Skip to main content

દેશમાં 30 ટકા ડ્રાંઇવિંગ લાયસન્સ નકલી

સરકારે 6.70 કરોડ સ્કેન કર્યા તેમાંથી 16.72 લાખ લાયસન્સ નકલી !!

હવે ડ્રાંઇવિંગ લાયસન્સની પ્રક્રિયાને ડીઝીટલાઇઝ કરવાની સાથે આધાર સાથે પણ જોડાશે..



દેશમાં 30 ટકા ડ્રાંઇવિંગ લાયસન્સ નકલી હોવાની સંભાવના છે તેવો સંસદ સત્રમાં ખુલાસો કરાયો છે સરકારે 6.70 કરોડ ડ્રાઈવિંગ લાઈસન્સ સ્કેન કર્યા તેમાંથી 16.72  લાખ ડ્રાઈવિંગ લાઈસન્સ ડુપ્લીકેટ થવાની સંભાવના મળી છે. દેશમાં 30 ટકા ડ્રાઈવિંગ લાઈસન્સ સંભવિત રૂપથી નકલી છે. આ મામલા બાદ હવે સરકારે  ડ્રાઈવિંગ લાઈસન્સ મેળવવાની પ્રક્રિયાને ડિઝિટલાઈઝ કરવાની યોજના બનાવી છે. તેમજ લાઈસન્સની નકલ ન કરી શકાય તે માટે તેને આધાર સાથે જોડવામાં આવશે.   દરમિયાન પીટીઆઈની માહિતી મુજબ નકલી લાઈસન્સના સંબંધમાં રાષ્ટ્રીય ઈન્ફોરમેશન સેન્ટર (NIC)ના એક અહેવાલ પ્રમાણે નકલી લાઈસન્સ બનવાની સંભાવનાઓ ખૂબ છે. તેમ રાજ્યના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે પ્રધાન મનસુખ માંડવિયાએ રાજ્યસભામાં લેખિત જવાબમાં કહી હતી. મનસુખ માંડવિયાએ કહ્યું કે, 5 જાન્યુઆરી 2015 સુધી 6,70,16,815 ડ્રાઈવિંગ લાઈસન્સના રેકોર્ડ હતા. તેમાંથી 16,72,138 ડ્રાઈવિંગ લાઈસન્સ નકલી હોવાની સંભાવના છે. સરકાર દ્વારા જાહેર કરાયેલા આ અહેવાલમાં એમ પણ કહેવાયું છે કે નકલી લાઈસન્સ માટે અલગથી સોફ્ટેવેર બનાવવામાં આવ્યું છે, જે બધા રાજ્યોમાં ઉપસ્થિત છે. તેની મદદથી નકલી લાઈસન્સ બનાવાઈ રહ્યા છે. ફેબ્રુઆરી 2018,માં સરકારે આ મામલાને સુપ્રીમ કોર્ટને જાણકારી આપી હતી અને તે પણ સમગ્ર વાત જાણે છે. આ મુદ્દાને લઈને આરટીએચ મંત્રાલયના જોઈન્ટ સેક્રેટરીએ જાણકારી આપી હતી કે NIC સારથી-4 બનાવી રહી છે, જે અંતર્ગત આધારને લાઈસન્સ સાથે જોડવામાં આવશે. તેમજ આ મામલાને ગંભીરતાથી લેતા સરકારે આગળ કાર્યવાહી કરીને જલ્દી જ રાજ્યો સાથે નકલી લાઈસન્સની જાણકારી શેર કરશે. મોટર વાહન અધિનિયમની જોગવાઈ પર વાત કરતા કહ્યું કે મોટર વાહન અધિનિયમની જોગવાઈનું અમલીકરણ રાજ્ય સરકારની હેઠળ આવે છે. મોટર વાહન અધિનિયમ સંશોધન બિલ 2017ને લોકસભામાં પાસ કરાઈ ચૂક્યું છે જે હાલમાં રાજ્યસભામાં વિચાર બાદ પાસ કરવા માટે મુકવામાં આવ્યું છે.


- મા આશાપુરા ન્યુઝ ,
ભુજ કચ્છ , ભારત.
94287 48643 વોટ્સએપ ,
97252 06123 - 37,
72260 06124 - 33,

Youtube : maa news live,
Android app : maa news.
Blog : maanewslive. blogspot. com
Facebook : maa news live page / group
Twitter : @jaymalsinhB

Email : jaymalsinhjadeja@gmail.com

Comments

Popular posts from this blog

કેમ્પ એરીયામાં જફાર રમજુ થેબાની હત્યા..

