જોધપુરના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે સુપર સ્ટાર સલમાન ખાનને 1998માં રાજસ્થાનના કાંકાણી ગામમાં કાળિયારના ગેરકાયદે શિકાર કરવા બદલ દોષી ઠરાવીને બે વર્ષની જેલની સજા જાહેર કરી હતી. સરકારી વકીલે સતત એવી દલીલ કરી હતી કે અગાઉ સલમાનને બે નીચલી કોર્ટે ગુનેગાર જાહેર કર્યો હતો એટલે એ રીઢો ગુનેગાર કહેવાય માટે એને છ વર્ષની જેલની સજા કરવી. સલમાનના વકીલે એવી દલીલ કરી હતી કે સલમાનને ઉપલી અદાલતોએ નિર્દોષ જાહેર કર્યો હતો એટલે એ રીઢો ગુનેગાર કહેવાય નહીં. એ અચ્છો ઇન્સાન છે અને સમાજ સેવા પણ કરે છે. માટે એને ઓછી સજા કરવાની અમારી વિનંતી છે.
બંને પક્ષની સજાની દલીલો પૂરી થયા બાદ જજસાહેબ પોતાની ચેમ્બરમાં ગયા હતા અને શાંતિથી વિચાર કર્યા બાદ બહાર આવ્યા એ દરમિયાન સલમાનના વકીલે બે જામીન તેડાવીને તૈયાર રાખ્યા હતા.કદાચ એમને ખ્યાલ આવી ગયો હતો કે જજસાહેબના ગળે અમારી દલીલ ઊતરી છે અને સલમાનને બહુ ભારે સજા નહીં થાય. સજા જાહેર થયા બાદ સલમાન ઉદાસ દેખાયો હતો. એની સાથે કોર્ટમાં એની બંને બહેનો અર્પિતા અને અલવીરા હાજર હતી. સલમાન સિવાયના બાકીના તમામ કલાકાર સૈફ અલી ખાન, નીલમ, સોનાલી અને તબુને કોર્ટે શંકાનો લાભ આપીને મુક્ત કર્યા હતા.
બંને પક્ષની સજાની દલીલો પૂરી થયા બાદ જજસાહેબ પોતાની ચેમ્બરમાં ગયા હતા અને શાંતિથી વિચાર કર્યા બાદ બહાર આવ્યા એ દરમિયાન સલમાનના વકીલે બે જામીન તેડાવીને તૈયાર રાખ્યા હતા.કદાચ એમને ખ્યાલ આવી ગયો હતો કે જજસાહેબના ગળે અમારી દલીલ ઊતરી છે અને સલમાનને બહુ ભારે સજા નહીં થાય. સજા જાહેર થયા બાદ સલમાન ઉદાસ દેખાયો હતો. એની સાથે કોર્ટમાં એની બંને બહેનો અર્પિતા અને અલવીરા હાજર હતી. સલમાન સિવાયના બાકીના તમામ કલાકાર સૈફ અલી ખાન, નીલમ, સોનાલી અને તબુને કોર્ટે શંકાનો લાભ આપીને મુક્ત કર્યા હતા.
Comments
Post a Comment