Skip to main content

નહેરુ કરતાં પટેલ વધુ સારા વડાપ્રધાન હોત : મોદી

✒ તંત્રીલેખ : જવાહરલાલ નહેરુ કરતાં સરદાર પટેલ વધુ સારા વડાપ્રધાન હોત : મોદી 

(મા ન્યુઝ : શુક્રવાર , 9 ફેબ્રુઆરી )- મિત્રો તંત્રી લેખમાં આપણનું સ્વાગત છે , ૨૦૧૮ નો ફેબ્રુઆરી મહિનો હાથમાંથી સરકી રહ્યો છે , ધીમે ધીમે ૨૦૧૮ વર્ષ પણ સરકી જશે. અને આવશે ૨૦૧૯ , મિત્રો ૨૦૧૯ ભારતમાં રાજકીય ઉથલપાથલ નું વર્ષ રહેશે , કારણ લોકસભાની ચૂંટણી , અને આ ચૂંટણી મોદી અને બીજેપી ની સાખ એટલે ઈજ્જત બચાવવા માટે મતદારોને કોઈપણ સંજોગોમાં રાજી રાખવા કંઈ પણ કરશે ભાજપ.
( video : કચ્છની સૌથી વધારે ફેલાવો ધરાવતી 24 x 7 મા આશાપુરા ન્યુઝ)

રાજીવ ગાંધી બાદ કોઈ વડાપ્રધાને બહુમતી થઈ પીએમ ની ગાદી મેળવી હોય તો એમાં મોદી નું નામ આવે . લોકો પરિવર્તન ઇચ્છતા હતા , કોંગ્રેસ થી લોકો કંટાળ્યા હતા , કારણ અઝાદીથી લઈને ૨૦૧૪ સુધી અપવાદ બાદ કરતાં કેન્દ્રની ખુરશી ઉપર બેઠેલા યુપીએ નાં વડાપ્રધાન થી લોકો કંટાળ્યા હતા, અને આવ્યું પરિવર્તન.
( video : કચ્છની સૌથી વધારે ફેલાવો ધરાવતી 24 x 7 મા આશાપુરા ન્યુઝ)

૨૦૧૪ માં એનડીએ ની સરકાર અને બીજેપીને ખુદને ભરોસો નહતો એટલી બેઠક આવશે.
પણ કહેવાય છે ને કે જ્યાં વધુ પ્રેમ હોય ત્યાં નારાજગી પણ એવડી મોટી જ હોય છે.
મોદી સરકારે લીધેલા ૪ વર્ષનાં નિર્ણયોથી લોકો આટલાં જલ્દી કંટાળી જશે એ પણ બીજેપીને ખબર નહીં હોય.
બોલવામાં મોદીની તોલે કોઈ ના આવે , કોઈપણ મુદ્દો હોય વિરોધીઓની ધૂળ કાઢવામાં મોદીને કોઈ ના પહોંચે.
ભારતમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હાલ વિશ્વમાં સૌથી જાણીતી વ્યક્તિઓમાં સમાવિષ્ટ છે, પણ વાસ્તવિક એ પણ છે કે સ્થાનિક માં લોકો હવે બીજેપી અને મોદીથી થોડા નારાજ પણ " સંભળાઈ " રહ્યાં છે, આ તો કોંગ્રેસમાં કોઈ એવો નેતા નથી કે ઈન્દિરાજી જેવી છાપ કે હિંમત ધરાવતો હોય , અન્યથા દેશનાં વર્તમાન અનેક મુદ્દાઓને પડકારી શકાય એમ છે.જોકે હાલ રાહુલ ગાંધી પણ બોલવામાં માસ્ટરી પ્રાપ્ત કરી રહયા છે.
અગાઉ કહ્યું તેમ મોદીને બોલવામાં કોઈ ના પહોંચે, કોઈપણ મુદ્દો રાજકીય મુદ્દો બનાવવામાં એમને સારી ફાવટ છે, હાલ સરદાર વલ્લભભાઈ પટેલનાં જન્મ દિવસે આયોજીત સમારંભમાં મોદીએ એવી વાત ઉપાડી જે ઘણાં લોકોને સાચી લાગશે અને ગમશે પણ.

