Skip to main content

કચ્છ ક્રાઈમ ફાઈલ : સોમવાર , 12 ફેબ્રુઆરી.

કચ્છ ક્રાઈમ ફાઈલ : સોમવાર , 12 ફેબ્રુઆરી.
મુન્દ્રા નાં યુવાને એસ.પી. કચેરીમાં પેટ્રોલ પીધું,
ભુજ ધારાસભ્ય ડો. નિમાબેનને 1 વર્ષ ની કેદ ની સજા ફટકારતી મોરબી કોર્ટ.
ભુજ ઉત્તર રેન્જના આર.એફ.ઓ. સામે ઘાસ કૌભાંડનો આક્ષેપ,
સેડાતા ગામે વીજ કંપનીના થાંભલા નાખવા સામે વિરોધ,

Note : વધુ  ક્રાઈમ સમાચાર જાણવા આ લિંક સમયાંતરે ઓપન કરતાં રહેવી.

(મા ન્યુઝ )
મુન્દ્રાના યુવાને ભુજ એસ.પી. કચેરીએ પેટ્રોલ પીતા સારવાર માટે ખસેડાયો
                      ભોગ બનનાર વિજય આહીર
ભોગ બનનારની રજૂઆત મુજબ મુન્દ્રા શહેરમાં રહેતા વિજય આહીર અને બુટલેગરો વચ્ચે બોલાચાલી થયેલ તેની ફરિયાદ માટે વિજયે મુન્દ્રા પોલીસ સ્ટેશને અરજી કરેલ

પરતું ત્યાંની પોલીસે કોઈ પણ જાતની કાર્યવાહી ન કરતા તેણે ભુજ એસ.પી. કચેરી પર રજૂઆત કરી પરંતુ યોગ્ય પ્રત્યુતર ન મળતા વિજયે એસ.પી. કચેરી ખાતે પેટ્રોલ પી લેતા હાલ તેને ભુજ ની જનરલ હોસ્પીટલ ખાતે સારવાર માટે દાખલ કરાયા છે અહેવાલ અને તસ્વીર ; કિરણ ગોરી

(મા ન્યુઝ )
2009માં ચૂંટણી સમયે મોરબીમાં આચારસંહિતા મુદ્દે થયેલી ફરિયાદ મુદ્દે મોરબીની કૉર્ટે ભુજના ધારાસભ્ય અને હાલ વિધાનસભાના પ્રોટેમ સ્પીકર ડૉ.નીમાબેન આચાર્યને એક વર્ષની કેદની સજા અને 2000 નો દંડ પણ  ફટકાર્યો છે.

 નીમાબેન ઉપરાંત મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિ અમૃતિયા અને મનોજ પનારા નામના આરોપીને પણ એક વર્ષની કેદની સજા કરવામાં આવી છે,
(Video :ડૉ. નિમાબેન આચાર્યએ ટેલિફોનિક વાત કરી ખુલાસો આપ્યો હતો)

ડૉ. નિમાબેન સાથે ટેલિફોનિક વાત કરતાં તેમણેઆ મુદ્દે સ્ટે લેવાની તજવીજ હાથ ધરી હોવાનું જણાવ્યું હતું.

(મા ન્યુઝ )
ઉત્તર રેન્જનાં આર.એફ ઓ. દ્વારા હબાય રખાલમાં ઘાસ કૌભાંડનો આક્ષેપ

ભુજ તાલુકાનાં કોટડા ધ્રોબાણા નાં ભિલાલ અલારખા સમા એ ૩૦.૧.૨૦૧૮ નાં રોજ કચ્છ કલેકટરને સંબોધી ને એક આવેદન અરજી મોકલી છે જેમાં સ્પષ્ટ રીતે નામ જોગ ઉલ્લેખ કરીને આક્ષેપ કરાયો છે કે , ભુજ ઉત્તર રેન્જના આર.એફ.ઓ. જી.બી.વાણીયા દ્વારા હબાય રખાલનું સારું ઘાસ વેંચી નાંખતા હોવાની ફરિયાદ કરવામાં આવી છે , કચ્છ કલેકટર ને કરેલી આ અરજીની નકલ મુખ્ય વન સંરક્ષક , વનમંત્રી , રાજ્યમંત્રી વાસણભાઇ , ધારાસભ્ય નિમાબેન , અને લાંચ રૂશ્વત વિભાગ ને પણ મોકલવામાં આવી છે.



