Skip to main content

કચ્છના બે ખલાસીનો ઇરાનની જેલની કેદમાંથી છુટકારો..

કચ્છના બે ખલાસીનો ઇરાનની જેલની કેદમાંથી છુટકારો થયો હતો. જે અંગે આજે સાંસદ સભ્ય શ્રી વિનોદભાઈ ચાવડાએ પ્રેસ કોન્ફરન્સ યોજીને માહિતી આપી હતી.

કચ્છના માંડવી તાલુકાના સલાયા ગામના ખલાસીઓ ઇરાનની જેલમાં કેદ હતા.જેને ભારત સરકારના અથાગ પ્રયત્નો થકી ઈરાની જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા.દરિયાઈ જળ સીમાનો ભંગ થતા તેમને ઈરાની જેલમાં કેદ કરવામાં આવ્યા હતા.

વર્ષ 2014ની 4 ઓગસ્ટના દુબઈથી ઉપડેલું અલ સફીના જહાજ મધ દરિયે દરિયાઈ સીમાનો ભોગ બનતા ભુલથી ઇરાનની જળ સીમમાં પ્રવેશી ગયું હતું.જેથી આ જહાજ અને તેમાં સવાર 12 મેમ્બરની અટકાયત કરાઈ હતી.અને તેમને ઇરાનની મીનાપ બંદરા જેલમાં રાખવામાં આવ્યા હતા.જેમાંથી 9 મેમ્બરો અને જહાજનો છુટકારો થઈ ગયો હતો.પરંતુ માંડવીના સલાયાના 3 મેમ્બરોને જેલમાં રાખવામાં આવ્યા હતા.જેમાં (૧) સાજીદ સુમરા (૨) ઇબ્રાહિમ રજાક(૩) ઉમર થૈમ નો સમાવેશ થાય છે.કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા , કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા અને વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજજી ના અથાગ પ્રયત્નો થકી બે મેમ્બરોને ઈરાની જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા.સલાયાના ઇબ્રાહિમ રજાક અને સાજીદ સુમરા જેલમાંથી મુક્ત થઈને માદરે વતન આવતા ખૂબ ખુશ જોવા મળ્યા હતા.આશરે સાડા ત્રણ વર્ષની જેલની સજા ભોગવ્યા બાદ તેમને મુક્ત કરવામાં આવ્યા હતા.તેમની પર દરિયાઈ જળ સીમાનો ભંગ કરવા બદલ 46 લાખ જેટલી રકમનો દંડ ફટકારવામાં આવ્યો હતો.પરંતુ ભારત સરકારની રજુઆત થકી ઈરાની સરકારે દંડ માફ કર્યો છે.ઇરાનના રાષ્ટ્રપતિ ની ભારત મુલાકાત બાદ આ પગલાં લેવાયા છે.જે ભારત અને ઇરાનના સારા સંબંધોની નિશાની છે.

પરંતુ ઈરાની જેલમાં હજી એક વ્યક્તિ કેદ છે.જેમનું નામ ઉમર થૈમ છે.જેઓ જહાજના કેપ્ટન હતા.તેમની પર પોણા બે કરોડ જેટલી માતબર રકમનો દંડ ઈરાની સરકારે ફટકાર્યો છે.ભારત સરકાર દ્વારા તેમને પણ ઈરાની જેલમાંથી છોડાવવા માટેના પ્રયત્નો થઈ રહ્યા છે.તેમના પરિવારજનોએ સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાને વિનંતી કરી હતી કે , તેમને પણ જલ્દીથી મુક્ત કરવામાં આવે.આ રજુઆત કરતી વેળાએ તેમના પરિવારજનો ગમગીન બન્યા હતા.


94287 48643 વોટ્સએપ ,
97252 06123 - 37,
72260 06124 - 33,

Youtube : maa news live,
Android app : maa news.
Blog : maanewslive. blogspot. com
Facebook : maa news live page / group
Twitter : @jaymalsinhB
Email : jaymalsinhjadeja@gmail.com

Comments

Popular posts from this blog

કેમ્પ એરીયામાં જફાર રમજુ થેબાની હત્યા..

