ગાંધીધામમાં ૧૪ લાખના ચોખા ચોરીના ૩ આરોપી ઝડપાયા
ગાંધીધામ નીલકંઠ ગોડાઉનમાં ૪૦૦ બોરી ચોખાની ચોરીની ફરિયાદ ગાંધીધામ બી ડિવિઝનમાં નોંધાઈ હતી,તા.૩૦-૧ર-૧૭ના ગુનો નોંધાયો હતો.
ગાંધીધામ બી ડિવિઝન પોલીસે ખારીરોહરના ત્રણ આરોપીની ધરપકડ કરી તેમના આવતીકાલ સુધીના રીમાન્ડ મેળવ્યાં છે
તપાસનીશ પી.આઈ. આર.એલ. રાઠોડે બાતમીના આધારે ખારીરોહર ગામેથી ગત રાત્રે ત્રણ જણની અટક કરી હતી
ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નીલકંઠ ગોડાઉનમાંથી ચોરાયલ રૂા.૧૪ લાખની કિંમતના ચોખાની ૪૦૦ બોરી ચોરીના આરોપી અબ્દુલ આમદ ભટ્ટી, મુસા નૂરમામદ ભટ્ટી તથા કાસમ ઈશાક સોઢાને ખારીરોહર ખાતે ગત રાત્રે તા.૧૦-૧-૧૮ના ૧૦ કલાકે બાતમીના આધારે ઝડપી લીધા હતા . ચોરત્રિપુટીની પૂછતાછમાં ખુલ્યું છે કે, ચોરાઉ બાસમતી ચોખા તેમણે ભુજમાં અશર્રફ નામના વેપારીને વેચ્યા હતા.
અશર્રફે નીચા ભાવે ચોરીના ચોખા ખરીદયા હતા. ભુજના વેપારીનું નામ બહાર આવતાં પોલીસે હવે તેને દબોચી લેવા તજવીજ હાથ ધરી છે.
- મા આશાપુરા ન્યુઝ
Comments
Post a Comment