Skip to main content

કાગ કથા : ભુજ ટાઉનહોલમાં 15 , 16 ફેબ્રુઆરીનાં આયોજન

કાગ કથા ભુજના ટાઉન હોલ મધ્યે તા.15 અને 16 ફેબ્રુઆરી ના રોજ યોજાશે.
(ભુજમાં વિરામ હોટેલ ખાતે આયોજિત કાગ કથા અંગેની પત્રકાર પરિષદમાં માહિતી આપવામાં આવી ત્યારની તસ્વીર)
ગુજરાત રાજ્ય સંગીત નાટય અકાદમી દ્વારા કચ્છની સાંસ્કૃતિક નગરી ભુજ ખાતે કવિ કાગના સાહિત્ય પર આધારિત "કાગ- કથા"નું આયોજન કરવામાં આવ્યું છે.ગુજરાતના ગૌરવ સમાન યુગ પ્રવર્તક કવિ અને ચિંતક પદ્મશી દુલાભાયા 'કાગ' પૂ.ભગતબાપુની કવિતા અને ચિંતન વર્તમાન યુગમાં સમાજ જીવન માટે અમૃત સમાન છે.
(કવિ દુલા કાગ)
આ કાગ કથા ના વક્તા શ્રી જયેશદાન ગઢવી છે.કાગ કથા ભુજના ટાઉન હોલ મધ્યે તા.15 અને 16 ફેબ્રુઆરી ના રોજ યોજાશે.આ કાગ કથા માં કચ્છી સાહિત્યકારો અને સંગીતકારોનું સન્માન કરવામાં આવશે.સાથે સાથે સાહિત્યકારો ના મુખેથી કવિ કાગની લોક સંસ્કૃતિની વાતો કરવામાં આવશે.આ કાર્યક્રમમાં સંસ્કૃતિની સૌરભ અને માનવ મૂલ્યો સાથે મનોરંજન નો અદભૂત સંગમ કરાવતા પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવીના મુખેથી લોકડાયરો સાંભળવાનો લ્હાવો સાહિત્ય રસિકોને મળશે.
(Advertisement)
આ કાગ કથામાં સંતોના આર્શી વચન મેળવવામાં આવશે.કાગ - કથાનું ઉદ્દઘાટન  રાજ્ય કક્ષાના મંત્રીશ્રી વાસણભાઇ આહીર ના હસ્તે કરવામાં આવશે.સમગ્ર સમારંભ નું સંચાલન શ્રી પુષ્પદાન ભાઈ ગઢવી (પૂર્વ સાંસદ - કચ્છ) કરશે.
( Video :કચ્છની ખેતી અને કચ્છનાં ખેડૂતને ધરાર અન્યાય : જુઓ મા ન્યુઝ નો ખાસ અહેવાલ )
આ કાગ - કથા માં ક્ચ્છ ના સંસદ સભ્ય શ્રી વિનોદ ભાઈ ચાવડા, ભુજના ધારાસભ્ય શ્રીમતી નીમાબેન આચાર્ય ,માંડવીના ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા,ગાંધીધામ ના ધારાસભ્ય શ્રીમતી માલતી બેન મહેશ્વરી ,જિલ્લા પંચાયતના અધ્યક્ષા શ્રીમતી કૌશલ્યા બેન માધાપરિયા,ક્ચ્છ યુનિવર્સિટી ના કુલપતિશ્રી ડો.સી.બી.જાડેજા  અતિથિ નું સ્થાન ગ્રહણ કરશે."કાગ - કથા" સંકલન સમિતિ - ભુજ દ્વારા આ સમગ્ર માહીતી ની જાણકારી પ્રેસ કોન્ફરન્સ દ્વારા આપવામાં આવી હતી.
- *મા આશાપુરા ન્યુઝ* ,
ભુજ કચ્છ , ભારત.

*94287 48643 વોટ્સએપ* ,
97252 06123 - 37,
72260 06124 - 33,

*Youtube* : maa news live,
*Android app* : maa news.
*Blog* : maanewslive. blogspot. com
*Facebook* : maa news live page */* group
*Twitter* : @jaymalsinhB
*Email : jaymalsinhjadeja@gmail.com*

Comments

Popular posts from this blog

કેમ્પ એરીયામાં જફાર રમજુ થેબાની હત્યા..

