🖋 2000 ક્ષત્રિયાણીઓ અત્યાર સુધી જોહર માટે નામ નોંધણી કરાવી દેતાં સરકાર ચિંતિત .
રાજસ્થાનમાં તો આ વિરોધ હવે વંટોળનું સ્વરૂપ લેતો દેખાઈ રહ્યો છે. હાથમાં તલવાર લઈ રાણી પદ્માવતીનાં જોહર સ્થાને જ 2000 ક્ષત્રિયાણીઓ એ જોહરની આપી ચીમકી .
(મા ન્યુઝ , 22.જાન્યુઆરી ,10:16 ) રાણી પદ્માવતી નાં જીવન ઉપર બનેલ ફિલ્મ પદ્માવત નો વિરોધ હવે જેમ જેમ ફિલ્મ રિલીઝ થવાની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ વધુ પ્રબળ અને સરકારને વિચારમાં મૂકી દે તેવો જોવા મળી રહ્યો છે.
રાજસ્થાન માં તો હવે રાજપૂતો સાથે રાજપૂતાણી પણ મેદાનમાં આવી ગયા છે , એટલુંજ નહીં હાથમાં તલવાર લઈને ચિતોડગઢમાં રેલી કાઢી હતી અને 24 જાન્યુઆરી નાં ચિતોડગઢમાં એ જ જગ્યાએ જ્યાં રાણી પદ્માવતીએ 16 હજાર રાણી અને દાસી સાથે જોહર કર્યું હતું ત્યાંજ જોહર કરવાની ચીમકી પણ ઉચ્ચારી દીધી છે. કરણી સેનાનું કહેવું છે કે અત્યાર સુધી 2000 ક્ષત્રિયાણીનું રજીસ્ટ્રેશન પણ થઈ ચૂક્યું છે.
બીજી તરફ હવે ફિલ્મનો તીવ્ર વિરોધ જોયા બાદ રાજસ્થાન સરકાર સુપ્રીમ માં જવાની તૈયારી કરી લીધી છે.અને આજે એટલે સોમવારે એક અરજી પણ સુપ્રીમમાં કરશે. એની માટે 3 આઈ.એ.એસ. અધિકારી સાથે ઉચધિકારીઓ દિલ્હી પહોંચ્યા છે.
કર્ણીસેનાનાં સંરક્ષક લોકેન્દ્રસિંહ કલાવી સાહેબે ચીમકી આપી છે કે જો 25 તારીખના પદ્માવત ફિલ્મ રિલીઝ થશે તો દેશભરમાં જનતા કરફ્યુ લાગશે. કાલવી સાહેબે કહ્યું કે પહેલાં 26 જાન્યુઆરી નાં રોજ કરફ્યુ લાગવાનો હતો પણ તે દિવસે પ્રજાસત્તાક દિન હોતાં હવે 25 જાન્યુઆરી નાં રોજ સમગ્ર દેશમાં જનતા કરફ્યુ લાગશે જો ફિલ્મ રિલીઝ થઈ તો.
ફિલ્મ ના વિરોધ ને લઈને ગુજરાત રાજ્ય પરિવહન નિગમે ઉત્તર ગુજરાતમાં બસ સેવા સ્થગિત કરી દીધી છે , મહેસાણા , પાટણ , ગાંધીનગર , સાબરકાંઠા માં નવાં કોઈ આદેશ ના મળે ત્યાં સુધી બસ સેવા બંધ કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ફિલ્મ પદ્માવતનો વિરોધ હવે ન માત્ર ક્ષત્રિય સમાજ પણ હવે બ્રાહ્મણ સમાજ , કડવા પટેલ સમાજ સહિત અન્ય સમાજે પણ શરૂ કરી દીધો છે ત્યારે હવે આ લડત ભારતની અસ્મિતાને બચાવવાની બની ગઈ છે.
- *મા આશાપુરા ન્યુઝ* ,
ભુજ કચ્છ , ભારત.
*94287 48643 વોટ્સએપ* ,
97252 06123 - 37,
72260 06124 - 33,
ભુજ કચ્છ , ભારત.
*94287 48643 વોટ્સએપ* ,
97252 06123 - 37,
72260 06124 - 33,
Comments
Post a Comment