Skip to main content

કચ્‍છમાં પતંગ દોરીથી પક્ષીઓના થતાં મૃત્‍યુ

સમાચાર
કચ્‍છમાં પતંગ દોરીથી પક્ષીઓના થતાં મૃત્‍યુ
અટકાવવા અભિયાન
‘કરૂણા-અભિયાન’ થી કચ્‍છમાં પતંગ દોરીથી પક્ષીઓના થતાં મૃત્‍યુ અટકાવવા સરકારી વિભાગો અને એન.જી.ઓ.નું હાથ ધરાશે સંયુકત અભિયાન જિલ્‍લા કલેકટર રેમ્‍યા મોહને પતંગ દોરીનો ભોગ બનતાં પંખીઓની સારવાર કરવાના કરૂણા અભિયાનને વધુ સુદ્રઢ બનાવવા કર્યો અનુરોધ ભુજ,સોમવારઃ આજે ભુજ ખાતે જિલ્‍લા કલેકટર રેમ્‍યા મોહનના અધ્‍યક્ષપદે રાજય સરકારે નકકી કરેલા કરૂણા-અભિયાન-૨૦૧૮ અનુસાર પતંગની દોરીથી પક્ષીઓના થતાં મૃત્‍યુ અટકાવવા સરકારી વિભાગો અને એન.જી.ઓ.ને સાંકળી લઇ સંયુકત અભિયાન હાથ ધરાશે. આગામી તા. ૧૦ થી ૨૦મી જાન્‍યુઆરી દરમિયાન જિલ્‍લામાં કરૂણા અભિયાન-૨૦૧૮ અંતર્ગત દરેક વિભાગોને સાંકળી લઇ કામગીરીનું આયોજન કરવા આજે કલેકટર કચેરીના કોન્‍ફરન્‍સ હોલમાં વહીવટીતંત્ર અને સ્‍વૈચ્‍છિક સંસ્‍થાના પ્રતિનિધિઓની એક બેઠકનું આયોજન કરાયું હતું. જિલ્‍લા કલેકટર રેમ્‍યા મોહને પક્ષીઓ પરત્‍વે સંવેદના દાખવી પતંગોના દોરા થકી અનેક મુંગા પક્ષીઓ ભોગ બનતાં અટકાવવા અને પતંગોના દોરા થકી ભોગ બનેલા પંખીઓની સારવાર કરવાના કરૂણા અભિયાનને વધુ સુદ્રઢ બનાવવા અનુરોધ કર્યો હતો. તેમણે દરેક સંસ્‍થાઓને પોતાની રીતે પણ કાર્ય કરવા સાથે સરકારી વિભાગોને જરૂરી કામગીરીના નિર્દેશ આપ્‍યાં હતા. વન વિભાગ દ્વારા વૃક્ષો પર ફસાયેલા પક્ષીઓને બચાવવા તેમજ પીજીવીસીએલને ઇલેકટ્રીક તાર કે થાંભલા પર કોઇ પક્ષી પતંગ દોરીમાં ફસાઇ જાય તો તે માટે સાધનોનો ઉપયોગ કરી કામગીરી કરવા જણાવ્‍યું હતું. વધુમાં તેમણે ઉત્‍સાહમાં આવીને વોલન્‍ટીયર થાંભલા કે ઝાડ પર ચડીને અકસ્‍માતનો ભોગ ન બને તે માટેની સાવધાની રાખવા સાથે ફાયર બ્રિગેડ અને સ્‍થાનિક વ્‍યકિતઓની અનુભવી ટીમ દ્વારા જ કાર્ય કરાય તેમ જણાવ્‍યું હતું. અધિક કલેકટર ડી.આર.પટેલે કરૂણા અભિયાન અંતર્ગત લોકજાગૃતિ વધારવા તેમજ કાર્યનો પ્રચાર-પસાર કરવા અને સ્‍વૈચ્‍છિક સંસ્‍થાના પ્રતિનિધિઓના સૂચનો સાથે સંબંધિત વિભાગોને પક્ષીઓને બચાવવાના અભિયાનમાં યોગદાન આપવા અનુરોધ કર્યો હતો. તેમણે શાળાઓના વિદ્યાર્થીઓને વિડિયો બતાવી માર્ગદર્શન આપવા જણાવ્‍યું હતું. નાયબ પશુપાલન નિયામક ડો. કે.જી.