આજે આ મુદ્દે કોંગ્રેસનાં અગ્રણી આદમભાઈ ચાકી પણ મા આશાપુરા ન્યુઝ સમક્ષ સમગ્ર પ્રકરણ ને ઉપર સુધી લઈ જઈ અને ગુન્હેગારને સજા માટે ની તૈયારી શરુ દેવાઇ હોવાનું જણાવ્યું હતું.
( Video : આદમભાઈ ચાકીએ આધાર પુરાવા સાથે સમગ્ર ભ્રષ્ટાચાર અંગે મા ન્યુઝ સાથે વાત કરી હતી )

અરજીમાં આક્ષેપ છે કે , હબાય રખાલનું સારી ગુણવત્તાનું ઘાસ માલધારીઓ ને ગેરકાયદે આર.એફ.ઓ. વાણીયા વેંચી મારતાં હોવાનું સ્પષ્ટ લખ્યું છે. તેમજ બીજું ઘાસ આસપાસના ગામના લોકો પણ કાપી જાય છે અને એનાં રૂપિયા વાણીયા લઇ જાય છે એવો આક્ષેપ કરાયો છે.
આ વિસ્તારમાં થતું સારી ગુણવત્તા નું ઘાસ વેંચી મારી હલકી ગુણવત્તાનું ઘાસ ચારોટી જેવા અન્ય વિસ્તારોમાંથી મંગાવી ગોડાઉનમાં ખડકી દેવાનો આક્ષેપ પણ કરાયો છે.
ચાલુ સાલે પણ 400 ઘાસડી જૂની મંગાવી જે કાળી અને અખાદ્ય ઘસડીઓ છે એને ખરીદીને ગોડાઉનમાં મૂકી દેવામાં આવી છે, 


ઘાસ ૨૪.૧૨ ૨૯૧૭ થી ૨૭.૧૨ ૨૦૧૭ સુધી બહારથી લાવીને ધ્રંગ ઘાસ ગોડાઉનમાં ખરાબ , કાળા ઘાસની ગાંસડી રાખવામાં આવી છે, આ ઘાસ જીજે 23 બી ૯૮૩૮ , જીજે ૨૪ વી ૭૪૬૨ , જીજે ૨૪ વી ૭૪૬૨ , જીજે ૧ સીવાય ૯૦૩૮ અને જીજે ૨૪ વી ૨૩૮૦ માં આવ્યું હોવાની સ્પષ્ટ વિગતો દર્શાવવામાં આવી છે.
તેમજ વધુમાં લોડાઈ રખાલ માંથી ઘાસ કાપ્યાનાં બિલ પોતે બનાવેલ છે એવો આક્ષેપ પણ અરજીમાં કરવાંમાં આવ્યો છે, 
પોતાના મળતીયા લોકો ને સાથે રાખી આ સમગ્ર કૌભાંડ થતું હોવાનો આક્ષેપ કલેકટર , વનમંત્રી, અને વન વિભાગના ઉચ્ચ અધિકારીઓને સંબોધીને લખાયેલી અરજીમાં કરાયો છે.
આ સમગ્ર મુદ્દે આર.એફ.ઓ જી.બી. વાણીયાનો સંપર્ક કરવાની કોશિશ કરવામાં આવી હતી ત્યારે તેઓ બોર્ડર ઉપર હોવાનું જણાવી આવતી કાલે આ અંગે ખુલાસો કરશે , જોકે ટેલિફોન ઉપર એમણે આ મુદ્દો કોલસા વાહતુક પાસ ને લઈને ઉછાડવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું.


