સમાચાર
કચ્છમાં પતંગ દોરીથી પક્ષીઓના થતાં મૃત્યુ
અટકાવવા અભિયાન
‘કરૂણા-અભિયાન’ થી કચ્છમાં પતંગ દોરીથી પક્ષીઓના થતાં મૃત્યુ અટકાવવા સરકારી વિભાગો અને એન.જી.ઓ.નું હાથ ધરાશે સંયુકત અભિયાન જિલ્લા કલેકટર રેમ્યા મોહને પતંગ દોરીનો ભોગ બનતાં પંખીઓની સારવાર કરવાના કરૂણા અભિયાનને વધુ સુદ્રઢ બનાવવા કર્યો અનુરોધ ભુજ,સોમવારઃ આજે ભુજ ખાતે જિલ્લા કલેકટર રેમ્યા મોહનના અધ્યક્ષપદે રાજય સરકારે નકકી કરેલા કરૂણા-અભિયાન-૨૦૧૮ અનુસાર પતંગની દોરીથી પક્ષીઓના થતાં મૃત્યુ અટકાવવા સરકારી વિભાગો અને એન.જી.ઓ.ને સાંકળી લઇ સંયુકત અભિયાન હાથ ધરાશે. આગામી તા. ૧૦ થી ૨૦મી જાન્યુઆરી દરમિયાન જિલ્લામાં કરૂણા અભિયાન-૨૦૧૮ અંતર્ગત દરેક વિભાગોને સાંકળી લઇ કામગીરીનું આયોજન કરવા આજે કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલમાં વહીવટીતંત્ર અને સ્વૈચ્છિક સંસ્થાના પ્રતિનિધિઓની એક બેઠકનું આયોજન કરાયું હતું. જિલ્લા કલેકટર રેમ્યા મોહને પક્ષીઓ પરત્વે સંવેદના દાખવી પતંગોના દોરા થકી અનેક મુંગા પક્ષીઓ ભોગ બનતાં અટકાવવા અને પતંગોના દોરા થકી ભોગ બનેલા પંખીઓની સારવાર કરવાના કરૂણા અભિયાનને વધુ સુદ્રઢ બનાવવા અનુરોધ કર્યો હતો. તેમણે દરેક સંસ્થાઓને પોતાની રીતે પણ કાર્ય કરવા સાથે સરકારી વિભાગોને જરૂરી કામગીરીના નિર્દેશ આપ્યાં હતા. વન વિભાગ દ્વારા વૃક્ષો પર ફસાયેલા પક્ષીઓને બચાવવા તેમજ પીજીવીસીએલને ઇલેકટ્રીક તાર કે થાંભલા પર કોઇ પક્ષી પતંગ દોરીમાં ફસાઇ જાય તો તે માટે સાધનોનો ઉપયોગ કરી કામગીરી કરવા જણાવ્યું હતું. વધુમાં તેમણે ઉત્સાહમાં આવીને વોલન્ટીયર થાંભલા કે ઝાડ પર ચડીને અકસ્માતનો ભોગ ન બને તે માટેની સાવધાની રાખવા સાથે ફાયર બ્રિગેડ અને સ્થાનિક વ્યકિતઓની અનુભવી ટીમ દ્વારા જ કાર્ય કરાય તેમ જણાવ્યું હતું. અધિક કલેકટર ડી.આર.પટેલે કરૂણા અભિયાન અંતર્ગત લોકજાગૃતિ વધારવા તેમજ કાર્યનો પ્રચાર-પસાર કરવા અને સ્વૈચ્છિક સંસ્થાના પ્રતિનિધિઓના સૂચનો સાથે સંબંધિત વિભાગોને પક્ષીઓને બચાવવાના અભિયાનમાં યોગદાન આપવા અનુરોધ કર્યો હતો. તેમણે શાળાઓના વિદ્યાર્થીઓને વિડિયો બતાવી માર્ગદર્શન આપવા જણાવ્યું હતું. નાયબ પશુપાલન નિયામક ડો. કે.જી.