Skip to main content

કંડલા પોર્ટમાં મોટા કૌભાંડનો પર્દાફાસ, ૮ હજાર લિટર ચોરાઉ ડિઝલ ઝડપાયું..

કંડલા પોર્ટમાં મોટા કૌભાંડનો પર્દાફાસ, ૮ હજાર લિટર ચોરાઉ ડિઝલ ઝડપાયું..


૩ અધિકારી સહીત પાંચ સામે નોંધાઈ ફરીયાદ..


તસ્વીર માત્ર પ્રતીકાત્મક

દિનદયાલ પોર્ટ કંડલામાં ટેન્કરો દ્વારા ઓઈલ ટગોમાં ભરવામાં આવતાં ડિઝલની ચોરીના એક ષડયંત્રનો સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યોરીટી ફૉર્સએ પર્દાફાશ કરી ૫.૩૬ લાખના ૮,૦૦૦ લિટર ડિઝલ સાથે બે ડ્રાઈવરોની ધરપકડ કરી છે.

આ ષડયંત્રમાં પોર્ટના સ્ટોર કીપર અને બે મદદનીશ ઈજનેરોની મિલિભગતનો પર્દાફાશ થતાં પાંચેય વિરૂધ્ધ કંડલા મરીન પોલીસ મથકે ફોજદારી ફરિયાદ નોંધાઈ છે.

ગઈકાલે સાંજે ચાર વાગ્યે CISFએ પોર્ટમાં ડિઝલ ઠાલવીને બહાર જઈ રહેલાં બે ટેન્કરની તલાશી લેતાં તેમાંથી 8 હજાર લિટર ડિઝલ મળી આવ્યું હતું. ટેન્કર નંબર GJ 12 Z  293માંથી બે હજાર લિટર અને ટેન્કર નંબર  GJ 12 W 9848 માંથી 6 હજાર લિટર ડિઝલનો જથ્થો મળી આવ્યો હતો. બંને ટેન્કર કંડલા આઈઓસી ડેપોમાંથી ડિઝલ ભરાવી ફ્લોટીલા જેટીમાં લાંગરેલાં ટગમાં ડિઝલ ઠાલવીને પરત જતાં હતા. પરંતુ, ટેન્કરોમાં રહેલું ડિઝલ પૂરેપૂરું ઠાલવાયું નહોતું. CISFએ બંને ટેન્કરના ચાલક રાજેશગર માયાગર ગુંસાઈ (રહે. મોડવદર, અંજાર) અને ઈકબાલ ઓસમાણ લાડક (રહે. ખારીરોહર)ની ઝીણવટભરી પૂછપરછ અને તપાસ કરતાં આ કૌભાંડમાં પોર્ટના સ્ટોર કીપર કે. ભાસ્કર રાવ તેમજ અબ્દુલ અહદ અને એસ.સી. મોહન્તી નામના બે આસિસ્ટન્ટ એન્જિનિયરની સંડોવાળી હોવાનું બહાર આવ્યું હતું. ત્રણેય જણાં ટેન્કર ડ્રાઈવરો સાથે મિલિભગત આચરી પૂરુંપૂરું ડિઝલ ટગમાં નહીં ઠાલવી વધારાનું ડિઝલ ખુલ્લા બજારમાં વેચી મારતાં હોવાનું સ્પષ્ટ થતાં ગત મોડી રાત્રે પોર્ટના અધિકારી રમેશચંદ્ર ભંવરલાલ ચૌહાણે પાંચેય વિરૂધ્ધ કંડલા મરીન પોલીસ મથકે ફોજદારી ફરિયાદ નોંધાવી હતી.

પીએસઆઈએ જણાવ્યું કે, સામાન્ય રીતે એક ટેન્કરમાં 20 હજાર લિટર ડિઝલ ભરાતું હોય છે. પરંતુ, આ લોકો ડ્રાઈવરો સાથે મિલિભગત આચરી પ્રત્યેક ટેન્કરમાં બે થી છ હજાર લિટરની ગાપચી મારતાં હતા. બંને ડ્રાઈવરની ધરપકડ કરી લેવાઈ છે. આ કૌભાંડ કેટલાં સમયથી ચાલતું હતું? અત્યાર સુધીમાં કેટલી માત્રામાં ડિઝલની ચોરી કરાઈ છે ? તેમજ ષડયંત્રમાં અન્ય કોઈ કર્મચારીઓની સંડોવણી છે કે કેમ ? તે સહિતના મુદ્દે પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.



મા આશાપુરા ન્યુઝ ,
ભુજ કચ્છ , ભારત.

94287 48643 વોટ્સએપ ,
97252 06123 - 37,
72260 06124 - 33,


Youtube : maa news live,
Android app : maa news.
Blog : maanewslive. blogspot. com
Facebook : maa news live page / group
Twitter : @jaymalsinhB


Comments

Popular posts from this blog

કેમ્પ એરીયામાં જફાર રમજુ થેબાની હત્યા..