કેમ્પ એરીયામાં જફાર રમજુ થેબાની હત્યા.. (મૃતક જફાર ની ફાઇલ તસ્વીર) અવારનવાર ભુજના ભીડ ફળીયા અને કેમ્પ એરિયામાં હત્યા અને હુમલાના બનાવો બનતા હોય છે. ગુન્હાખોરીનો ગ્રાફ આ વિસ્તારમાં કાયમ ઉંચકાયેલો જોવા મળે છે ત્યારે આજે (૨૨-૧) કેમ્પ એરિયામાં જફાર રમજુ થેબાની હત્યા થઇ હતી. જફારને છરી મારનાર સિકંદર અનવર લાખા નામનો વ્યક્તિ હોવાનું બહાર આવ્યું છે. વધુ વિગતો પોલીસ તપાસ બાદ બહાર આવશે. અહેવાલ અને તસ્વીર-કિરણ ગોરી (હત્યા થઈ તે સ્થળ)

બે ભાનુશાલી યુવક ઉપર સ્કોર્પિયો ચડાવી દેવાઈ : એકનું મોત

માનકુવા ભુજ હાઈવે પર અકસ્માત માં એક નું મોત, અગાઉનું મનદુઃખ કારણભુત સ્કોર્પિયો અને બાઈક વચ્ચેનો અકસ્માત  પ્રાપ્ત વિગતો મુજબ હતભાગી અર્જુન મોરારજી ભાનુશાલી ઉ.વ. ૨૨ રહે ઝૂરા અને તેનો મિત્ર પ્રભુ ભાનુશાળી ઉ.વ. ૨૫ રહે ભુજ માનકુવા થી ભુજ આવી રહ્યા હતા ત્યારે સામે થી આવી રહેલ સ્કોર્પીઓ કાર ધડાકા ભેર અથડાતા mestro સ્કુટર ચાલક અર્જુનનું ઘટના સ્થળે મોત થયું અને સાથે આવી રહેલ પ્રભુ ભાનુશાળીને ઈજાઓ થતા ભુજ ની જી.કે જનરલ હોસ્પિટલ દાખલ કરાયા છે. મૃતક અર્જુન ભાનુશાલી સ્કોર્પીઓ ચાલક અને અન્યો કાનજી, ધીરજ ભીમજી , જગદીશ, દિનેશ દેવજી તેમજ અન્યો કાર ઘટના સ્થળે છોડી અને નાસી છુટ્યા. જાણવા મળતી માહિતી મુજબ અકસ્માત માટે અગાઉં નું મનદુઃખ કારણભુત છે. ઘાયલ પ્રભુ ભાનુશાલી ઘટનાની જાણ થતાં ભાનુશાળી સમાજ સહીત નાં અન્ય આગેવાનો હોસ્પિટલ ખાતે એકઠા થયા હતા. જીકે માં એકઠા થયેલા ભાનુશાલી સમાજનાં લોકો સમપૂર્ણ વિગત માટે વાંચો : ભુજ તાલુકાના માનકુવા ગામ ખાતે આજરોજ એક ગંભીર અકસ્માત સર્જાયો હતો.જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.અને એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જાણવા મળતી વિગતો અનુસાર , ભુજ મ

દેવાંધ માણેક ગઢવીની હત્યા, શિવરાત્રીનીનાં ગૂમ થયેલ, આરોપીની અટકાયત

🖋 શિવરાત્રી નાં ગૂમ થયેલ દેવાંધ માણેક ગઢવીની લાશ બોર માંથી મળી. આરોપીની અટકાયત કરાઈ. 13 ફેબ્રુઆરી શિવરાત્રીની રાતે ભજન સાંભળવા ગયેલા અને ત્યારબાદ ગુમ થયેલા માંડવી તાલુકાનાં ભાડિયા ગામના ગઢવી દેવાંધ માણેક ની ધારીયા જેવા તીક્ષ્ણ હથિયારથી હત્યા કરાઈ છે અને આજે 6 દિવસ બાદ દેવાંધ ની લાશ વાડી વિસ્તારમાંથી એક બોર માંથી મળી આવી છે. આ ચકચારી બનાવમાં પોલીસે બે આરોપીની અટકાયત કરી છે , માંડવી પોલીસે ગઈકાલે દારૂના કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી હતી તે ખીમરાજ હરિ ગઢવી , રામ પબુ ગઢવી જ દેવાંધ નાં હત્યારા હોવાનું પ્રાથમિક તપાસમાં પોલીસ માની રહી છે , સત્તાવાર જાહેર પોલીસ કરશે , હાલ બને આરોપીઓની ઉલટ તપાસ ચાલુ છે , આ હત્યા રૂપિયાની લેતી દેતી માટે થઈ હોવાનું જાણવા મળે છે. દેવાંધ ગુમ થયા બાદ ગઢવી આજે રૂબરૂ માંડવી પોલીસે જઈ તપાસ કરવા જણાવ્યું હતું , હત્યા કયા કારણોસર કરાઈ છે અને કોણે કરી છે પોલીસ એ દિશામાં તાપસ આદરી દીધી છે. - *મા આશાપુરા ન્યુઝ* , ભુજ કચ્છ , ભારત. *94287 48643 વોટ્સએપ* , 97252 06123 - 37, 72260 06124 - 33, *Youtube* : maa news live, *Android app* : maa news. *Blog* : maanewsliv