મોદીએ વર્ષોથી ભારતીયોને મુંજવતી વાત ઉચ્ચારી , કહેવું જોઈએ જૂની વાત છંછેડી .
વાત છે કે ભારતનાં પ્રથમ વડાપ્રધાન કોણ હોવા જોઈતા હતા ? સરદાર વલ્લભભાઈ પટેલ કે જવાહરલાલ નહેરુ , જોકે આ વાત ભૂતકાળ બની છે પણ સમયાંતરે આ વાત ને લઈને સમયાંતરે રાજકારણ રમાઈ જવાતું હોય છે .
 નરેન્દ્ર મોદીએ 2014 ની સામાન્ય ચૂંટણીઓ માટે ઝુંબેશ દરમિયાન નેહરુ વિ પટેલ યુક્તિ ભજવી હતી. શા માટે તે ફરીથી આ મુદ્દો ઉપાડ્યો છે એ લોકોને સમજવું મુશ્કેલ નથી.
કારણ 2019માં ચૂંટણી આવી રહી છે,

ચાર વર્ષ પછી બીજેપીએ કર્યું શુ ? મોટે ભાગે આ પ્રશ્ન લોકોને સતાવી રહ્યો છે ,  ત્યારે ભાજપને હવે કોઈ પણ મુદ્દો છોડવો પાલવે તેમ નથી.
કારણ કે મતદારોને તેમની પોતાની સરકારની નિષ્ફળતામાંથી દૂર કરવા માટે  કંઈક તો કરવું જ પડશે. તેમણે "અચ્છે દિન" વચન આપ્યું છે તે ક્યાં ગયું એ લોકો શોધી રહ્યાં છે, યુવાનો અને ખેડૂતો માટે સરકારે શુ કર્યું ? આ પ્રશ્ન પણ મતદારોને અકળાવશે , સરદાર વલ્લભભાઈ પટેલ નાં જન્મદિવસે યોજાયેલા સમારંભમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, સુમિત્રા મહાજન અને કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી વગેરે ઉપસ્થિત હતાં અને ત્યારે  નહેરુ વિરુદ્ધ પટેલ નો મુદ્દો ઉપાડી મોદીએ પટેલ કાર્ડ એડવાન્સ માં જ ફેંકી દીધું , અમુક પટેલો અને અમુક સરદાર પ્રેમીઓ આ મુદ્દે ફરી બીજેપી ની નજીક આવી જાય પણ શું આવા મુદ્દે ફરી બીજેપી સરકાર બનાવી શકશે ? અને સરકાર બનશે તો શું ૨૦૧૪ માં આવી હતી તેવી બહુમતી આવશે ? આવા અનેક સવાલો મૂંઝવી રહ્યા છે.

ભારત હવે સામાન્ય ચૂંટણીમાંથી એક વર્ષ દૂર છે. વડાપ્રધાન શું વધુ એક વખત ચૂંટણી જીતી લેશે? અમુક લોકો માને છે કે જીએસટીને બેદરકારીપૂર્વક લાગુ પાડવામાં આવી હતી. અર્થતંત્ર ની સ્થિતિ સારી નથી એવું અમુક અર્થશાસ્ત્રીઓ માને છે.