બ્રહ્મક્ષત્રિયે રહેણાંક વિસ્‍તારમાં અમુક પક્ષીઓના કારણ બર્ડફ્લુ ન ફેલાય તે માટે ઘાયલ પક્ષીઓને રહેણાંક વિસ્‍તારથી દુર આવેલા રીસીવ સેન્‍ટર ખાતે પહોંચાડવા અને સારવારની સુવિધા રેસીડન્‍ટ એરીયામાં નહીં રખાય તેમ જણાવી મુંદરા રોડ ખાતે પોલીકલીનકમાં અને લેકેવ્‍યુ પાસે તેમજ છઠ્ઠી બારી પાસેના કેન્‍દ્રોએ સારવાર સુવિધા રખાઇ હોવાનું જણાવ્‍યું હતું. નોડલ વન વિભાગના શ્રી વિહોલે બેઠકના પ્રારંભે કરૂણા અભિયાનની રૂપરેખા આપી વન વિભાગના ત્રણ ડિવિઝનમાં ૨૪ જેટલાં કંટ્રોલરૂમ ચાલુ કરાયા હોવાનું જણાવી ૨૦ જેટલાંસારવાર કેન્‍દ્રો આયોજનમાં લઇ ૧૮૦ જેટલાં સ્‍વયંસેવકોની ટીમના સભ્‍યો પક્ષીઓને ઇજા ન થાય તે માટે સવારે ૯ વાગ્‍યા અને સાંજે પ વાગ્‍યે પંખીઓની ઉડવાની પ્રવૃતિ વધુ રહેતી હોઇ, લોકોને સચેત કરવા સાથે જનજાગૃતિના લેવાનારા પગલાંની વિગતો આપી હતી. ચાઇનીઝ માંજાનો ઉપયોગ પ્રતિબંધિત હોઇ, તેને અટકાવવા અને પોલીસ વિભાગ દ્વારા કાયદેસર કાર્યવાહીમાં વન વિભાગ પણ મદદરૂપ થાય તેવી બેઠકમાં સૂચના અપાઇ હતી. પક્ષીવિદ શ્રી નવીનભાઈ બાપટે છેલ્‍લા દસ વર્ષથી તેઓ આ પ્રવૃતિ રામધુન પાસે કરતાં હોવાનું જણાવી વેટરનરી ડોકટર સાથેની ટીમ દ્વારા કરૂણા અભિયાનમાં સહયોગ અપાશે, તેમ જણાવી ચાઇનીઝ દોરીની વિરૂધ્‍ધ જાગૃતિ વધારી પગલાં ભરવા જરૂરી હોવાનું જણાવ્‍યું હતું. શ્રી અખિલેશ અંતાણીએ પતંગની દોરીથી ઘવાયેલા પક્ષીઓને રીસીવીંગ સેન્‍ટર ખાતે પ્રાથમિક સારવાર આપવાનું સૂચન કર્યું હતું. ભુજના ડીવાયએસપી જે.કે.જેસ્‍વાલે પોલીસ વિભાગની મોબાઇલ પેટ્રોલીંગ ટીમો દ્વારા પક્ષીઓને સવારે જરૂરી સ્‍થળોએ પાણી અને ચણની વ્‍યવસ્‍થા કરવામાં તેમ જણાવ્‍યું હતું. આ ઉપરાંત તાલુકા અને વિસ્‍તારવાઇઝ ડોકટરોની ટીમના નંબર ઉપરાંત વન વિભાગ અને પશુપાલન વિભાગ દ્વારા સેન્‍ટરો ખોલવામાં આવશે. શાળા-કોલેજોના વિદ્યાર્થીઓને પ્રેઝન્‍ટેશન અને ટોક-શો કરી જાગૃત કરવા, હાયર સેકન્‍ડરીના વિદ્યાર્થીઓન શપથ લેવડાવવામાં આવશે. બેઠકમાં નાયબ વન સંરક્ષક (સા.વ.) શ્રી બી.સુચિન્‍દ્રા, પોલીસ ડેપ્‍યુટીશ્રી જે.કે.જેસ્‍વાલ, સિવિલ સર્જન ડો.જિજ્ઞાબેન ઉપાધ્‍યાય, જિલ્‍લા પશુપાલન ના ડો.બ્રહમક્ષત્રિય, પીજીવીસીએલના એસ.ઇ.શ્રી કોડીયાતર, માનવના શ્રી શભુલાલ જોશી, નાયબ શિક્ષણાધિકારીશ્રી સોની, ઈન્‍ચાર્જ ડો.સ્‍વર્ણકાર, વન વિભાગના શ્રી એમ.બી.પટેલ, જીબીવાણીયા, શ્રી અબોટી, કાર્યપાલક પીજીવીસીએલશ્રી વરસાણી, ભુજ નગર સેવાસદના શ્રી લીંબાચીયા, એનજીઓના શ્રી ઈબ્રાહિમભાઇ વગેરે ઉપસ્‍થિત રહયા હતા.

