Skip to main content

મા ભોમની રક્ષા કાજે કચ્છનાં ક્ષત્રિય યુવાને શહાદત વહોરી

મા ભોમની રક્ષા કાજે કચ્છનાં ક્ષત્રિય યુવાને શહાદત વહોરી

માંડવી કચ્છ  : માંડવી તાલુકાના તલવાણા ગામના જવાન હરદીપસિંહ ઉર્ફે શક્તિસિંહ ઝાલા સરહદ પર માતૃભૂમિની રક્ષા કાજે શહાદત વહોરી છે. માંડવી તાલુકાનાં તલવાણા ગામના આ શહીદ પંજાબ સરહદે સંવેદનશીલ ગણાતા પઠાણકોટમાં બેઝ ડેપો પાછળ ટેન્ક ઓફ યુનિટ ખાતે ભારતીય સેનામાં ફરજ બજાવતા હતા .

મૂળ લીંબડી તાલુકાના ચચાણા ગામ હાલે 40 વર્ષથી તલવાણા રહેતા ક્ષત્રિય પરિવારના યુવાન હરદીપસિંહ સહદેવસિંહ ઝાલાએ સરહદ પરથી થયેલ ગોળીબારીમાં ઘાયલ થઇને શનિવારે રાતે અંતિમ શ્વાસ લીધા હતા.

આજે બપોરે તેમના વતન તલવાણામાં અંતિમ સંસ્કારમાં ક્ષત્રિય સમાજ , સમગ્ર ગામ તેમજ આસપાસ નાં વિસ્તારનાં લોકો શહીદને અંજલિ આપવા તલવાણા પહોંચી ગયા હતા.
 શહિદ હરદીપસિંહ ને અંતિમ સલામી આપવા લશ્કરી અધિકારી તેમજ જવાનો ગાર્ડ ઓફ ઓનર થી મરણોત્તર સન્માન આપ્યું હતું .
ભારતીય જવાન હરદીપસિંહ સહદેવસિંહ ઝાલા 8 જાન્યુઆરી સોમવારે રાત્રે ફરજ પર હતા ત્યારે તેમના યુનિટ એમ-80 ટીપીટી પર પાકિસ્તાન તરફથી આવેલી ગોળીથી આંખના ભાગે ઘાયલ થયા હતા. તેમનું હુલામણુ નામ શક્તિસિંહ છે. ત્યાંથી તેમને ઘાયલ અવસ્થામાં લશ્કરી હોસ્પિટલ પઠાણકોટ ખસેડાયા હતા અને ત્યાંથી 10મી જાન્યુઆરી બુધવારે વધુ સારવાર માટે પંચકૂલા વેસ્ટર્ન કમાન્ડ ચંડી મંદિર હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં લાંબી સારવાર બાદ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. શહીદ હરદીપસિંહ ઝાલાની ફેબ્રુઆરીમાં સગાઈ થવાની હતી, પરંતુ તે પહેલા જ વીરગતિને પામ્યા છે. કચ્છમાં ગઢવી સમાજમાં વીર માણશી બાદ ક્ષત્રિય સમાજમાં વીર હરદીપસિંહ ઝાલા મા ભારતી ની રક્ષા કાજે પોતાનું બલિદાન આપી કચ્છનું નામ એકવાર ફરી ગૌરવ થી સમગ્ર ભારત અને વિદેશ વસતા ભારતીયો માં થઈ ગયું છે.



શહીદ હરદીપસિંહ નાં પરિવાર ને સાંત્વના આપવા કચ્છ સહિત સમગ્ર ગુજરાતનાં ક્ષત્રિય સમાજે અંજલિ આપી છે.
હરદીપસિંહ ઝાલાની શહાદત ના સમાચાર મૂળ ભાચૂંડા કચ્છ અને હાલ  અમદાવાદ રહેતા ગીતાબા વાઘેલાને જાણ થતાં એમણે કચ્છની મા આશાપુરા ન્યુઝ નો સંપર્ક કરી એમનું ગ્રુપ " Rajput Mothers Group Gujarat (રાજપૂત મધર્સ ફાઉન્ડેશન -રામજી)"જે ક્ષત્રિય સમાજની બહેન દીકરીઓ માટે  એમનાં ઉત્થાન માટે કાર્ય કરે છે ,