 ચીન અને પાકિસ્તાન સાથેના સંબંધો વડા પ્રધાનની ઘડિયાળમાં બગડ્યા છે, જ્યારે આંતરિક મુશ્કેલીઓ જેવીકે કાશ્મીર અને નાગાલેન્ડ પણ 2014 પહેલા કરતા વધુ બગડી હોવાનાં આક્ષેપો છે.
ભાજપે આ ક્ષણે, લોકસભામાં બહુમતી  મેળવી છે. પરંતુ  2019 માં  બે-તૃતીયાંશ બહુમતી હાંસલ કરવાનો આત્મવિશ્વાસ કેટલો મજબૂત છે ?  ચુંટણી નજીક આવી જાય છે, તેમ છતાં તેઓ જાણે છે કે તેમની વર્તમાન સંખ્યા જાળવી રાખવી તે ખૂબ જ મુશ્કેલ હશે. 
2014 માં ભાજપે ગુજરાત, રાજસ્થાન, હરિયાણા, હિમાચલ, ઉત્તરાખંડ, છત્તીસગઢ અને ઝારખંડની બધી મોટી બેઠકો જીતી હતી અને બિહાર અને મહારાષ્ટ્રમાં તેમના સાથીઓ સાથે બહુમતી ધરાવતા હતા.ત્યારે  ખૂબ જ સંભવ છે કે આ તમામ રાજ્યોમાં ભાજપના આંકડાઓ ઘટે.
 સંભવ છે કે બીજેપીની ઉત્તરપ્રદેશમાં બેઠકો ગુમાવવી પડે. હવે ચિત્રણ એવું પણ થાય કે ભાજપને ટેકો લઈને સરકાર બનાવી પડે.
મિત્રો ઉપરોક્ત તમામ મુદા ને જો બીજેપી હળવાશ થી લેશે તો શક્ય છે કે વધુ નુકશાન થઈ શકે, અને જો આ મુદ્દાને ગંભીરતાથી લઈને અત્યારથી જ કામે લાગી જાય અને સામે પક્ષે કોંગ્રેસ નિષ્ક્રિય થઈ જાય તો ફરી એકવાર ૨૦૧૪ જેટલી જ બેઠકો 2019માં બીજેપીની મળી શકે છે.
પણ હવે ગુજરાત અને રાજસ્થાન માં જે રીતે છેલ્લે કોંગ્રેસે બેટિંગ કરી છે એ જોતાં બીજેપીને ગેમ આસાનીથી મળી જાય એ માત્ર કલ્પના ઘણી શકાય.

- જામ જયમલસિંહ એ.બી.જાડેજા.
*મા આશાપુરા ન્યુઝ* ,
ભુજ કચ્છ , ભારત.

*94287 48643 વોટ્સએપ* ,
97252 06123 - 37,
72260 06124 - 33,
*Youtube* : maa news live,
*Android app* : maa news.
*Blog* : maanewslive. blogspot. com
*Facebook* : maa news live page */* group
*Twitter* : @jaymalsinhB
*Email : jaymalsinhjadeja@gmail.com*

Comments

Popular posts from this blog

કેમ્પ એરીયામાં જફાર રમજુ થેબાની હત્યા..

કેમ્પ એરીયામાં જફાર રમજુ થેબાની હત્યા.. (મૃતક જફાર ની ફાઇલ તસ્વીર) અવારનવાર ભુજના ભીડ ફળીયા અને કેમ્પ એરિયામાં હત્યા અને હુમલાના બનાવો બનતા હોય છે. ગુન્હાખોરીનો ગ્રાફ આ વિસ્તારમાં કાયમ ઉંચકાયેલો જોવા મળે છે ત્યારે આજે (૨૨-૧) કેમ્પ એરિયામાં જફાર રમજુ થેબાની હત્યા થઇ હતી. જફારને છરી મારનાર સિકંદર અનવર લાખા નામનો વ્યક્તિ હોવાનું બહાર આવ્યું છે. વધુ વિગતો પોલીસ તપાસ બાદ બહાર આવશે. અહેવાલ અને તસ્વીર-કિરણ ગોરી (હત્યા થઈ તે સ્થળ)