બ્રહ્મક્ષત્રિયે રહેણાંક વિસ્તારમાં અમુક પક્ષીઓના કારણ બર્ડફ્લુ ન ફેલાય તે માટે ઘાયલ પક્ષીઓને રહેણાંક વિસ્તારથી દુર આવેલા રીસીવ સેન્ટર ખાતે પહોંચાડવા અને સારવારની સુવિધા રેસીડન્ટ એરીયામાં નહીં રખાય તેમ જણાવી મુંદરા રોડ ખાતે પોલીકલીનકમાં અને લેકેવ્યુ પાસે તેમજ છઠ્ઠી બારી પાસેના કેન્દ્રોએ સારવાર સુવિધા રખાઇ હોવાનું જણાવ્યું હતું. નોડલ વન વિભાગના શ્રી વિહોલે બેઠકના પ્રારંભે કરૂણા અભિયાનની રૂપરેખા આપી વન વિભાગના ત્રણ ડિવિઝનમાં ૨૪ જેટલાં કંટ્રોલરૂમ ચાલુ કરાયા હોવાનું જણાવી ૨૦ જેટલાંસારવાર કેન્દ્રો આયોજનમાં લઇ ૧૮૦ જેટલાં સ્વયંસેવકોની ટીમના સભ્યો પક્ષીઓને ઇજા ન થાય તે માટે સવારે ૯ વાગ્યા અને સાંજે પ વાગ્યે પંખીઓની ઉડવાની પ્રવૃતિ વધુ રહેતી હોઇ, લોકોને સચેત કરવા સાથે જનજાગૃતિના લેવાનારા પગલાંની વિગતો આપી હતી. ચાઇનીઝ માંજાનો ઉપયોગ પ્રતિબંધિત હોઇ, તેને અટકાવવા અને પોલીસ વિભાગ દ્વારા કાયદેસર કાર્યવાહીમાં વન વિભાગ પણ મદદરૂપ થાય તેવી બેઠકમાં સૂચના અપાઇ હતી. પક્ષીવિદ શ્રી નવીનભાઈ બાપટે છેલ્લા દસ વર્ષથી તેઓ આ પ્રવૃતિ રામધુન પાસે કરતાં હોવાનું જણાવી વેટરનરી ડોકટર સાથેની ટીમ દ્વારા કરૂણા અભિયાનમાં સહયોગ અપાશે, તેમ જણાવી ચાઇનીઝ દોરીની વિરૂધ્ધ જાગૃતિ વધારી પગલાં ભરવા જરૂરી હોવાનું જણાવ્યું હતું. શ્રી અખિલેશ અંતાણીએ પતંગની દોરીથી ઘવાયેલા પક્ષીઓને રીસીવીંગ સેન્ટર ખાતે પ્રાથમિક સારવાર આપવાનું સૂચન કર્યું હતું. ભુજના ડીવાયએસપી જે.કે.જેસ્વાલે પોલીસ વિભાગની મોબાઇલ પેટ્રોલીંગ ટીમો દ્વારા પક્ષીઓને સવારે જરૂરી સ્થળોએ પાણી અને ચણની વ્યવસ્થા કરવામાં તેમ જણાવ્યું હતું. આ ઉપરાંત તાલુકા અને વિસ્તારવાઇઝ ડોકટરોની ટીમના નંબર ઉપરાંત વન વિભાગ અને પશુપાલન વિભાગ દ્વારા સેન્ટરો ખોલવામાં આવશે. શાળા-કોલેજોના વિદ્યાર્થીઓને પ્રેઝન્ટેશન અને ટોક-શો કરી જાગૃત કરવા, હાયર સેકન્ડરીના વિદ્યાર્થીઓન શપથ લેવડાવવામાં આવશે. બેઠકમાં નાયબ વન સંરક્ષક (સા.વ.) શ્રી બી.સુચિન્દ્રા, પોલીસ ડેપ્યુટીશ્રી જે.કે.જેસ્વાલ, સિવિલ સર્જન ડો.જિજ્ઞાબેન ઉપાધ્યાય, જિલ્લા પશુપાલન ના ડો.બ્રહમક્ષત્રિય, પીજીવીસીએલના એસ.ઇ.શ્રી કોડીયાતર, માનવના શ્રી શભુલાલ જોશી, નાયબ શિક્ષણાધિકારીશ્રી સોની, ઈન્ચાર્જ ડો.સ્વર્ણકાર, વન વિભાગના શ્રી એમ.બી.પટેલ, જીબીવાણીયા, શ્રી અબોટી, કાર્યપાલક પીજીવીસીએલશ્રી વરસાણી, ભુજ નગર સેવાસદના શ્રી લીંબાચીયા, એનજીઓના શ્રી ઈબ્રાહિમભાઇ વગેરે ઉપસ્થિત રહયા હતા.
