Skip to main content

નવા કરવેરા કે રાહત નહિઃ સરકારે દારૂ મોંઘો કર્યો..

ગુજરાતના બજેટનું કુલ કદ રૂ.૧,૮૩,૬૬૬, પુરાંત ૭૮૩.૦૨ કરોડ, કોઇ કર રાહત નહિ, નશાબંધીમાં દર વધારાના કારણે વર્ષે રૂ.૧૦૬.૩૨ કરોડની આવક વધશે.

નીતિન પટેલની જાહેરાતઃ બજેટમાં કૃષિ, આરોગ્ય અને યુવાનો માટે વિશેષ લાભ..


રાજયમાં નાણાખાતાનો હવાલો સંભાળતા નાયબ મુખ્યમંત્રી શ્રી નીતીન પટેલે આજે ર૦૧૮-૧૯ના વર્ષનું બજેટ રજુ કર્યુ છે. જેમાં કોઇ નવા કરવેરા  ઝીંકવામાં આવ્યા નથી કે નવી કર રાહતો આપવામાં આવી નથી. દારૂને મોંઘો કરવામાં આવ્યો છે. વિદેશી દારૂ પરના દર વધારાના કારણે રાજય સરકારને વર્ષે રૂ.૧૦૬.૩ર કરોડની આવક થવાનો અંદાજ છે. ગુજરાતના નવા બજેટનું કુલ કદ રૂ.૧,૮૩,૬૬૬ કરોડ થયુ છે. અંદાજ અનુસારની પુરાંત રૂ.૭,૮૩.૦ર કરોડ રહેશે. એકંદર અંદાજીત પુરાત રૂ.૮૮૯.૩૪ કરોડ રૂપિયા થશે. નશાબંધી દરોમાં વધારાના કારણે ૧૦૬.૩ર કરોડની આવક થશે. બજેટ લોકસભાની ચુંટણીને ધ્યાને રાખીને બનાવાયું હોય તેવી છાપ પડે છે. બજેટમાં ખેડૂતો માટે તેમજ યુવાનો માટે અને આરોગ્ય તથા શિક્ષણ સુવિધા ક્ષેત્રે ભાર મુકવામાં આવ્યો છે. એસ.ટી. કેન્ટીન દ્વારા મીલટ્રી પર્સોનલ માટે જે વિદેશી દારૂની આયાત કરવામાં તેમાં આબકારી જકાતના દરોમાં ઘરખમ વધારો કરાયો છે.

સ્પીરીટ (રમ) સિવાય ૧ પ્રુફ લિટરમાં રૂપિયા ૭પના બદલે રૂ.રરપ તથા રમ સાથે સ્પીરીટ રૂ.રપ - ૧ પ્રુફ લીટરના છે તે રૂપિયા ૭પ થશે. ૧૭ ટકા કરતા ઓછી સ્ટ્રેન્થ વાઇનના લીટરના રૂ. ૧૦ના બદલે રૂ.૩૦ તેમજ ૧૭ ટકાથી વધારે સ્ટ્રેન્થ વાળા ૧ લીટરના રૂપિયા રૂ.રરપ થશે. બીયરના રૂ.૧૦ - ૧ પ્રુફ લીટરના છે તેના બદલે રૂ.૩૦ - ૧ બલ્ક લીટરના સ્ટ્રોગ બીયરના તેમજ રૂ.૧પ ૧ બલ્ક લીટરના માઇલ્ડ બીયરના થશે. સ્પીરીટ અને વાઇનમાં સ્પેશ્યલ ફી વેચાણ કિંમત રૂ. ૧પ૦૦ સુધી હોય તો સ્પેશ્યલ ફિ રૂ. પ૦૦ પ્રતિ બલ્ક લીટર લાગશે. માઇલ્ડ બિયરની સ્પેશ્યલ ફી રૂ.૩૩, ૧ બલ્ક લીટર થશે. સ્ટ્રોંગ બીયરના રૂ.૪ર ૧ બલ્ક લીટરના થશે. શ્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય નશાબંધીની નીતિને વરેલું રાજ્ય છે અને રાજ્યના સ્થાપનાકાળથી આ નીતિનો અમલ કરી રહેલ છે.

ગુજરાત નશાબંધી અધિનિયમ, ૧૯૪૯ અન્વયે રાજ્યમાં નશાબંધી નીતિનો અમલ કરવામાં આવે છે. ગુજરાત રાજ્ય નશાબંધી નિતિને વરેલું હોવા છતાં રાજ્યના પરમીટ ધારકોને, વિદેશી પ્રવાસીઓને-ટુરિસ્ટોને વિદેશી દારૂનું સેવન કરવાની પરવાનગી નિયત નિયમોને આધીન આપવામાં આવે છે અને તે માટે રાજ્યમાં આયાત થતા વિદેશી દારૂ ઉપર આબકારી જકાત અને અન્ય ફી વસુલ કરવામાં આવે છે. જેમાંથી રાજ્યને વેરાકીય આવક પ્રાપ્ત થાય છે. વિદેશી દારૂ પરના આબકારી જકાતના દરોમાં તેમજ અન્ય ફીમાં વર્ષ ૧૯૯૯-૨૦૦૦ બાદ કોઇ ફેરફાર કરવામાં આવેલ નથી. આથી વિદેશી દારૂ ઉપરના આબકારી તેમજ ફીના હાલના દરોમાં વધારો કરાશે.

મા આશાપુરા ન્યુઝ ,
ભુજ કચ્છ , ભારત.

