Skip to main content

કપડાં જાતીય શોષણ માટે જવાબદાર નથી

ફિટકાર
અમુક પ્રકારનાં કપડાં પહેરવાથી જાતીય શોષણ થાય છે એવું માનનારા લોકોને તમાચો
અમુક પ્રકારનાં કપડાં પહેરવાથી જાતીય શોષણ થાય છે એવું માનનારા લોકોને તમાચો કુછ તો લોગ કહેંગે , લોગો કા કામ હૈ કહેના, ફિલ્મનું આ ગીત એટલુંજ સાચું છે જેટલી અમુક લોકોની નિમ્ન માનસિકતા , અમુક લોકોને ટિપ્પણી કરવાની કુટેવ હોય છે , કંઈ પણ સમજ્યા વિના કંઈ પણ બકવાસ કરવી લોકોની માનસિકતા થઈ ગઈ છે ,ત્યારે વન ઇન્ડિયાના લેખક સચિ વ્યાસે જાતીય સતામણી માં લોકોના કપડાં વિશે એક લેખ લખ્યો છે. જાતિય શોષણનો બોગ બનેલ મહિલાઓના કપડાનું મ્યૂઝિયમ! આપણા દેશમાં લગભગ દરરોજ મહિલા કે બાળકીઓની જાતિય સતામણી, છેડછાડ કે બળાત્કારના કિસ્સા સામે આવે છે. આવી ઘટનાઓ પીડિત મહિલાઓને શારીરિક ઉપરાંત માનસિક ત્રાસ પણ ખૂબ આપે છે. ગમે તે ક્ષેત્રમાં દેશ ગમે એટલી પ્રગતિ કરે, મહિલાઓની પરિસ્થિતિ આજે પણ દયાજનક છે. અનેક કાયદા અને નિયમો છતાં મહિલાઓ, યુવતીઓ સંબંધિત સમસ્યાઓ પૂર્ણ થવાનું નામ નથી લેતી. એમાં એક મોટો ભાગ લોકોની માનસિકતા પણ ભજવે છે. આવી કોઇ પણ ઘટના થાય ત્યારે ઘણા લોકો પીડિત મહિલા કે યુવતીના પહેરવેશને દોષ આપતા હોય છે. અનોખું મ્યૂઝિયમ લોકોની આ માનસિકતા બદલવાનું બીડું બેંગલુરૂની જાસ્મીન પાથેજાએ ઉપાડ્યું છે. તેઓ લોકોને સમજાવવા માંગે છે કે, મહિલા કે યુવતીઓના કપડા અને આ પ્રકારની ઘટનાઓને કંઇ લાગતુ-વળગતુ નથી. જાસ્મીન એક આર્ટિસ્ટ અને એક્ટિવિસ્ટ છે. તેમણે જાતિય સતામણીનો ભોગ બનેલ યુવતીઓના કપડાં એકઠા કર્યા છે. તેમના ઘરનો એક ખંડ મ્યૂઝિયમમાં ફેરવાઇ ગયો છે. દરેક ઉંમરની મહિલાઓ બને છે ભોગ આ ખંડમાં ચારે બાજુ એવા કપડા જોવા મળે છે, જે યુવતીઓ રોજિંદી લાઇફમાં પહેરતી હોય છે. આ કપડાઓમાં એક બ્લેક એન્ડ રેડ જમ્પસૂટ પણ છે, જે ગતવર્ષે બેંગલુરૂમાં ન્યૂ યરની રાત્રે છેડછાડનો શિકાર બનેલ યુવતીનો છે. જાસ્મીનના આ અનોખા કલેક્શનમાં સ્કૂલ યુનિફોર્મથી માંડીને ગાઉન સુધી દરેક પ્રકારના કપડા જોવા મળે છે. આ પરથી એ પણ ખ્યાલ આવે છે કે, આવો ગુનો કરવાવાળા લોકોને ઉંમરની મર્યાદા પણ નથી નડતી. આજે દરેક ઉંમરની બાળકી, યુવતી અને મહિલાઓ જાતિય સતામણીનો ભોગ બને છે. ‘આઇ નેવર આસ્ક ફૉર ઇટ’ કેમ્પેન જાસ્મીનનું આ કલેક્શન જોનાર દરેક વ્યક્તિ એ વાત માનશે કે, આવી ઘટનાઓમાં યુવતી કે મહિલાના પહેરવેશનો કોઇ હાથ નથી હોતો. લોકોની આ માનસિકતા વિરુદ્ધ લડતા જાસ્મીને પોતાના કેમ્પેનને ‘આઇ નેવર આસ્ક ફોર ઇટ' નામ આપ્યું છે. તેમના આ કેમ્પેનને સોશ્યલ મીડિયા પર પણ લોકોનો ખૂબ સહકાર મળી રહ્યો છે. 2003માં બનાવી હતી સંસ્થા જાસ્મીને વર્ષ 2003માં મહિલાઓ સાથે થતી જાતિય હિંસાના વિરુદ્ધમાં બ્લેક નોઇસ નામની સંસ્થાની રચના કરી હતી, જે હેઠળ તેમણે પહેલા કિશોરાવસ્થાની બાળકીઓ માટે કામ શરૂ કર્યું હતું. જેમાં તેઓ મહિલાઓને સતર્ક કરવા ઉપરાંત અસામાજિક તત્વો વિરુદ્ધ ચળવળ શરૂ કરી હતી. શારીરિક છેડછાડનો ભોગ બનેલ યુવતીને કપડાને જ હંમેશા દોષ આપવામાં આવે છે, લોકોની આ માનસિકતા બદલવાની પહેલ જાસ્મીને કરી છે. (સૌજન્ય : વન ઇન્ડિયા , સચિ વ્યાસ)

Publishing Today , Created on Jan 10, 2018
મા આશાપુરા ન્યુઝ .


