સરકારે જણાવ્યું હતું કે નૌસેના, ભૂમિ સેના અને વાયુસેનામાં 52 હજારથી વધારે જવાનોની ખોટ વર્તાઈ રહી છે. જેને દૂર કરવા માટે કેટલાક પગલાઓ લેવામાં આવી રહ્યા છે. રક્ષામંત્રી નિર્મલા સીતારમણે રાજ્યસભાને જણાવ્યું હતું કે ત્રણેસ સશસ્ત્ર બળોમાં કુલ 52,741 કર્મચારીઓની અછત વર્તાય છે. અમર શંકર સાબલેના એક લેખિત પ્રશ્નના ઉત્તરમાં રક્ષામંત્રીએ જણાવ્યું હતું કે ભારતીય ભૂમિસેનામાં સૌનિકોની નક્કી કરવામાં આવેલી સંખ્યા 1216247 છે. આ બળમાં હાલમાં 1194864 સૌનિકો છે અને 21383 સૌનિકોની ખોટ વર્તાઈ રહી છે. વાયુસેનામાં સૌનિકોની સંખ્યા 142529 છે જેમાંથી હાલ 127519 વાયુ સૌનિક કાર્યરત છે. આ બળમાં 15010 સૌનિકોની ખોટ છે. આ રીતે જ જળસેનામાં નક્કી કરવામાં આવેલા સૌનિકોની સંખ્યા 72562 છે, જેમાંથી 56214 જળસૌનિક કાર્યરત છે અને 16348 જળસૌનિકોની અછત છે.
સીતારમણે જણાવ્યું હતું કે સરકાર સશસ્ત્રક બળોમાં સૌનિકોની અછત દૂર કરવા માટે ઘણા કદમો ઉઠાવી રહી છે. આ અંતર્ગત દેશના પ્રત્યેક ભાગમાં ભર્તીની ઝોનની સંખ્યા વધારવામાં આવી છે અને ઓનલાઈન ભર્તી પ્રક્રિયાઓ પર પણ વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત ભરતી પ્રક્રિયાને પણ ખૂબ સરળ બનાવવામાં આવી છે અને સોશિયલ મીડિયાનો ઉપયોગ થઈ રહ્યો છે.
Comments
Post a Comment