવા આરબીઆઇએ કરેલા ઇનકાર બાદ તો બેંકો તરફથી ટર્મ લોન પણ મળવી મુશ્કેલ થઇ ચૂકી છે. ખાનગી બેંકો પાસેથી લોન મંજૂર થતી હોય છે, પરંતુ વ્યાજ દરનો બોજ નાના ઉદ્યોગકારો વેઠી શકે તેમ નથી. જેને પગલે ધી જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (જીજેઇપીસી) દ્વારા રાજ્ય અને કેન્દ્ર સરકારને રજૂઆત કરવાનું નક્કી કરાયું છે.
કેમ્પ એરીયામાં જફાર રમજુ થેબાની હત્યા.. (મૃતક જફાર ની ફાઇલ તસ્વીર) અવારનવાર ભુજના ભીડ ફળીયા અને કેમ્પ એરિયામાં હત્યા અને હુમલાના બનાવો બનતા હોય છે. ગુન્હાખોરીનો ગ્રાફ આ વિસ્તારમાં કાયમ ઉંચકાયેલો જોવા મળે છે ત્યારે આજે (૨૨-૧) કેમ્પ એરિયામાં જફાર રમજુ થેબાની હત્યા થઇ હતી. જફારને છરી મારનાર સિકંદર અનવર લાખા નામનો વ્યક્તિ હોવાનું બહાર આવ્યું છે. વધુ વિગતો પોલીસ તપાસ બાદ બહાર આવશે. અહેવાલ અને તસ્વીર-કિરણ ગોરી (હત્યા થઈ તે સ્થળ)
Comments
Post a Comment