Publishing Today , Created on Jan 8, 2018
કચ્છમાં પતંગ દોરીથી પક્ષીઓના થતાં મૃત્યુ
અટકાવવા અભિયાન
‘કરૂણા-અભિયાન’ થી કચ્છમાં પતંગ દોરીથી પક્ષીઓના થતાં મૃત્યુ અટકાવવા સરકારી વિભાગો અને એન.જી.ઓ.નું હાથ ધરાશે સંયુકત અભિયાન જિલ્લા કલેકટર રેમ્યા મોહને પતંગ દોરીનો ભોગ બનતાં પંખીઓની સારવાર કરવાના કરૂણા અભિયાનને વધુ સુદ્રઢ બનાવવા કર્યો અનુરોધ ભુજ,સોમવારઃ આજે ભુજ ખાતે જિલ્લા કલેકટર રેમ્યા મોહનના અધ્યક્ષપદે રાજય સરકારે નકકી કરેલા કરૂણા-અભિયાન-૨૦૧૮ અનુસાર પતંગની દોરીથી પક્ષીઓના થતાં મૃત્યુ અટકાવવા સરકારી વિભાગો અને એન.જી.ઓ.ને સાંકળી લઇ સંયુકત અભિયાન હાથ ધરાશે. આગામી તા. ૧૦ થી ૨૦મી જાન્યુઆરી દરમિયાન જિલ્લામાં કરૂણા અભિયાન-૨૦૧૮ અંતર્ગત દરેક વિભાગોને સાંકળી લઇ કામગીરીનું આયોજન કરવા આજે કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલમાં વહીવટીતંત્ર અને સ્વૈચ્છિક સંસ્થાના પ્રતિનિધિઓની એક બેઠકનું આયોજન કરાયું હતું. જિલ્લા કલેકટર રેમ્યા મોહને પક્ષીઓ પરત્વે સંવેદના દાખવી પતંગોના દોરા થકી અનેક મુંગા પક્ષીઓ ભોગ બનતાં અટકાવવા અને પતંગોના દોરા થકી ભોગ બનેલા પંખીઓની સારવાર કરવાના કરૂણા અભિયાનને વધુ સુદ્રઢ બનાવવા અનુરોધ કર્યો હતો. તેમણે દરેક સંસ્થાઓને પોતાની રીતે પણ કાર્ય કરવા સાથે સરકારી વિભાગોને જરૂરી કામગીરીના નિર્દેશ આપ્યાં હતા. વન વિભાગ દ્વારા વૃક્ષો પર ફસાયેલા પક્ષીઓને બચાવવા તેમજ પીજીવીસીએલને ઇલેકટ્રીક તાર કે થાંભલા પર કોઇ પક્ષી પતંગ દોરીમાં ફસાઇ જાય તો તે માટે સાધનોનો ઉપયોગ કરી કામગીરી કરવા જણાવ્યું હતું. વધુમાં તેમણે ઉત્સાહમાં આવીને વોલન્ટીયર થાંભલા કે ઝાડ પર ચડીને અકસ્માતનો ભોગ ન બને તે માટેની સાવધાની રાખવા સાથે ફાયર બ્રિગેડ અને સ્થાનિક વ્યકિતઓની અનુભવી ટીમ દ્વારા જ કાર્ય કરાય તેમ જણાવ્યું હતું. અધિક કલેકટર ડી.આર.પટેલે કરૂણા અભિયાન અંતર્ગત લોકજાગૃતિ વધારવા તેમજ કાર્યનો પ્રચાર-પસાર કરવા અને સ્વૈચ્છિક સંસ્થાના પ્રતિનિધિઓના સૂચનો સાથે સંબંધિત વિભાગોને પક્ષીઓને બચાવવાના અભિયાનમાં યોગદાન આપવા અનુરોધ કર્યો હતો. તેમણે શાળાઓના વિદ્યાર્થીઓને વિડિયો બતાવી માર્ગદર્શન આપવા જણાવ્યું હતું. નાયબ પશુપાલન નિયામક ડો. કે.જી.