(મા ન્યુઝ , કચ્છ )
સેડાતા ગામે વીજ કંપનીના થાંભલા નાખવા સામે કરાયો વિરોધ : શોર્ટ શર્કિટ નો બતાવ્યો ભય..

પ્રાપ્ત વિગતો અનુસાર સેડાતા ખાતે વીજ કંપની દ્વારા વીજળીના મોટા થાંભલાઓ નાખી રહી છે ત્યારે આજે એટલે કે તા. ૧૨-૦૨-૨૦૧૮ ના રોજ સવારે ગામ વાસીઓ તેનો વિરોધ કર્યો હતો. અહી ના એક સ્થાનિકે વાત કરતા જણાવ્યું હતું કે તેમને ભીતિ છે કે જો વીજ ના આ મોટા થાંભલા અહી નાખવામાં આવશે તો શોર્ટ શર્કિટ થવાનો ભય છે તેમજ કોઈ જાનહાની થશે તેવું પણ ઉમેર્યું હતું. તેમણે વધુ માં જણાવ્યું હતું કે અમારા સેડાતા ગામના સરપંચ આ બાબતે અસમંજસ ભર્યા જવાબો આપે છે જયારે વીજ કંપની નું કહેવું છે કે અમો એ સેડાતા સરપંચ પાસે થી મંજુર લઇ લીધી છે. સત્ય જે હોય તે પણ હાલ ગ્રામજનો એ સમગ્ર કામગીરી બંધ કરાવી દીધી છે. અહેવાલ અને તસ્વીર-કિરણ ગોરી
(Video : ભુજ હમીરસર તળાવ ભ્રષ્ટાચાર થી ગંધાઈ રહ્યું છે , બ્યુટીફિકેશન નાં નામે ભ્રષ્ટાચાર ની રાવ )
અમારી ચેનલ Subscribe જરૂર કરશો.


Note : વધુ  ક્રાઈમ સમાચાર જાણવા આ લિંક સમયાંતરે ઓપન કરતાં રહેવી.

- *મા આશાપુરા ન્યુઝ* ,
ભુજ કચ્છ , ભારત.

*94287 48643 વોટ્સએપ* ,
97252 06123 - 37,
72260 06124 - 33,
*Youtube* : maa news live,
*Android app* : maa news.
*Blog* : maanewslive. blogspot. com
*Facebook* : maa news live page */* group
*Twitter* : @jaymalsinhB
*Email : jaymalsinhjadeja@gmail.com*

Comments

Popular posts from this blog

કેમ્પ એરીયામાં જફાર રમજુ થેબાની હત્યા..

કેમ્પ એરીયામાં જફાર રમજુ થેબાની હત્યા.. (મૃતક જફાર ની ફાઇલ તસ્વીર) અવારનવાર ભુજના ભીડ ફળીયા અને કેમ્પ એરિયામાં હત્યા અને હુમલાના બનાવો બનતા હોય છે. ગુન્હાખોરીનો ગ્રાફ આ વિસ્તારમાં કાયમ ઉંચકાયેલો જોવા મળે છે ત્યારે આજે (૨૨-૧) કેમ્પ એરિયામાં જફાર રમજુ થેબાની હત્યા થઇ હતી. જફારને છરી મારનાર સિકંદર અનવર લાખા નામનો વ્યક્તિ હોવાનું બહાર આવ્યું છે. વધુ વિગતો પોલીસ તપાસ બાદ બહાર આવશે. અહેવાલ અને તસ્વીર-કિરણ ગોરી (હત્યા થઈ તે સ્થળ)