Publishing Today , Created on Jan 8, 2018

Comments

Popular posts from this blog

કેમ્પ એરીયામાં જફાર રમજુ થેબાની હત્યા..

કેમ્પ એરીયામાં જફાર રમજુ થેબાની હત્યા.. (મૃતક જફાર ની ફાઇલ તસ્વીર) અવારનવાર ભુજના ભીડ ફળીયા અને કેમ્પ એરિયામાં હત્યા અને હુમલાના બનાવો બનતા હોય છે. ગુન્હાખોરીનો ગ્રાફ આ વિસ્તારમાં કાયમ ઉંચકાયેલો જોવા મળે છે ત્યારે આજે (૨૨-૧) કેમ્પ એરિયામાં જફાર રમજુ થેબાની હત્યા થઇ હતી. જફારને છરી મારનાર સિકંદર અનવર લાખા નામનો વ્યક્તિ હોવાનું બહાર આવ્યું છે. વધુ વિગતો પોલીસ તપાસ બાદ બહાર આવશે. અહેવાલ અને તસ્વીર-કિરણ ગોરી (હત્યા થઈ તે સ્થળ)

બે ભાનુશાલી યુવક ઉપર સ્કોર્પિયો ચડાવી દેવાઈ : એકનું મોત

માનકુવા ભુજ હાઈવે પર અકસ્માત માં એક નું મોત, અગાઉનું મનદુઃખ કારણભુત સ્કોર્પિયો અને બાઈક વચ્ચેનો અકસ્માત  પ્રાપ્ત વિગતો મુજબ હતભાગી અર્જુન મોરારજી ભાનુશાલી ઉ.વ. ૨૨ રહે ઝૂરા અને તેનો મિત્ર પ્રભુ ભાનુશાળી ઉ.વ. ૨૫ રહે ભુજ માનકુવા થી ભુજ આવી રહ્યા હતા ત્યારે સામે થી આવી રહેલ સ્કોર્પીઓ કાર ધડાકા ભેર અથડાતા mestro સ્કુટર ચાલક અર્જુનનું ઘટના સ્થળે મોત થયું અને સાથે આવી રહેલ પ્રભુ ભાનુશાળીને ઈજાઓ થતા ભુજ ની જી.કે જનરલ હોસ્પિટલ દાખલ કરાયા છે. મૃતક અર્જુન ભાનુશાલી સ્કોર્પીઓ ચાલક અને અન્યો કાનજી, ધીરજ ભીમજી , જગદીશ, દિનેશ દેવજી તેમજ અન્યો કાર ઘટના સ્થળે છોડી અને નાસી છુટ્યા. જાણવા મળતી માહિતી મુજબ અકસ્માત માટે અગાઉં નું મનદુઃખ કારણભુત છે. ઘાયલ પ્રભુ ભાનુશાલી ઘટનાની જાણ થતાં ભાનુશાળી સમાજ સહીત નાં અન્ય આગેવાનો હોસ્પિટલ ખાતે એકઠા થયા હતા. જીકે માં એકઠા થયેલા ભાનુશાલી સમાજનાં લોકો સમપૂર્ણ વિગત માટે વાંચો : ભુજ તાલુકાના માનકુવા ગામ ખાતે આજરોજ એક ગંભીર અકસ્માત સર્જાયો હતો.જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.અને એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જાણવા મળતી વિગતો અનુસાર , ભુજ મ

દેવાંધ માણેક ગઢવીની હત્યા, શિવરાત્રીનીનાં ગૂમ થયેલ, આરોપીની અટકાયત

🖋 શિવરાત્રી નાં ગૂમ થયેલ દેવાંધ માણેક ગઢવીની લાશ બોર માંથી મળી. આરોપીની અટકાયત કરાઈ. 13 ફેબ્રુઆરી શિવરાત્રીની રાતે ભજન સાંભળવા ગયેલા અને ત્યારબાદ ગુમ થયેલા માંડવી તાલુકાનાં ભાડિયા ગામના ગઢવી દેવાંધ માણેક ની ધારીયા જેવા તીક્ષ્ણ હથિયારથી હત્યા કરાઈ છે અને આજે 6 દિવસ બાદ દેવાંધ ની લાશ વાડી વિસ્તારમાંથી એક બોર માંથી મળી આવી છે. આ ચકચારી બનાવમાં પોલીસે બે આરોપીની અટકાયત કરી છે , માંડવી પોલીસે ગઈકાલે દારૂના કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી હતી તે ખીમરાજ હરિ ગઢવી , રામ પબુ ગઢવી જ દેવાંધ નાં હત્યારા હોવાનું પ્રાથમિક તપાસમાં પોલીસ માની રહી છે , સત્તાવાર જાહેર પોલીસ કરશે , હાલ બને આરોપીઓની ઉલટ તપાસ ચાલુ છે , આ હત્યા રૂપિયાની લેતી દેતી માટે થઈ હોવાનું જાણવા મળે છે. દેવાંધ ગુમ થયા બાદ ગઢવી આજે રૂબરૂ માંડવી પોલીસે જઈ તપાસ કરવા જણાવ્યું હતું , હત્યા કયા કારણોસર કરાઈ છે અને કોણે કરી છે પોલીસ એ દિશામાં તાપસ આદરી દીધી છે. - *મા આશાપુરા ન્યુઝ* , ભુજ કચ્છ , ભારત. *94287 48643 વોટ્સએપ* , 97252 06123 - 37, 72260 06124 - 33, *Youtube* : maa news live, *Android app* : maa news. *Blog* : maanewsliv