Skip to main content

ફાઈનલી કોર્ટે સલમાનને ફટકારી આટલા વર્ષની સજા

અનેક અફવાઓ બાદ જોધપુર કોર્ટે ફાઈનલી કાળા હરણના શિકાર કેસમાં અભિનેતા સલમાન ખાનની સજાની જાહેરાત કરી દીધી છે. કોર્ટે સલમાન ખાનને 5 વર્ષની સજા ફટકારી છે. સલમાન ખાનને 10000 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. તેનું ધરપકડ વોરંટ પણ બની ગયું છે. સલમાનને આજે જ સેન્ટ્રલ જેલમાં જવું પડશે. 20 વર્ષ જૂના બ્લેકબક કેસમાં સલમાન ખાન દોષી જાહેર કરવામાં આવ્યો છે. આજે સલમાન ખાન સહિત સૈફ અલી ખાન, સોનાલી બેન્દ્રે, તબ્બૂ અને નીલમ જોધપુર કોર્ટમાં હાજર રહ્યા હતા. તેમના પર આરોપ હતો કે, 1998મા 1 અને 2 ઓક્ટોબરની રાત્રે આ તમામે અલગ-અલગ જગ્યાઓએ કાળા હરણનો શિકાર કર્યો હતો. જેનો ફેંસલો આવી ગયો છે. આજે જે કેસનો ચુકાદો આવ્યો છે, તે કાંકાણી ગામના બે કાળા હરણના શિકારનો છે. એવી અફવા ફેલાય હતી કે, સલમાન ખાનને 2 વર્ષની સજા કરી દેવામાં આવી છે. ઘણી ન્યૂઝ ચેનલો પર આ ખબર ચાલતી હતી

  • સલમાન ખાન દોષી જાહેર કરી દેવામાં આવ્યો છે. વન્ય જીવન સંરક્ષણની ધારા 9/11 અંતર્ગત તેને દોષી જાહેર કરવામાં આવ્યો છે.
  • સલમાન ખાન સિવાય તમામ આરોપીને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા.
  • વરિષ્ઠ વકીલનું કહેવું છે કે, સંભવ છે કે, સલમાનને ત્રણ વર્ષની સજા થઈ છે.
  • સલમાન ખાનના વકીલે કહ્યું છે કે, સલમાન ખાનની જામીન એપ્લિકેશન તૈયાર છે. ઉલ્લેખનીય છે કે, સલમાનને જો ત્રણ વર્ષથી વધુ સજા થશે તો તેને સેશન કોર્ટ જવું પડશે. જો તેનાથી ઓછી સજા થશે તો જોધપુર કોર્ટના જજ દ્વારા જ જામીન પર સુનાવણી કરવામાં આવશે.
  • સલમાનના ઘરે સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવામાં આવી.
  • સલમાન ખાન 3 કેસમાં નિર્દોષ જાહેર થયો છે, જ્યારે 1 કેસમાં દોષી સાબિત થયો છે.
  • કોર્ટ રૂમમાં સલમાનની સજા પર દલિલ ચાલુ થઈ ગઈ
  • સલમાન ખાનના વકીલ 3 વર્ષની સજાની માગ કરી રહ્યા છે.
  • કોર્ટ રૂમમાં સરકારી વકીલે કહ્યું હતું કે, સલમાન ખાન ટેવાયેલો અપરાધી છે. એટલા માટે તેને વધુમાં વધુ સજા આપવી જોઈએ. ત્યારે સલમાનના વકીલે કહ્યું હતું કે, જ્યારે તમામ આરોપી નિર્દોષ જાહેર કરાયા છે, તો સલમાનને દોષી કેમ જાહેર કરવામાં આવ્યો છે.

Comments

Popular posts from this blog

કેમ્પ એરીયામાં જફાર રમજુ થેબાની હત્યા..

કેમ્પ એરીયામાં જફાર રમજુ થેબાની હત્યા.. (મૃતક જફાર ની ફાઇલ તસ્વીર) અવારનવાર ભુજના ભીડ ફળીયા અને કેમ્પ એરિયામાં હત્યા અને હુમલાના બનાવો બનતા હોય છે. ગુન્હાખોરીનો ગ્રાફ આ વિસ્તારમાં કાયમ ઉંચકાયેલો જોવા મળે છે ત્યારે આજે (૨૨-૧) કેમ્પ એરિયામાં જફાર રમજુ થેબાની હત્યા થઇ હતી. જફારને છરી મારનાર સિકંદર અનવર લાખા નામનો વ્યક્તિ હોવાનું બહાર આવ્યું છે. વધુ વિગતો પોલીસ તપાસ બાદ બહાર આવશે. અહેવાલ અને તસ્વીર-કિરણ ગોરી (હત્યા થઈ તે સ્થળ)