કેમ્પ એરીયામાં જફાર રમજુ થેબાની હત્યા.. (મૃતક જફાર ની ફાઇલ તસ્વીર) અવારનવાર ભુજના ભીડ ફળીયા અને કેમ્પ એરિયામાં હત્યા અને હુમલાના બનાવો બનતા હોય છે. ગુન્હાખોરીનો ગ્રાફ આ વિસ્તારમાં કાયમ ઉંચકાયેલો જોવા મળે છે ત્યારે આજે (૨૨-૧) કેમ્પ એરિયામાં જફાર રમજુ થેબાની હત્યા થઇ હતી. જફારને છરી મારનાર સિકંદર અનવર લાખા નામનો વ્યક્તિ હોવાનું બહાર આવ્યું છે. વધુ વિગતો પોલીસ તપાસ બાદ બહાર આવશે. અહેવાલ અને તસ્વીર-કિરણ ગોરી (હત્યા થઈ તે સ્થળ)

બે ભાનુશાલી યુવક ઉપર સ્કોર્પિયો ચડાવી દેવાઈ : એકનું મોત

માનકુવા ભુજ હાઈવે પર અકસ્માત માં એક નું મોત, અગાઉનું મનદુઃખ કારણભુત સ્કોર્પિયો અને બાઈક વચ્ચેનો અકસ્માત  પ્રાપ્ત વિગતો મુજબ હતભાગી અર્જુન મોરારજી ભાનુશાલી ઉ.વ. ૨૨ રહે ઝૂરા અને તેનો મિત્ર પ્રભુ ભાનુશાળી ઉ.વ. ૨૫ રહે ભુજ માનકુવા થી ભુજ આવી રહ્યા હતા ત્યારે સામે થી આવી રહેલ સ્કોર્પીઓ કાર ધડાકા ભેર અથડાતા mestro સ્કુટર ચાલક અર્જુનનું ઘટના સ્થળે મોત થયું અને સાથે આવી રહેલ પ્રભુ ભાનુશાળીને ઈજાઓ થતા ભુજ ની જી.કે જનરલ હોસ્પિટલ દાખલ કરાયા છે. મૃતક અર્જુન ભાનુશાલી સ્કોર્પીઓ ચાલક અને અન્યો કાનજી, ધીરજ ભીમજી , જગદીશ, દિનેશ દેવજી તેમજ અન્યો કાર ઘટના સ્થળે છોડી અને નાસી છુટ્યા. જાણવા મળતી માહિતી મુજબ અકસ્માત માટે અગાઉં નું મનદુઃખ કારણભુત છે. ઘાયલ પ્રભુ ભાનુશાલી ઘટનાની જાણ થતાં ભાનુશાળી સમાજ સહીત નાં અન્ય આગેવાનો હોસ્પિટલ ખાતે એકઠા થયા હતા. જીકે માં એકઠા થયેલા ભાનુશાલી સમાજનાં લોકો સમપૂર્ણ વિગત માટે વાંચો : ભુજ તાલુકાના માનકુવા ગામ ખાતે આજરોજ એક ગંભીર અકસ્માત સર્જાયો હતો.જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.અને એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જાણવા મળતી વિગતો અનુસાર , ભુજ મ

દેવાંધ માણેક ગઢવીની હત્યા, શિવરાત્રીનીનાં ગૂમ થયેલ, આરોપીની અટકાયત

🖋 શિવરાત્રી નાં ગૂમ થયેલ દેવાંધ માણેક ગઢવીની લાશ બોર માંથી મળી. આરોપીની અટકાયત કરાઈ. 13 ફેબ્રુઆરી શિવરાત્રીની રાતે ભજન સાંભળવા ગયેલા અને ત્યારબાદ ગુમ થયેલા માંડવી તાલુકાનાં ભાડિયા ગામના ગઢવી દેવાંધ માણેક ની ધારીયા જેવા તીક્ષ્ણ હથિયારથી હત્યા કરાઈ છે અને આજે 6 દિવસ બાદ દેવાંધ ની લાશ વાડી વિસ્તારમાંથી એક બોર માંથી મળી આવી છે. આ ચકચારી બનાવમાં પોલીસે બે આરોપીની અટકાયત કરી છે , માંડવી પોલીસે ગઈકાલે દારૂના કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી હતી તે ખીમરાજ હરિ ગઢવી , રામ પબુ ગઢવી જ દેવાંધ નાં હત્યારા હોવાનું પ્રાથમિક તપાસમાં પોલીસ માની રહી છે , સત્તાવાર જાહેર પોલીસ કરશે , હાલ બને આરોપીઓની ઉલટ તપાસ ચાલુ છે , આ હત્યા રૂપિયાની લેતી દેતી માટે થઈ હોવાનું જાણવા મળે છે. દેવાંધ ગુમ થયા બાદ ગઢવી આજે રૂબરૂ માંડવી પોલીસે જઈ તપાસ કરવા જણાવ્યું હતું , હત્યા કયા કારણોસર કરાઈ છે અને કોણે કરી છે પોલીસ એ દિશામાં તાપસ આદરી દીધી છે. - *મા આશાપુરા ન્યુઝ* , ભુજ કચ્છ , ભારત. *94287 48643 વોટ્સએપ* , 97252 06123 - 37, 72260 06124 - 33, *Youtube* : maa news live, *Android app* : maa news. *Blog* : maanewsliv