બ્રહ્મક્ષત્રિયે રહેણાંક વિસ્તારમાં અમુક પક્ષીઓના કારણ બર્ડફ્લુ ન ફેલાય તે માટે ઘાયલ પક્ષીઓને રહેણાંક વિસ્તારથી દુર આવેલા રીસીવ સેન્ટર ખાતે પહોંચાડવા અને સારવારની સુવિધા રેસીડન્ટ એરીયામાં નહીં રખાય તેમ જણાવી મુંદરા રોડ ખાતે પોલીકલીનકમાં અને લેકેવ્યુ પાસે તેમજ છઠ્ઠી બારી પાસેના કેન્દ્રોએ સારવાર સુવિધા રખાઇ હોવાનું જણાવ્યું હતું. નોડલ વન વિભાગના શ્રી વિહોલે બેઠકના પ્રારંભે કરૂણા અભિયાનની રૂપરેખા આપી વન વિભાગના ત્રણ ડિવિઝનમાં ૨૪ જેટલાં કંટ્રોલરૂમ ચાલુ કરાયા હોવાનું જણાવી ૨૦ જેટલાંસારવાર કેન્દ્રો આયોજનમાં લઇ ૧૮૦ જેટલાં સ્વયંસેવકોની ટીમના સભ્યો પક્ષીઓને ઇજા ન થાય તે માટે સવારે ૯ વાગ્યા અને સાંજે પ વાગ્યે પંખીઓની ઉડવાની પ્રવૃતિ વધુ રહેતી હોઇ, લોકોને સચેત કરવા સાથે જનજાગૃતિના લેવાનારા પગલાંની વિગતો આપી હતી. ચાઇનીઝ માંજાનો ઉપયોગ પ્રતિબંધિત હોઇ, તેને અટકાવવા અને પોલીસ વિભાગ દ્વારા કાયદેસર કાર્યવાહીમાં વન વિભાગ પણ મદદરૂપ થાય તેવી બેઠકમાં સૂચના અપાઇ હતી. પક્ષીવિદ શ્રી નવીનભાઈ બાપટે છેલ્લા દસ વર્ષથી તેઓ આ પ્રવૃતિ રામધુન પાસે કરતાં હોવાનું જણાવી વેટરનરી ડોકટર સાથેની ટીમ દ્વારા કરૂણા અભિયાનમાં સહયોગ અપાશે, તેમ જણાવી ચાઇનીઝ દોરીની વિરૂધ્ધ જાગૃતિ વધારી પગલાં ભરવા જરૂરી હોવાનું જણાવ્યું હતું. શ્રી અખિલેશ અંતાણીએ પતંગની દોરીથી ઘવાયેલા પક્ષીઓને રીસીવીંગ સેન્ટર ખાતે પ્રાથમિક સારવાર આપવાનું સૂચન કર્યું હતું. ભુજના ડીવાયએસપી જે.કે.જેસ્વાલે પોલીસ વિભાગની મોબાઇલ પેટ્રોલીંગ ટીમો દ્વારા પક્ષીઓને સવારે જરૂરી સ્થળોએ પાણી અને ચણની વ્યવસ્થા કરવામાં તેમ જણાવ્યું હતું. આ ઉપરાંત તાલુકા અને વિસ્તારવાઇઝ ડોકટરોની ટીમના નંબર ઉપરાંત વન વિભાગ અને પશુપાલન વિભાગ દ્વારા સેન્ટરો ખોલવામાં આવશે. શાળા-કોલેજોના વિદ્યાર્થીઓને પ્રેઝન્ટેશન અને ટોક-શો કરી જાગૃત કરવા, હાયર સેકન્ડરીના વિદ્યાર્થીઓન શપથ લેવડાવવામાં આવશે. બેઠકમાં નાયબ વન સંરક્ષક (સા.વ.) શ્રી બી.સુચિન્દ્રા, પોલીસ ડેપ્યુટીશ્રી જે.કે.જેસ્વાલ, સિવિલ સર્જન ડો.જિજ્ઞાબેન ઉપાધ્યાય, જિલ્લા પશુપાલન ના ડો.બ્રહમક્ષત્રિય, પીજીવીસીએલના એસ.ઇ.શ્રી કોડીયાતર, માનવના શ્રી શભુલાલ જોશી, નાયબ શિક્ષણાધિકારીશ્રી સોની, ઈન્ચાર્જ ડો.સ્વર્ણકાર, વન વિભાગના શ્રી એમ.બી.પટેલ, જીબીવાણીયા, શ્રી અબોટી, કાર્યપાલક પીજીવીસીએલશ્રી વરસાણી, ભુજ નગર સેવાસદના શ્રી લીંબાચીયા, એનજીઓના શ્રી ઈબ્રાહિમભાઇ વગેરે ઉપસ્થિત રહયા હતા.
Publishing Today , Created on Jan 8, 2018
Comments
Post a Comment