કચ્છના બે ખલાસીનો ઇરાનની જેલની કેદમાંથી છુટકારો થયો હતો. જે અંગે આજે સાંસદ સભ્ય શ્રી વિનોદભાઈ ચાવડાએ પ્રેસ કોન્ફરન્સ યોજીને માહિતી આપી હતી.
કચ્છના માંડવી તાલુકાના સલાયા ગામના ખલાસીઓ ઇરાનની જેલમાં કેદ હતા.જેને ભારત સરકારના અથાગ પ્રયત્નો થકી ઈરાની જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા.દરિયાઈ જળ સીમાનો ભંગ થતા તેમને ઈરાની જેલમાં કેદ કરવામાં આવ્યા હતા.વર્ષ 2014ની 4 ઓગસ્ટના દુબઈથી ઉપડેલું અલ સફીના જહાજ મધ દરિયે દરિયાઈ સીમાનો ભોગ બનતા ભુલથી ઇરાનની જળ સીમમાં પ્રવેશી ગયું હતું.જેથી આ જહાજ અને તેમાં સવાર 12 મેમ્બરની અટકાયત કરાઈ હતી.અને તેમને ઇરાનની મીનાપ બંદરા જેલમાં રાખવામાં આવ્યા હતા.જેમાંથી 9 મેમ્બરો અને જહાજનો છુટકારો થઈ ગયો હતો.પરંતુ માંડવીના સલાયાના 3 મેમ્બરોને જેલમાં રાખવામાં આવ્યા હતા.જેમાં (૧) સાજીદ સુમરા (૨) ઇબ્રાહિમ રજાક(૩) ઉમર થૈમ નો સમાવેશ થાય છે.કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા , કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા અને વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજજી ના અથાગ પ્રયત્નો થકી બે મેમ્બરોને ઈરાની જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા.સલાયાના ઇબ્રાહિમ રજાક અને સાજીદ સુમરા જેલમાંથી મુક્ત થઈને માદરે વતન આવતા ખૂબ ખુશ જોવા મળ્યા હતા.આશરે સાડા ત્રણ વર્ષની જેલની સજા ભોગવ્યા બાદ તેમને મુક્ત કરવામાં આવ્યા હતા.તેમની પર દરિયાઈ જળ સીમાનો ભંગ કરવા બદલ 46 લાખ જેટલી રકમનો દંડ ફટકારવામાં આવ્યો હતો.પરંતુ ભારત સરકારની રજુઆત થકી ઈરાની સરકારે દંડ માફ કર્યો છે.ઇરાનના રાષ્ટ્રપતિ ની ભારત મુલાકાત બાદ આ પગલાં લેવાયા છે.જે ભારત અને ઇરાનના સારા સંબંધોની નિશાની છે.
પરંતુ ઈરાની જેલમાં હજી એક વ્યક્તિ કેદ છે.જેમનું નામ ઉમર થૈમ છે.જેઓ જહાજના કેપ્ટન હતા.તેમની પર પોણા બે કરોડ જેટલી માતબર રકમનો દંડ ઈરાની સરકારે ફટકાર્યો છે.ભારત સરકાર દ્વારા તેમને પણ ઈરાની જેલમાંથી છોડાવવા માટેના પ્રયત્નો થઈ રહ્યા છે.તેમના પરિવારજનોએ સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાને વિનંતી કરી હતી કે , તેમને પણ જલ્દીથી મુક્ત કરવામાં આવે.આ રજુઆત કરતી વેળાએ તેમના પરિવારજનો ગમગીન બન્યા હતા.
94287 48643 વોટ્સએપ ,
97252 06123 - 37,
72260 06124 - 33,
Youtube : maa news live,
Android app : maa news.
Blog : maanewslive. blogspot. com
Facebook : maa news live page / group
Twitter : @jaymalsinhB
Email : jaymalsinhjadeja@gmail.com
Comments
Post a Comment