ડોકલામ સૈન્ય ગતિરોધ બાદ ચીને પોતાના તેવરોમાં નરમાશ દાખવતા ભારતીય સેના સાથે યુદ્ધાભ્યાસનો પ્રસ્તાવ મોકલ્યો છે. આ યુદ્ધાભ્યાસને ચીને ડોકલામ સૈન્ય ગતિરોધ પહેલા કોઈપણ કારણ જણાવ્યા વગર સ્થગિત કર્યો હતો. પરંતુ હવે સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમનના ચીન પ્રવાસ પહેલા બીજિંગનું વલણ પરિવર્તનના સંકેત આપી રહ્યું છે. આગામી સપ્તાહે સીતારમન બીજિંગની મુલાકાતે જવાના છે. ચીને પોતાના સત્તાવાર પ્રસ્તાવમાં કહ્યું છે કે બંને દેશોની સેનાઓ આ વર્ષના આખર સુધીમાં કોઈપણ સમયગાળામાં સંયુક્ત સૈન્યાભ્યાસ કરી શકે છે. 24 એપ્રિલે સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમન શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનમાં ભાગ લેવા માટે બીજિંગમાં હશે. આના સંદર્ભે તેઓ ચીનના સંરક્ષણ પ્રધાન વેઈ ફેંધે સાથે પણ વાતચીત કરે તેવી શક્યતા છે. એસસીઓના વિદેશ પ્રધાનોની બેઠકમાં ભાગ લેવા માટે સુષ્મા સ્વરાજ પણ બીજિંગ જવાના છે.
હાલ બંને દેશોના વાર્ષિક યુદ્ધાભ્યાસને સ્થગિત કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે દર વર્ષની શરૂઆતમાં બંને દેશોની વચ્ચે સંરક્ષણ સચિવની બેઠકમાં સૈન્ય કવાયતનો કાર્યક્રમ નિર્ધારીત થાય છે. 2016ના આખરમાં ભારતે ચીનની સાથે 2017માં સૈન્ય અભ્યાસનો પ્રસ્તાવ આપ્યો હતો. પરંતુ ચીને આના પર કોઈ પ્રતિક્રિયા આપી ન હતી. તેને કારણે સૈન્ય કવાયતનો સમય નક્કી કરવા માટે સચિવ સ્તરની વાટાઘાટો નિર્ધારીત થઈ શકી નહીં અને જૂન-2017 સુધી ડોકલામમાં ચીનની સેના ડોકલામમાં તેનાત રહી હતી. બાદમાં આખું વર્ષ કોઈપણ વાતચીત થઈ નહીં. ડોકલામમાં 73 દિવસ લાંબા સૈન્ય ગતિરોધને કારણે બંન દેશો વચ્ચેનો તણાવ પણ ખાસ્સો વધી ગયો હતો. હવે ચીન દ્વારા સંયુક્ત સૈન્યાભ્યાસનો પ્રસ્તાવ આપવામાં આવ્યો છે. જો આ પ્રસ્તાવ પર બંને દેશોના સંરક્ષણ પ્રધાનો વચ્ચે સંમતિ બનશે. તો બાદમાં સચિવ સ્તરની વાટાઘાટો પણ થશે તથા આ બેઠકમાં યુદ્ધાભ્યાસની તારીખ પણ નક્કી થશે.
- મા આશાપુરા ન્યુઝ,
ભુજ કચ્છ , ભારત.
94287 48643 વોટ્સએપ,
97252 06123 - 37,
72260 06124 - 33,
Youtube : maa news live,
Android app : maa news.
Blog : maanewslive. blogspot. com
Facebook : maa news live page /
group
Twitter : @jaymalsinhB
Email : jaymalsinhjadeja@gmail.com
Comments
Post a Comment