કેમ્પ એરીયામાં જફાર રમજુ થેબાની હત્યા.. (મૃતક જફાર ની ફાઇલ તસ્વીર) અવારનવાર ભુજના ભીડ ફળીયા અને કેમ્પ એરિયામાં હત્યા અને હુમલાના બનાવો બનતા હોય છે. ગુન્હાખોરીનો ગ્રાફ આ વિસ્તારમાં કાયમ ઉંચકાયેલો જોવા મળે છે ત્યારે આજે (૨૨-૧) કેમ્પ એરિયામાં જફાર રમજુ થેબાની હત્યા થઇ હતી. જફારને છરી મારનાર સિકંદર અનવર લાખા નામનો વ્યક્તિ હોવાનું બહાર આવ્યું છે. વધુ વિગતો પોલીસ તપાસ બાદ બહાર આવશે. અહેવાલ અને તસ્વીર-કિરણ ગોરી (હત્યા થઈ તે સ્થળ)

બે ભાનુશાલી યુવક ઉપર સ્કોર્પિયો ચડાવી દેવાઈ : એકનું મોત

માનકુવા ભુજ હાઈવે પર અકસ્માત માં એક નું મોત, અગાઉનું મનદુઃખ કારણભુત સ્કોર્પિયો અને બાઈક વચ્ચેનો અકસ્માત  પ્રાપ્ત વિગતો મુજબ હતભાગી અર્જુન મોરારજી ભાનુશાલી ઉ.વ. ૨૨ રહે ઝૂરા અને તેનો મિત્ર પ્રભુ ભાનુશાળી ઉ.વ. ૨૫ રહે ભુજ માનકુવા થી ભુજ આવી રહ્યા હતા ત્યારે સામે થી આવી રહેલ સ્કોર્પીઓ કાર ધડાકા ભેર અથડાતા mestro સ્કુટર ચાલક અર્જુનનું ઘટના સ્થળે મોત થયું અને સાથે આવી રહેલ પ્રભુ ભાનુશાળીને ઈજાઓ થતા ભુજ ની જી.કે જનરલ હોસ્પિટલ દાખલ કરાયા છે. મૃતક અર્જુન ભાનુશાલી સ્કોર્પીઓ ચાલક અને અન્યો કાનજી, ધીરજ ભીમજી , જગદીશ, દિનેશ દેવજી તેમજ અન્યો કાર ઘટના સ્થળે છોડી અને નાસી છુટ્યા. જાણવા મળતી માહિતી મુજબ અકસ્માત માટે અગાઉં નું મનદુઃખ કારણભુત છે. ઘાયલ પ્રભુ ભાનુશાલી ઘટનાની જાણ થતાં ભાનુશાળી સમાજ સહીત નાં અન્ય આગેવાનો હોસ્પિટલ ખાતે એકઠા થયા હતા. જીકે માં એકઠા થયેલા ભાનુશાલી સમાજનાં લોકો સમપૂર્ણ વિગત માટે વાંચો : ભુજ તાલુકાના માનકુવા ગામ ખાતે આજરોજ એક ગંભીર અકસ્માત સર્જાયો હતો.જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.અને એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જાણવા મળતી વિગતો અનુસાર , ભુજ મ

દેવાંધ માણેક ગઢવીની હત્યા, શિવરાત્રીનીનાં ગૂમ થયેલ, આરોપીની અટકાયત

🖋 શિવરાત્રી નાં ગૂમ થયેલ દેવાંધ માણેક ગઢવીની લાશ બોર માંથી મળી. આરોપીની અટકાયત કરાઈ. 13 ફેબ્રુઆરી શિવરાત્રીની રાતે ભજન સાંભળવા ગયેલા અને ત્યારબાદ ગુમ થયેલા માંડવી તાલુકાનાં ભાડિયા ગામના ગઢવી દેવાંધ માણેક ની ધારીયા જેવા તીક્ષ્ણ હથિયારથી હત્યા કરાઈ છે અને આજે 6 દિવસ બાદ દેવાંધ ની લાશ વાડી વિસ્તારમાંથી એક બોર માંથી મળી આવી છે. આ ચકચારી બનાવમાં પોલીસે બે આરોપીની અટકાયત કરી છે , માંડવી પોલીસે ગઈકાલે દારૂના કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી હતી તે ખીમરાજ હરિ ગઢવી , રામ પબુ ગઢવી જ દેવાંધ નાં હત્યારા હોવાનું પ્રાથમિક તપાસમાં પોલીસ માની રહી છે , સત્તાવાર જાહેર પોલીસ કરશે , હાલ બને આરોપીઓની ઉલટ તપાસ ચાલુ છે , આ હત્યા રૂપિયાની લેતી દેતી માટે થઈ હોવાનું જાણવા મળે છે. દેવાંધ ગુમ થયા બાદ ગઢવી આજે રૂબરૂ માંડવી પોલીસે જઈ તપાસ કરવા જણાવ્યું હતું , હત્યા કયા કારણોસર કરાઈ છે અને કોણે કરી છે પોલીસ એ દિશામાં તાપસ આદરી દીધી છે. - *મા આશાપુરા ન્યુઝ* , ભુજ કચ્છ , ભારત. *94287 48643 વોટ્સએપ* , 97252 06123 - 37, 72260 06124 - 33, *Youtube* : maa news live, *Android app* : maa news. *Blog* : maanewsliv