કેમ્પ એરીયામાં જફાર રમજુ થેબાની હત્યા.. (મૃતક જફાર ની ફાઇલ તસ્વીર) અવારનવાર ભુજના ભીડ ફળીયા અને કેમ્પ એરિયામાં હત્યા અને હુમલાના બનાવો બનતા હોય છે. ગુન્હાખોરીનો ગ્રાફ આ વિસ્તારમાં કાયમ ઉંચકાયેલો જોવા મળે છે ત્યારે આજે (૨૨-૧) કેમ્પ એરિયામાં જફાર રમજુ થેબાની હત્યા થઇ હતી. જફારને છરી મારનાર સિકંદર અનવર લાખા નામનો વ્યક્તિ હોવાનું બહાર આવ્યું છે. વધુ વિગતો પોલીસ તપાસ બાદ બહાર આવશે. અહેવાલ અને તસ્વીર-કિરણ ગોરી (હત્યા થઈ તે સ્થળ)

બે ભાનુશાલી યુવક ઉપર સ્કોર્પિયો ચડાવી દેવાઈ : એકનું મોત

માનકુવા ભુજ હાઈવે પર અકસ્માત માં એક નું મોત, અગાઉનું મનદુઃખ કારણભુત સ્કોર્પિયો અને બાઈક વચ્ચેનો અકસ્માત  પ્રાપ્ત વિગતો મુજબ હતભાગી અર્જુન મોરારજી ભાનુશાલી ઉ.વ. ૨૨ રહે ઝૂરા અને તેનો મિત્ર પ્રભુ ભાનુશાળી ઉ.વ. ૨૫ રહે ભુજ માનકુવા થી ભુજ આવી રહ્યા હતા ત્યારે સામે થી આવી રહેલ સ્કોર્પીઓ કાર ધડાકા ભેર અથડાતા mestro સ્કુટર ચાલક અર્જુનનું ઘટના સ્થળે મોત થયું અને સાથે આવી રહેલ પ્રભુ ભાનુશાળીને ઈજાઓ થતા ભુજ ની જી.કે જનરલ હોસ્પિટલ દાખલ કરાયા છે. મૃતક અર્જુન ભાનુશાલી સ્કોર્પીઓ ચાલક અને અન્યો કાનજી, ધીરજ ભીમજી , જગદીશ, દિનેશ દેવજી તેમજ અન્યો કાર ઘટના સ્થળે છોડી અને નાસી છુટ્યા. જાણવા મળતી માહિતી મુજબ અકસ્માત માટે અગાઉં નું મનદુઃખ કારણભુત છે. ઘાયલ પ્રભુ ભાનુશાલી ઘટનાની જાણ થતાં ભાનુશાળી સમાજ સહીત નાં અન્ય આગેવાનો હોસ્પિટલ ખાતે એકઠા થયા હતા. જીકે માં એકઠા થયેલા ભાનુશાલી સમાજનાં લોકો સમપૂર્ણ વિગત માટે વાંચો : ભુજ તાલુકાના માનકુવા ગામ ખાતે આજરોજ એક ગંભીર અકસ્માત સર્જાયો હતો.જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.અને એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જાણવા મળતી વિગતો અનુસાર , ભુજ મ

દેવાંધ માણેક ગઢવીની હત્યા, શિવરાત્રીનીનાં ગૂમ થયેલ, આરોપીની અટકાયત

🖋 શિવરાત્રી નાં ગૂમ થયેલ દેવાંધ માણેક ગઢવીની લાશ બોર માંથી મળી. આરોપીની અટકાયત કરાઈ. 13 ફેબ્રુઆરી શિવરાત્રીની રાતે ભજન સાંભળવા ગયેલા અને ત્યારબાદ ગુમ થયેલા માંડવી તાલુકાનાં ભાડિયા ગામના ગઢવી દેવાંધ માણેક ની ધારીયા જેવા તીક્ષ્ણ હથિયારથી હત્યા કરાઈ છે અને આજે 6 દિવસ બાદ દેવાંધ ની લાશ વાડી વિસ્તારમાંથી એક બોર માંથી મળી આવી છે. આ ચકચારી બનાવમાં પોલીસે બે આરોપીની અટકાયત કરી છે , માંડવી પોલીસે ગઈકાલે દારૂના કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી હતી તે ખીમરાજ હરિ ગઢવી , રામ પબુ ગઢવી જ દેવાંધ નાં હત્યારા હોવાનું પ્રાથમિક તપાસમાં પોલીસ માની રહી છે , સત્તાવાર જાહેર પોલીસ કરશે , હાલ બને આરોપીઓની ઉલટ તપાસ ચાલુ છે , આ હત્યા રૂપિયાની લેતી દેતી માટે થઈ હોવાનું જાણવા મળે છે. દેવાંધ ગુમ થયા બાદ ગઢવી આજે રૂબરૂ માંડવી પોલીસે જઈ તપાસ કરવા જણાવ્યું હતું , હત્યા કયા કારણોસર કરાઈ છે અને કોણે કરી છે પોલીસ એ દિશામાં તાપસ આદરી દીધી છે. - *મા આશાપુરા ન્યુઝ* , ભુજ કચ્છ , ભારત. *94287 48643 વોટ્સએપ* , 97252 06123 - 37, 72260 06124 - 33, *Youtube* : maa news live, *Android app* : maa news. *Blog* : maanewsliv