પાટણ જિલ્લામાં દલિત વ્યક્તિ દ્વારા થયેલા આત્મવિલોપન વખતે સરકારશ્રીએ સમાધાન મુજબ જે આશ્વાસનો આપ્યા હતા તેનો તાત્કાલિક ધોરણે અમલ થાય : કોંગ્રેસ
રાજ્યમાં દલિતો પર અત્યાચાર ના ગુનાઓ વધી રહ્યા છે.તે અંગે કાર્યવાહી કરીને અત્યાચારના બનાવો રોકવામાં આવે તેવી માંગ સાથે આજે ભુજની જિલ્લા કલેકટર કચેરી ખાતે કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિએ આવેદનપત્ર પાઠવ્યું હતું.કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિએ પાટણની ઘટનાને વખોડી કાઢી હતી.જેના માટે તેઓએ આજે ભુજ ખાતે પ્રતીક ધરણા પ્રદર્શન અને રેલી યોજીને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.જમીનોના કાયદેસરના હુકમ થયા હોય અને તે માટેની ભરવાપાત્ર રકમ પણ ભરપાઈ થઈ ગઈ હોય છતાં તેમને જમીનનો કબ્જો પ્રાપ્ત ન થાય તો તે રાજ્યના વહીવટીતંત્ર માટે શરમજનક બાબત કહી શકાય તેમ છે.
પાટણની કલેકટર કચેરી ખાતે આત્મવિલોપન કરનાર સ્વ.ભાનુભાઈ વણકરના આત્મવિલોપન માટે જે કોઈ અધિકારી જવાબદાર હોય તેની સામે સખ્ત કાર્યવાહી થાય.અને તેમના પરિવારજનો ને તેમની માંગણી અનુસાર ન્યાય મળે અને આવનારા દિવસોમાં આવી દયનિય ઘટના ગુજરાતમાં ન બને તે માટે સરકારશ્રી યોગ્ય પગલાં ભરે તેવી માંગણી કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા કરવામાં આવી હતી.
રાજ્યમાં દલિતો પર અત્યાચાર ના ગુનાઓ વધી રહ્યા છે.તે અંગે કાર્યવાહી કરીને અત્યાચારના બનાવો રોકવામાં આવે તેવી માંગ સાથે આજે ભુજની જિલ્લા કલેકટર કચેરી ખાતે કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિએ આવેદનપત્ર પાઠવ્યું હતું.કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિએ પાટણની ઘટનાને વખોડી કાઢી હતી.જેના માટે તેઓએ આજે ભુજ ખાતે પ્રતીક ધરણા પ્રદર્શન અને રેલી યોજીને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.જમીનોના કાયદેસરના હુકમ થયા હોય અને તે માટેની ભરવાપાત્ર રકમ પણ ભરપાઈ થઈ ગઈ હોય છતાં તેમને જમીનનો કબ્જો પ્રાપ્ત ન થાય તો તે રાજ્યના વહીવટીતંત્ર માટે શરમજનક બાબત કહી શકાય તેમ છે.
પાટણની કલેકટર કચેરી ખાતે આત્મવિલોપન કરનાર સ્વ.ભાનુભાઈ વણકરના આત્મવિલોપન માટે જે કોઈ અધિકારી જવાબદાર હોય તેની સામે સખ્ત કાર્યવાહી થાય.અને તેમના પરિવારજનો ને તેમની માંગણી અનુસાર ન્યાય મળે અને આવનારા દિવસોમાં આવી દયનિય ઘટના ગુજરાતમાં ન બને તે માટે સરકારશ્રી યોગ્ય પગલાં ભરે તેવી માંગણી કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા કરવામાં આવી હતી.
Comments
Post a Comment