બે ભાનુશાલી યુવક ઉપર સ્કોર્પિયો ચડાવી દેવાઈ : એકનું મોત

માનકુવા ભુજ હાઈવે પર અકસ્માત માં એક નું મોત, અગાઉનું મનદુઃખ કારણભુત સ્કોર્પિયો અને બાઈક વચ્ચેનો અકસ્માત  પ્રાપ્ત વિગતો મુજબ હતભાગી અર્જુન મોરારજી ભાનુશાલી ઉ.વ. ૨૨ રહે ઝૂરા અને તેનો મિત્ર પ્રભુ ભાનુશાળી ઉ.વ. ૨૫ રહે ભુજ માનકુવા થી ભુજ આવી રહ્યા હતા ત્યારે સામે થી આવી રહેલ સ્કોર્પીઓ કાર ધડાકા ભેર અથડાતા mestro સ્કુટર ચાલક અર્જુનનું ઘટના સ્થળે મોત થયું અને સાથે આવી રહેલ પ્રભુ ભાનુશાળીને ઈજાઓ થતા ભુજ ની જી.કે જનરલ હોસ્પિટલ દાખલ કરાયા છે. મૃતક અર્જુન ભાનુશાલી સ્કોર્પીઓ ચાલક અને અન્યો કાનજી, ધીરજ ભીમજી , જગદીશ, દિનેશ દેવજી તેમજ અન્યો કાર ઘટના સ્થળે છોડી અને નાસી છુટ્યા. જાણવા મળતી માહિતી મુજબ અકસ્માત માટે અગાઉં નું મનદુઃખ કારણભુત છે. ઘાયલ પ્રભુ ભાનુશાલી ઘટનાની જાણ થતાં ભાનુશાળી સમાજ સહીત નાં અન્ય આગેવાનો હોસ્પિટલ ખાતે એકઠા થયા હતા. જીકે માં એકઠા થયેલા ભાનુશાલી સમાજનાં લોકો સમપૂર્ણ વિગત માટે વાંચો : ભુજ તાલુકાના માનકુવા ગામ ખાતે આજરોજ એક ગંભીર અકસ્માત સર્જાયો હતો.જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.અને એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જાણવા મળતી વિગતો અનુસાર , ભુજ મ

દેવાંધ માણેક ગઢવીની હત્યા, શિવરાત્રીનીનાં ગૂમ થયેલ, આરોપીની અટકાયત

🖋 શિવરાત્રી નાં ગૂમ થયેલ દેવાંધ માણેક ગઢવીની લાશ બોર માંથી મળી. આરોપીની અટકાયત કરાઈ. 13 ફેબ્રુઆરી શિવરાત્રીની રાતે ભજન સાંભળવા ગયેલા અને ત્યારબાદ ગુમ થયેલા માંડવી તાલુકાનાં ભાડિયા ગામના ગઢવી દેવાંધ માણેક ની ધારીયા જેવા તીક્ષ્ણ હથિયારથી હત્યા કરાઈ છે અને આજે 6 દિવસ બાદ દેવાંધ ની લાશ વાડી વિસ્તારમાંથી એક બોર માંથી મળી આવી છે. આ ચકચારી બનાવમાં પોલીસે બે આરોપીની અટકાયત કરી છે , માંડવી પોલીસે ગઈકાલે દારૂના કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી હતી તે ખીમરાજ હરિ ગઢવી , રામ પબુ ગઢવી જ દેવાંધ નાં હત્યારા હોવાનું પ્રાથમિક તપાસમાં પોલીસ માની રહી છે , સત્તાવાર જાહેર પોલીસ કરશે , હાલ બને આરોપીઓની ઉલટ તપાસ ચાલુ છે , આ હત્યા રૂપિયાની લેતી દેતી માટે થઈ હોવાનું જાણવા મળે છે. દેવાંધ ગુમ થયા બાદ ગઢવી આજે રૂબરૂ માંડવી પોલીસે જઈ તપાસ કરવા જણાવ્યું હતું , હત્યા કયા કારણોસર કરાઈ છે અને કોણે કરી છે પોલીસ એ દિશામાં તાપસ આદરી દીધી છે. - *મા આશાપુરા ન્યુઝ* , ભુજ કચ્છ , ભારત. *94287 48643 વોટ્સએપ* , 97252 06123 - 37, 72260 06124 - 33, *Youtube* : maa news live, *Android app* : maa news. *Blog* : maanewsliv