94287 48643 વોટ્સએપ ,
97252 06123 - 37,
72260 06124 - 33,

Youtube : maa news live,
Android app : maa news.
Blog : maanewslive. blogspot. com
Facebook : maa news live page / group
Twitter : @jaymalsinhB

Comments

Popular posts from this blog

કેમ્પ એરીયામાં જફાર રમજુ થેબાની હત્યા..

કેમ્પ એરીયામાં જફાર રમજુ થેબાની હત્યા.. (મૃતક જફાર ની ફાઇલ તસ્વીર) અવારનવાર ભુજના ભીડ ફળીયા અને કેમ્પ એરિયામાં હત્યા અને હુમલાના બનાવો બનતા હોય છે. ગુન્હાખોરીનો ગ્રાફ આ વિસ્તારમાં કાયમ ઉંચકાયેલો જોવા મળે છે ત્યારે આજે (૨૨-૧) કેમ્પ એરિયામાં જફાર રમજુ થેબાની હત્યા થઇ હતી. જફારને છરી મારનાર સિકંદર અનવર લાખા નામનો વ્યક્તિ હોવાનું બહાર આવ્યું છે. વધુ વિગતો પોલીસ તપાસ બાદ બહાર આવશે. અહેવાલ અને તસ્વીર-કિરણ ગોરી (હત્યા થઈ તે સ્થળ)

બે ભાનુશાલી યુવક ઉપર સ્કોર્પિયો ચડાવી દેવાઈ : એકનું મોત

માનકુવા ભુજ હાઈવે પર અકસ્માત માં એક નું મોત, અગાઉનું મનદુઃખ કારણભુત સ્કોર્પિયો અને બાઈક વચ્ચેનો અકસ્માત  પ્રાપ્ત વિગતો મુજબ હતભાગી અર્જુન મોરારજી ભાનુશાલી ઉ.વ. ૨૨ રહે ઝૂરા અને તેનો મિત્ર પ્રભુ ભાનુશાળી ઉ.વ. ૨૫ રહે ભુજ માનકુવા થી ભુજ આવી રહ્યા હતા ત્યારે સામે થી આવી રહેલ સ્કોર્પીઓ કાર ધડાકા ભેર અથડાતા mestro સ્કુટર ચાલક અર્જુનનું ઘટના સ્થળે મોત થયું અને સાથે આવી રહેલ પ્રભુ ભાનુશાળીને ઈજાઓ થતા ભુજ ની જી.કે જનરલ હોસ્પિટલ દાખલ કરાયા છે. મૃતક અર્જુન ભાનુશાલી સ્કોર્પીઓ ચાલક અને અન્યો કાનજી, ધીરજ ભીમજી , જગદીશ, દિનેશ દેવજી તેમજ અન્યો કાર ઘટના સ્થળે છોડી અને નાસી છુટ્યા. જાણવા મળતી માહિતી મુજબ અકસ્માત માટે અગાઉં નું મનદુઃખ કારણભુત છે. ઘાયલ પ્રભુ ભાનુશાલી ઘટનાની જાણ થતાં ભાનુશાળી સમાજ સહીત નાં અન્ય આગેવાનો હોસ્પિટલ ખાતે એકઠા થયા હતા. જીકે માં એકઠા થયેલા ભાનુશાલી સમાજનાં લોકો સમપૂર્ણ વિગત માટે વાંચો : ભુજ તાલુકાના માનકુવા ગામ ખાતે આજરોજ એક ગંભીર અકસ્માત સર્જાયો હતો.જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.અને એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જાણવા મળતી વિગતો અનુસાર , ભુજ મ

દેવાંધ માણેક ગઢવીની હત્યા, શિવરાત્રીનીનાં ગૂમ થયેલ, આરોપીની અટકાયત

🖋 શિવરાત્રી નાં ગૂમ થયેલ દેવાંધ માણેક ગઢવીની લાશ બોર માંથી મળી. આરોપીની અટકાયત કરાઈ. 13 ફેબ્રુઆરી શિવરાત્રીની રાતે ભજન સાંભળવા ગયેલા અને ત્યારબાદ ગુમ થયેલા માંડવી તાલુકાનાં ભાડિયા ગામના ગઢવી દેવાંધ માણેક ની ધારીયા જેવા તીક્ષ્ણ હથિયારથી હત્યા કરાઈ છે અને આજે 6 દિવસ બાદ દેવાંધ ની લાશ વાડી વિસ્તારમાંથી એક બોર માંથી મળી આવી છે. આ ચકચારી બનાવમાં પોલીસે બે આરોપીની અટકાયત કરી છે , માંડવી પોલીસે ગઈકાલે દારૂના કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી હતી તે ખીમરાજ હરિ ગઢવી , રામ પબુ ગઢવી જ દેવાંધ નાં હત્યારા હોવાનું પ્રાથમિક તપાસમાં પોલીસ માની રહી છે , સત્તાવાર જાહેર પોલીસ કરશે , હાલ બને આરોપીઓની ઉલટ તપાસ ચાલુ છે , આ હત્યા રૂપિયાની લેતી દેતી માટે થઈ હોવાનું જાણવા મળે છે. દેવાંધ ગુમ થયા બાદ ગઢવી આજે રૂબરૂ માંડવી પોલીસે જઈ તપાસ કરવા જણાવ્યું હતું , હત્યા કયા કારણોસર કરાઈ છે અને કોણે કરી છે પોલીસ એ દિશામાં તાપસ આદરી દીધી છે. - *મા આશાપુરા ન્યુઝ* , ભુજ કચ્છ , ભારત. *94287 48643 વોટ્સએપ* , 97252 06123 - 37, 72260 06124 - 33, *Youtube* : maa news live, *Android app* : maa news. *Blog* : maanewsliv