અનેક અફવાઓ બાદ જોધપુર કોર્ટે ફાઈનલી કાળા હરણના શિકાર કેસમાં અભિનેતા સલમાન ખાનની સજાની જાહેરાત કરી દીધી છે. કોર્ટે સલમાન ખાનને 5 વર્ષની સજા ફટકારી છે. સલમાન ખાનને 10000 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. તેનું ધરપકડ વોરંટ પણ બની ગયું છે. સલમાનને આજે જ સેન્ટ્રલ જેલમાં જવું પડશે. 20 વર્ષ જૂના બ્લેકબક કેસમાં સલમાન ખાન દોષી જાહેર કરવામાં આવ્યો છે. આજે સલમાન ખાન સહિત સૈફ અલી ખાન, સોનાલી બેન્દ્રે, તબ્બૂ અને નીલમ જોધપુર કોર્ટમાં હાજર રહ્યા હતા. તેમના પર આરોપ હતો કે, 1998મા 1 અને 2 ઓક્ટોબરની રાત્રે આ તમામે અલગ-અલગ જગ્યાઓએ કાળા હરણનો શિકાર કર્યો હતો. જેનો ફેંસલો આવી ગયો છે. આજે જે કેસનો ચુકાદો આવ્યો છે, તે કાંકાણી ગામના બે કાળા હરણના શિકારનો છે. એવી અફવા ફેલાય હતી કે, સલમાન ખાનને 2 વર્ષની સજા કરી દેવામાં આવી છે. ઘણી ન્યૂઝ ચેનલો પર આ ખબર ચાલતી હતી
- સલમાન ખાન દોષી જાહેર કરી દેવામાં આવ્યો છે. વન્ય જીવન સંરક્ષણની ધારા 9/11 અંતર્ગત તેને દોષી જાહેર કરવામાં આવ્યો છે.
- સલમાન ખાન સિવાય તમામ આરોપીને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા.
- વરિષ્ઠ વકીલનું કહેવું છે કે, સંભવ છે કે, સલમાનને ત્રણ વર્ષની સજા થઈ છે.
- સલમાન ખાનના વકીલે કહ્યું છે કે, સલમાન ખાનની જામીન એપ્લિકેશન તૈયાર છે. ઉલ્લેખનીય છે કે, સલમાનને જો ત્રણ વર્ષથી વધુ સજા થશે તો તેને સેશન કોર્ટ જવું પડશે. જો તેનાથી ઓછી સજા થશે તો જોધપુર કોર્ટના જજ દ્વારા જ જામીન પર સુનાવણી કરવામાં આવશે.
- સલમાનના ઘરે સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવામાં આવી.
- સલમાન ખાન 3 કેસમાં નિર્દોષ જાહેર થયો છે, જ્યારે 1 કેસમાં દોષી સાબિત થયો છે.
- કોર્ટ રૂમમાં સલમાનની સજા પર દલિલ ચાલુ થઈ ગઈ
- સલમાન ખાનના વકીલ 3 વર્ષની સજાની માગ કરી રહ્યા છે.
- કોર્ટ રૂમમાં સરકારી વકીલે કહ્યું હતું કે, સલમાન ખાન ટેવાયેલો અપરાધી છે. એટલા માટે તેને વધુમાં વધુ સજા આપવી જોઈએ. ત્યારે સલમાનના વકીલે કહ્યું હતું કે, જ્યારે તમામ આરોપી નિર્દોષ જાહેર કરાયા છે, તો સલમાનને દોષી કેમ જાહેર કરવામાં આવ્યો છે.
Comments
Post a Comment