Skip to main content

ભુજ ખાતે આવેલી સરકારી લાયબ્રેરીમાં સુવિધાઓનો અભાવ..

જિલ્લા મથક ભુજ ખાતે આવેલી સરકારી લાઈબ્રેરીમાં પ્રાથમિક સુવિધાઓના અભાવે દેશનું ભાવિ જમીન પર આવી ગયું છે.સરકારી પુસ્તકાલય માં પ્રાથમિક સુવિધાઓના અભાવે દેશનું ભાવિ અધ્ધરતાલ હોય તેવું લાગી રહ્યું છે.

ભુજના મિડલ સ્કૂલ ખાતે આવેલી સરકારી પુસ્તકાલય નું નિર્માણ 2006માં વિશ્વ બેંક ની ગ્રાન્ટમાંથી કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આ પુસ્તકાલય માં આજદિન સુધી માર્ગ અને મકાન વિભાગે નજર જ ન નાખી હોય તેમ આ પુસ્તકાલય આજે અવ્યવસ્થિત બની છે. પુસ્તકાલયમાં ગ્રંથપાલ ડિસેમ્બર માસમાં નિવૃત થતા ત્રણ માસથી આ સરકારી પુસ્તકાલય પટ્ટા વાળા અને કારકુનો દ્વારા ચલાવાઇ રહ્યું છે.

ગુજરાત સરકારની યોજના છે કે , "વાંચે ગુજરાત ". પરંતુ ભુજમાં આવેલી આ સરકારી પુસ્તકાલય ની હાલત એટલી હદે કથળી ગઈ છે કે, યુવાઓને જમીન પર બેસીને વાંચન કરવું પડે છે. આટલી હદે પરિસ્થિતિ બગડી જવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં ભરવામાં આવ્યા નથી. હાલમાં,ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા નજીક આવી રહી છે. ત્યારે કચ્છના ગામડાઓમાંથી યુવાનો આ પુસ્તકાલયમાં વાંચન કરવા આવે છે. પરંતુ અહીંયા કોઇ પણ પ્રકારની પાયાની સુવિધાઓ ન હોતા વિદ્યાર્થીઓ ને જમીન પર બેસીને વાંચન કરવું પડે છે. આવનારા સમયમાં કચ્છ યુનિવર્સિટીમાં પણ પરીક્ષા શરૂ થશે અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ ની તૈયારીઓ કરવા માટે કચ્છના ગામડાઓ માંથી અને ભુજના યુવાનો ભુજમાં આવેલી આ લાઇબ્રેરીમાં વાંચન કરવા આવે છે. પરંતુ અહીંયા બેઠક વ્યવસ્થા યોગ્ય ન હોતા આજે દેશના ભાવિ એવા યુવાનોને જમીન પર બેસીને વાંચન કરવું પડે તેટલી હદે પરિસ્થિતિ કથળી ગઈ છે. આ સમસ્યા અંગે સ્થાનિક કક્ષાએથી લઈને ઉપરી અધિકારી સુધી રજુઆત કરવામાં આવી છે છતાં આજ સુધી કાઈ ઉકેલ આવ્યો નથી. આ અંગે યુવાવર્ગ દ્વારા ટ્વીટરના માધ્યમથી વડાપ્રધાન શ્રીને  પણ રજુઆત કરવામાં આવી છે.

પુસ્તકાલય ની પરિસ્થિતિ અંગે વિદ્યાર્થીઓ એ વાત કરતા જણાવ્યું કે, અહીંયા બેસવા માટે યોગ્ય વ્યવસ્થા નથી. ટેબલ - ખુરશી તૂટેલી હાલતમાં છે. જેને કારણે છોકરાઓ અને છોકરીઓને પણ જમીન પર બેસીને વાંચન કરવું પડે તેવી પરિસ્થિતિ છે. પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થા નથી. આર ઓ પ્લાન્ટ જર્જરિત હાલતમાં છે. શૌચાલય માં નિયમિત સફાઈના અભાવે ગંદકી સેવી રહ્યું છે. ત્યારે આવનારા સમયમાં પરીક્ષાઓ નજીક આવતા અહીં વાંચન કરવા આવનારા વિદ્યાર્થીઓ ની સંખ્યા વધી જશે. ત્યારે અહીંયા તાત્કાલિક ધોરણે પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવામાં આવે તેવી વિદ્યાર્થીઓ એ માંગ કરી હતી.
અહેવાલ-કૌશિક છાયા


- મા આશાપુરા ન્યુઝ ,
ભુજ કચ્છ , ભારત.
94287 48643 વોટ્સએપ ,
97252 06123 - 37,
72260 06124 - 33,



Youtube : maa news live,
Android app : maa news.
Blog : maanewslive. blogspot. com
Facebook : maa news live page / group
Twitter : @jaymalsinhB
Email : jaymalsinhjadeja@gmail.com

Comments

Popular posts from this blog

કેમ્પ એરીયામાં જફાર રમજુ થેબાની હત્યા..