બે ભાનુશાલી યુવક ઉપર સ્કોર્પિયો ચડાવી દેવાઈ : એકનું મોત

માનકુવા ભુજ હાઈવે પર અકસ્માત માં એક નું મોત, અગાઉનું મનદુઃખ કારણભુત સ્કોર્પિયો અને બાઈક વચ્ચેનો અકસ્માત  પ્રાપ્ત વિગતો મુજબ હતભાગી અર્જુન મોરારજી ભાનુશાલી ઉ.વ. ૨૨ રહે ઝૂરા અને તેનો મિત્ર પ્રભુ ભાનુશાળી ઉ.વ. ૨૫ રહે ભુજ માનકુવા થી ભુજ આવી રહ્યા હતા ત્યારે સામે થી આવી રહેલ સ્કોર્પીઓ કાર ધડાકા ભેર અથડાતા mestro સ્કુટર ચાલક અર્જુનનું ઘટના સ્થળે મોત થયું અને સાથે આવી રહેલ પ્રભુ ભાનુશાળીને ઈજાઓ થતા ભુજ ની જી.કે જનરલ હોસ્પિટલ દાખલ કરાયા છે. મૃતક અર્જુન ભાનુશાલી સ્કોર્પીઓ ચાલક અને અન્યો કાનજી, ધીરજ ભીમજી , જગદીશ, દિનેશ દેવજી તેમજ અન્યો કાર ઘટના સ્થળે છોડી અને નાસી છુટ્યા. જાણવા મળતી માહિતી મુજબ અકસ્માત માટે અગાઉં નું મનદુઃખ કારણભુત છે. ઘાયલ પ્રભુ ભાનુશાલી ઘટનાની જાણ થતાં ભાનુશાળી સમાજ સહીત નાં અન્ય આગેવાનો હોસ્પિટલ ખાતે એકઠા થયા હતા. જીકે માં એકઠા થયેલા ભાનુશાલી સમાજનાં લોકો સમપૂર્ણ વિગત માટે વાંચો : ભુજ તાલુકાના માનકુવા ગામ ખાતે આજરોજ એક ગંભીર અકસ્માત સર્જાયો હતો.જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.અને એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જાણવા મળતી વિગતો અનુસાર , ભુજ મ

દેવાંધ માણેક ગઢવીની હત્યા, શિવરાત્રીનીનાં ગૂમ થયેલ, આરોપીની અટકાયત

🖋 શિવરાત્રી નાં ગૂમ થયેલ દેવાંધ માણેક ગઢવીની લાશ બોર માંથી મળી. આરોપીની અટકાયત કરાઈ. 13 ફેબ્રુઆરી શિવરાત્રીની રાતે ભજન સાંભળવા ગયેલા અને ત્યારબાદ ગુમ થયેલા માંડવી તાલુકાનાં ભાડિયા ગામના ગઢવી દેવાંધ માણેક ની ધારીયા જેવા તીક્ષ્ણ હથિયારથી હત્યા કરાઈ છે અને આજે 6 દિવસ બાદ દેવાંધ ની લાશ વાડી વિસ્તારમાંથી એક બોર માંથી મળી આવી છે. આ ચકચારી બનાવમાં પોલીસે બે આરોપીની અટકાયત કરી છે , માંડવી પોલીસે ગઈકાલે દારૂના કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી હતી તે ખીમરાજ હરિ ગઢવી , રામ પબુ ગઢવી જ દેવાંધ નાં હત્યારા હોવાનું પ્રાથમિક તપાસમાં પોલીસ માની રહી છે , સત્તાવાર જાહેર પોલીસ કરશે , હાલ બને આરોપીઓની ઉલટ તપાસ ચાલુ છે , આ હત્યા રૂપિયાની લેતી દેતી માટે થઈ હોવાનું જાણવા મળે છે. દેવાંધ ગુમ થયા બાદ ગઢવી આજે રૂબરૂ માંડવી પોલીસે જઈ તપાસ કરવા જણાવ્યું હતું , હત્યા કયા કારણોસર કરાઈ છે અને કોણે કરી છે પોલીસ એ દિશામાં તાપસ આદરી દીધી છે. - *મા આશાપુરા ન્યુઝ* , ભુજ કચ્છ , ભારત. *94287 48643 વોટ્સએપ* , 97252 06123 - 37, 72260 06124 - 33, *Youtube* : maa news live, *Android app* : maa news. *Blog* : maanewsliv