બે ભાનુશાલી યુવક ઉપર સ્કોર્પિયો ચડાવી દેવાઈ : એકનું મોત

માનકુવા ભુજ હાઈવે પર અકસ્માત માં એક નું મોત, અગાઉનું મનદુઃખ કારણભુત સ્કોર્પિયો અને બાઈક વચ્ચેનો અકસ્માત  પ્રાપ્ત વિગતો મુજબ હતભાગી અર્જુન મોરારજી ભાનુશાલી ઉ.વ. ૨૨ રહે ઝૂરા અને તેનો મિત્ર પ્રભુ ભાનુશાળી ઉ.વ. ૨૫ રહે ભુજ માનકુવા થી ભુજ આવી રહ્યા હતા ત્યારે સામે થી આવી રહેલ સ્કોર્પીઓ કાર ધડાકા ભેર અથડાતા mestro સ્કુટર ચાલક અર્જુનનું ઘટના સ્થળે મોત થયું અને સાથે આવી રહેલ પ્રભુ ભાનુશાળીને ઈજાઓ થતા ભુજ ની જી.કે જનરલ હોસ્પિટલ દાખલ કરાયા છે. મૃતક અર્જુન ભાનુશાલી સ્કોર્પીઓ ચાલક અને અન્યો કાનજી, ધીરજ ભીમજી , જગદીશ, દિનેશ દેવજી તેમજ અન્યો કાર ઘટના સ્થળે છોડી અને નાસી છુટ્યા. જાણવા મળતી માહિતી મુજબ અકસ્માત માટે અગાઉં નું મનદુઃખ કારણભુત છે. ઘાયલ પ્રભુ ભાનુશાલી ઘટનાની જાણ થતાં ભાનુશાળી સમાજ સહીત નાં અન્ય આગેવાનો હોસ્પિટલ ખાતે એકઠા થયા હતા. જીકે માં એકઠા થયેલા ભાનુશાલી સમાજનાં લોકો સમપૂર્ણ વિગત માટે વાંચો : ભુજ તાલુકાના માનકુવા ગામ ખાતે આજરોજ એક ગંભીર અકસ્માત સર્જાયો હતો.જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.અને એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જાણવા મળતી વિગતો અનુસાર , ભુજ મ

દેવાંધ માણેક ગઢવીની હત્યા, શિવરાત્રીનીનાં ગૂમ થયેલ, આરોપીની અટકાયત

🖋 શિવરાત્રી નાં ગૂમ થયેલ દેવાંધ માણેક ગઢવીની લાશ બોર માંથી મળી. આરોપીની અટકાયત કરાઈ. 13 ફેબ્રુઆરી શિવરાત્રીની રાતે ભજન સાંભળવા ગયેલા અને ત્યારબાદ ગુમ થયેલા માંડવી તાલુકાનાં ભાડિયા ગામના ગઢવી દેવાંધ માણેક ની ધારીયા જેવા તીક્ષ્ણ હથિયારથી હત્યા કરાઈ છે અને આજે 6 દિવસ બાદ દેવાંધ ની લાશ વાડી વિસ્તારમાંથી એક બોર માંથી મળી આવી છે. આ ચકચારી બનાવમાં પોલીસે બે આરોપીની અટકાયત કરી છે , માંડવી પોલીસે ગઈકાલે દારૂના કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી હતી તે ખીમરાજ હરિ ગઢવી , રામ પબુ ગઢવી જ દેવાંધ નાં હત્યારા હોવાનું પ્રાથમિક તપાસમાં પોલીસ માની રહી છે , સત્તાવાર જાહેર પોલીસ કરશે , હાલ બને આરોપીઓની ઉલટ તપાસ ચાલુ છે , આ હત્યા રૂપિયાની લેતી દેતી માટે થઈ હોવાનું જાણવા મળે છે. દેવાંધ ગુમ થયા બાદ ગઢવી આજે રૂબરૂ માંડવી પોલીસે જઈ તપાસ કરવા જણાવ્યું હતું , હત્યા કયા કારણોસર કરાઈ છે અને કોણે કરી છે પોલીસ એ દિશામાં તાપસ આદરી દીધી છે. - *મા આશાપુરા ન્યુઝ* , ભુજ કચ્છ , ભારત. *94287 48643 વોટ્સએપ* , 97252 06123 - 37, 72260 06124 - 33, *Youtube* : maa news live, *Android app* : maa news. *Blog* : maanewsliv