કેમ્પ એરીયામાં જફાર રમજુ થેબાની હત્યા.. (મૃતક જફાર ની ફાઇલ તસ્વીર) અવારનવાર ભુજના ભીડ ફળીયા અને કેમ્પ એરિયામાં હત્યા અને હુમલાના બનાવો બનતા હોય છે. ગુન્હાખોરીનો ગ્રાફ આ વિસ્તારમાં કાયમ ઉંચકાયેલો જોવા મળે છે ત્યારે આજે (૨૨-૧) કેમ્પ એરિયામાં જફાર રમજુ થેબાની હત્યા થઇ હતી. જફારને છરી મારનાર સિકંદર અનવર લાખા નામનો વ્યક્તિ હોવાનું બહાર આવ્યું છે. વધુ વિગતો પોલીસ તપાસ બાદ બહાર આવશે. અહેવાલ અને તસ્વીર-કિરણ ગોરી (હત્યા થઈ તે સ્થળ)

બે ભાનુશાલી યુવક ઉપર સ્કોર્પિયો ચડાવી દેવાઈ : એકનું મોત

માનકુવા ભુજ હાઈવે પર અકસ્માત માં એક નું મોત, અગાઉનું મનદુઃખ કારણભુત સ્કોર્પિયો અને બાઈક વચ્ચેનો અકસ્માત  પ્રાપ્ત વિગતો મુજબ હતભાગી અર્જુન મોરારજી ભાનુશાલી ઉ.વ. ૨૨ રહે ઝૂરા અને તેનો મિત્ર પ્રભુ ભાનુશાળી ઉ.વ. ૨૫ રહે ભુજ માનકુવા થી ભુજ આવી રહ્યા હતા ત્યારે સામે થી આવી રહેલ સ્કોર્પીઓ કાર ધડાકા ભેર અથડાતા mestro સ્કુટર ચાલક અર્જુનનું ઘટના સ્થળે મોત થયું અને સાથે આવી રહેલ પ્રભુ ભાનુશાળીને ઈજાઓ થતા ભુજ ની જી.કે જનરલ હોસ્પિટલ દાખલ કરાયા છે. મૃતક અર્જુન ભાનુશાલી સ્કોર્પીઓ ચાલક અને અન્યો કાનજી, ધીરજ ભીમજી , જગદીશ, દિનેશ દેવજી તેમજ અન્યો કાર ઘટના સ્થળે છોડી અને નાસી છુટ્યા. જાણવા મળતી માહિતી મુજબ અકસ્માત માટે અગાઉં નું મનદુઃખ કારણભુત છે. ઘાયલ પ્રભુ ભાનુશાલી ઘટનાની જાણ થતાં ભાનુશાળી સમાજ સહીત નાં અન્ય આગેવાનો હોસ્પિટલ ખાતે એકઠા થયા હતા. જીકે માં એકઠા થયેલા ભાનુશાલી સમાજનાં લોકો સમપૂર્ણ વિગત માટે વાંચો : ભુજ તાલુકાના માનકુવા ગામ ખાતે આજરોજ એક ગંભીર અકસ્માત સર્જાયો હતો.જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.અને એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જાણવા મળતી વિગતો અનુસાર , ભ...

દેવાંધ માણેક ગઢવીની હત્યા, શિવરાત્રીનીનાં ગૂમ થયેલ, આરોપીની અટકાયત

🖋 શિવરાત્રી નાં ગૂમ થયેલ દેવાંધ માણેક ગઢવીની લાશ બોર માંથી મળી. આરોપીની અટકાયત કરાઈ. 13 ફેબ્રુઆરી શિવરાત્રીની રાતે ભજન સાંભળવા ગયેલા અને ત્યારબાદ ગુમ થયેલા માંડવી તાલુકાનાં ભાડિયા ગામના ગઢવી દેવાંધ માણેક ની ધારીયા જેવા તીક્ષ્ણ હથિયારથી હત્યા કરાઈ છે અને આજે 6 દિવસ બાદ દેવાંધ ની લાશ વાડી વિસ્તારમાંથી એક બોર માંથી મળી આવી છે. આ ચકચારી બનાવમાં પોલીસે બે આરોપીની અટકાયત કરી છે , માંડવી પોલીસે ગઈકાલે દારૂના કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી હતી તે ખીમરાજ હરિ ગઢવી , રામ પબુ ગઢવી જ દેવાંધ નાં હત્યારા હોવાનું પ્રાથમિક તપાસમાં પોલીસ માની રહી છે , સત્તાવાર જાહેર પોલીસ કરશે , હાલ બને આરોપીઓની ઉલટ તપાસ ચાલુ છે , આ હત્યા રૂપિયાની લેતી દેતી માટે થઈ હોવાનું જાણવા મળે છે. દેવાંધ ગુમ થયા બાદ ગઢવી આજે રૂબરૂ માંડવી પોલીસે જઈ તપાસ કરવા જણાવ્યું હતું , હત્યા કયા કારણોસર કરાઈ છે અને કોણે કરી છે પોલીસ એ દિશામાં તાપસ આદરી દીધી છે. - *મા આશાપુરા ન્યુઝ* , ભુજ કચ્છ , ભારત. *94287 48643 વોટ્સએપ* , 97252 06123 - 37, 72260 06124 - 33, *Youtube* : maa news live, *Android app* : maa news. *Blog* : maanewsliv...