9428748643 વોટ્સએપ
9725206123 - 37
7226006124 - 33

Comments

Popular posts from this blog

કેમ્પ એરીયામાં જફાર રમજુ થેબાની હત્યા..

કેમ્પ એરીયામાં જફાર રમજુ થેબાની હત્યા.. (મૃતક જફાર ની ફાઇલ તસ્વીર) અવારનવાર ભુજના ભીડ ફળીયા અને કેમ્પ એરિયામાં હત્યા અને હુમલાના બનાવો બનતા હોય છે. ગુન્હાખોરીનો ગ્રાફ આ વિસ્તારમાં કાયમ ઉંચકાયેલો જોવા મળે છે ત્યારે આજે (૨૨-૧) કેમ્પ એરિયામાં જફાર રમજુ થેબાની હત્યા થઇ હતી. જફારને છરી મારનાર સિકંદર અનવર લાખા નામનો વ્યક્તિ હોવાનું બહાર આવ્યું છે. વધુ વિગતો પોલીસ તપાસ બાદ બહાર આવશે. અહેવાલ અને તસ્વીર-કિરણ ગોરી (હત્યા થઈ તે સ્થળ)

બે ભાનુશાલી યુવક ઉપર સ્કોર્પિયો ચડાવી દેવાઈ : એકનું મોત

માનકુવા ભુજ હાઈવે પર અકસ્માત માં એક નું મોત, અગાઉનું મનદુઃખ કારણભુત સ્કોર્પિયો અને બાઈક વચ્ચેનો અકસ્માત  પ્રાપ્ત વિગતો મુજબ હતભાગી અર્જુન મોરારજી ભાનુશાલી ઉ.વ. ૨૨ રહે ઝૂરા અને તેનો મિત્ર પ્રભુ ભાનુશાળી ઉ.વ. ૨૫ રહે ભુજ માનકુવા થી ભુજ આવી રહ્યા હતા ત્યારે સામે થી આવી રહેલ સ્કોર્પીઓ કાર ધડાકા ભેર અથડાતા mestro સ્કુટર ચાલક અર્જુનનું ઘટના સ્થળે મોત થયું અને સાથે આવી રહેલ પ્રભુ ભાનુશાળીને ઈજાઓ થતા ભુજ ની જી.કે જનરલ હોસ્પિટલ દાખલ કરાયા છે. મૃતક અર્જુન ભાનુશાલી સ્કોર્પીઓ ચાલક અને અન્યો કાનજી, ધીરજ ભીમજી , જગદીશ, દિનેશ દેવજી તેમજ અન્યો કાર ઘટના સ્થળે છોડી અને નાસી છુટ્યા. જાણવા મળતી માહિતી મુજબ અકસ્માત માટે અગાઉં નું મનદુઃખ કારણભુત છે. ઘાયલ પ્રભુ ભાનુશાલી ઘટનાની જાણ થતાં ભાનુશાળી સમાજ સહીત નાં અન્ય આગેવાનો હોસ્પિટલ ખાતે એકઠા થયા હતા. જીકે માં એકઠા થયેલા ભાનુશાલી સમાજનાં લોકો સમપૂર્ણ વિગત માટે વાંચો : ભુજ તાલુકાના માનકુવા ગામ ખાતે આજરોજ એક ગંભીર અકસ્માત સર્જાયો હતો.જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.અને એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જાણવા મળતી વિગતો અનુસાર , ભુજ મ

દેવાંધ માણેક ગઢવીની હત્યા, શિવરાત્રીનીનાં ગૂમ થયેલ, આરોપીની અટકાયત

🖋 શિવરાત્રી નાં ગૂમ થયેલ દેવાંધ માણેક ગઢવીની લાશ બોર માંથી મળી. આરોપીની અટકાયત કરાઈ. 13 ફેબ્રુઆરી શિવરાત્રીની રાતે ભજન સાંભળવા ગયેલા અને ત્યારબાદ ગુમ થયેલા માંડવી તાલુકાનાં ભાડિયા ગામના ગઢવી દેવાંધ માણેક ની ધારીયા જેવા તીક્ષ્ણ હથિયારથી હત્યા કરાઈ છે અને આજે 6 દિવસ બાદ દેવાંધ ની લાશ વાડી વિસ્તારમાંથી એક બોર માંથી મળી આવી છે. આ ચકચારી બનાવમાં પોલીસે બે આરોપીની અટકાયત કરી છે , માંડવી પોલીસે ગઈકાલે દારૂના કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી હતી તે ખીમરાજ હરિ ગઢવી , રામ પબુ ગઢવી જ દેવાંધ નાં હત્યારા હોવાનું પ્રાથમિક તપાસમાં પોલીસ માની રહી છે , સત્તાવાર જાહેર પોલીસ કરશે , હાલ બને આરોપીઓની ઉલટ તપાસ ચાલુ છે , આ હત્યા રૂપિયાની લેતી દેતી માટે થઈ હોવાનું જાણવા મળે છે. દેવાંધ ગુમ થયા બાદ ગઢવી આજે રૂબરૂ માંડવી પોલીસે જઈ તપાસ કરવા જણાવ્યું હતું , હત્યા કયા કારણોસર કરાઈ છે અને કોણે કરી છે પોલીસ એ દિશામાં તાપસ આદરી દીધી છે. - *મા આશાપુરા ન્યુઝ* , ભુજ કચ્છ , ભારત. *94287 48643 વોટ્સએપ* , 97252 06123 - 37, 72260 06124 - 33, *Youtube* : maa news live, *Android app* : maa news. *Blog* : maanewsliv