સમાચાર
બાળકો તેમજ સગર્ભા સ્ત્રીઓ માટે સઘન મિશન ઈન્દ્રધનુષ રસીકરણ કાર્યક્રમ
સધન મિશન ઈન્દ્રધનુષ રસીકરણ કાર્યક્રમની સમીક્ષા માટે ડેપ્યુટી કમિશનરશ્રી કચ્છની મુલાકાતે ભુજ, સોમવારઃ ૦ થી ૨ વર્ષના બાળકો તેમજ સગર્ભા સ્ત્રીઓ માટે સઘન મિશન ઈન્દ્રધનુષ રસીકરણ કાર્યક્રમ અંતર્ગત કચ્છ જિલ્લામાં તા.૧૬/૧/૨૦૧૮ સુધી ચાલુમાં છે. જેની સમીક્ષા અર્થે ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયથી ડેપ્યુટી કમિશનર ડો.અજય ખેરા, કચ્છ જિલ્લાની મુલાકાતે આવેલ હોય તેઓ પ્રારંભમાં ગાંધીધામ કાર્ગો ઝુપડપટ્ટી, આંબેડકર વિસ્તાર, ગાંધીધામ જી.આઇ.ડી.સી. વિસ્તારના ઘર ઘરની મુલાકાત લઇ લાભાર્થીઓને રસીકરણની સેવાઓ અંગે માહિતી મેળવી હતી. તે વિસ્તારના ફિમેલ હેલ્થ વર્કરને આશા કાર્યક્રમને મમતા કાર્ડની ઝેરોક્ષ રાખવા સૂચનો આપેલ કામગીરી બાબતે સંતોષની લાગતી વ્યકત કરેલ મુલાકાતમાં વિભાગીય નાયબ નિયામક ડો.રૂપાલીબને મહેતા, સ્ટેટ ઈમ્યુનાઈઝેશન અધિકારી ડો.જાની, બ્લોક હેલ્થ ઓફિસર ડો.દિનેશ સુતરીયા, અર્બન હેલ્થ અધિકારી ડો.જોન્વાલ સાથે રહયા હતા. બાદમાં અંજાર બ્લોક હેલ્થ કચેરી અને સામુહિક આરોગ્ય કેન્દ્ર, અંજારની મુલાકાત લઇ સમીક્ષા કરેલ અંજાર તાલુકાના વરસામેડી પેટા આરોગ્ય કેન્દ્ર મુલાકાત લઇ અને વેલસ્પન ગુજરાત કોલોનીમાં ઘરોની મુલાકાત લઇ બાળકોનાં મમતા કાર્ડની ચકાસણી કરી હતી. અંજાર બ્લોક હેલ્થ ઓફિસર ડો.અંજારીયા, સાથે રહયા હતા તેવું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.પંકજકુમાર પાંડેની યાદીમાં જણાવાયું છે.
Publishing Today , Created on Jan 8, 2018
બાળકો તેમજ સગર્ભા સ્ત્રીઓ માટે સઘન મિશન ઈન્દ્રધનુષ રસીકરણ કાર્યક્રમ
સધન મિશન ઈન્દ્રધનુષ રસીકરણ કાર્યક્રમની સમીક્ષા માટે ડેપ્યુટી કમિશનરશ્રી કચ્છની મુલાકાતે ભુજ, સોમવારઃ ૦ થી ૨ વર્ષના બાળકો તેમજ સગર્ભા સ્ત્રીઓ માટે સઘન મિશન ઈન્દ્રધનુષ રસીકરણ કાર્યક્રમ અંતર્ગત કચ્છ જિલ્લામાં તા.૧૬/૧/૨૦૧૮ સુધી ચાલુમાં છે. જેની સમીક્ષા અર્થે ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયથી ડેપ્યુટી કમિશનર ડો.અજય ખેરા, કચ્છ જિલ્લાની મુલાકાતે આવેલ હોય તેઓ પ્રારંભમાં ગાંધીધામ કાર્ગો ઝુપડપટ્ટી, આંબેડકર વિસ્તાર, ગાંધીધામ જી.આઇ.ડી.સી. વિસ્તારના ઘર ઘરની મુલાકાત લઇ લાભાર્થીઓને રસીકરણની સેવાઓ અંગે માહિતી મેળવી હતી. તે વિસ્તારના ફિમેલ હેલ્થ વર્કરને આશા કાર્યક્રમને મમતા કાર્ડની ઝેરોક્ષ રાખવા સૂચનો આપેલ કામગીરી બાબતે સંતોષની લાગતી વ્યકત કરેલ મુલાકાતમાં વિભાગીય નાયબ નિયામક ડો.રૂપાલીબને મહેતા, સ્ટેટ ઈમ્યુનાઈઝેશન અધિકારી ડો.જાની, બ્લોક હેલ્થ ઓફિસર ડો.દિનેશ સુતરીયા, અર્બન હેલ્થ અધિકારી ડો.જોન્વાલ સાથે રહયા હતા. બાદમાં અંજાર બ્લોક હેલ્થ કચેરી અને સામુહિક આરોગ્ય કેન્દ્ર, અંજારની મુલાકાત લઇ સમીક્ષા કરેલ અંજાર તાલુકાના વરસામેડી પેટા આરોગ્ય કેન્દ્ર મુલાકાત લઇ અને વેલસ્પન ગુજરાત કોલોનીમાં ઘરોની મુલાકાત લઇ બાળકોનાં મમતા કાર્ડની ચકાસણી કરી હતી. અંજાર બ્લોક હેલ્થ ઓફિસર ડો.અંજારીયા, સાથે રહયા હતા તેવું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.પંકજકુમાર પાંડેની યાદીમાં જણાવાયું છે.
Publishing Today , Created on Jan 8, 2018
Comments
Post a Comment