 ત્યારે  એમનાં ગ્રુપનાં અનેક બહેનો વતી શહીદ હરદીપસિંહનાં પરિવાર ને આર્થિક સહાય માટેની પહેલ કરવામાં આવી છે , અમદાવાદનાં ગ્રુપ - રાજપૂત મધર્સ ગ્રુપ ગુજરાત તરફથી મળેલ રોકડ કચ્છનાં રાજપૂત ક્ષત્રિય મહિલા મંડળ તરફથી તલવાણા શહીદ હરદીપસિંહનાં પરિવારને અર્પણ કરવામાં આવશે , અમદાવાદનાં આ ગ્રુપે જણાવ્યું હતું કે હરદીપસિંહ ની શહાદત ની કિંમત કોઈ પણ સંજોગોમાં આંકી ના શકાય , આ તો માત્ર શહીદ ના ચરણોમાં પુષ્પની એક પાંખડી છે એક  પહેલ છે .
આશા રાખી શકાય કે ક્ષત્રિય સમાજ ના અન્ય મોભીઓ તેમજ કચ્છની વિવિધ સંસ્થાઓ પણ અમદાવાદનાં આ ગ્રુપમાંથી પ્રેરણા લઈ મા ભોમ માટે શહાદત વહોરનાર શહીદ હરદીપસિંહ ઉર્ફ શક્તિસિંહ ઝાલા ના પરિવારને સાંત્વના સાથે સધિયારો પણ આપે.

કચ્છ રાજપૂત ક્ષત્રિય સભાનાં પ્રમુખ અને માંડવી મુન્દ્રા ધારાસભ્ય વિરેન્દ્રસિંહ બી. જાડેજા , પૂર્વ પ્રમુખ જોરાવરસિંહ રાઠોડ , કચ્છ રાજપૂત ક્ષત્રિય સભા મહિલા પાંખનાં પ્રમુખ ચેતનબા જાડેજાએ શહીદ હરદીપસિંહને વિરાંજલી અર્પણ કરી હતી .

સ્ટોરી બાય : દિલીપ રાજગોર .
કેમેરામેન : આરીફ ખલિફા .
માંડવી કચ્છ,

- મા આશાપુરા ન્યુઝ ,
ભુજ કચ્છ , ભારત.
9428748643 વોટ્સએપ ,
9725206123 - 37,
7226086124 - 33,
Youtube : maa news live,
Android app : maa news.
Blog : maanewslive. blogspot. com

Comments

Popular posts from this blog

કેમ્પ એરીયામાં જફાર રમજુ થેબાની હત્યા..

કેમ્પ એરીયામાં જફાર રમજુ થેબાની હત્યા.. (મૃતક જફાર ની ફાઇલ તસ્વીર) અવારનવાર ભુજના ભીડ ફળીયા અને કેમ્પ એરિયામાં હત્યા અને હુમલાના બનાવો બનતા હોય છે. ગુન્હાખોરીનો ગ્રાફ આ વિસ્તારમાં કાયમ ઉંચકાયેલો જોવા મળે છે ત્યારે આજે (૨૨-૧) કેમ્પ એરિયામાં જફાર રમજુ થેબાની હત્યા થઇ હતી. જફારને છરી મારનાર સિકંદર અનવર લાખા નામનો વ્યક્તિ હોવાનું બહાર આવ્યું છે. વધુ વિગતો પોલીસ તપાસ બાદ બહાર આવશે. અહેવાલ અને તસ્વીર-કિરણ ગોરી (હત્યા થઈ તે સ્થળ)

બે ભાનુશાલી યુવક ઉપર સ્કોર્પિયો ચડાવી દેવાઈ : એકનું મોત

માનકુવા ભુજ હાઈવે પર અકસ્માત માં એક નું મોત, અગાઉનું મનદુઃખ કારણભુત સ્કોર્પિયો અને બાઈક વચ્ચેનો અકસ્માત  પ્રાપ્ત વિગતો મુજબ હતભાગી અર્જુન મોરારજી ભાનુશાલી ઉ.વ. ૨૨ રહે ઝૂરા અને તેનો મિત્ર પ્રભુ ભાનુશાળી ઉ.વ. ૨૫ રહે ભુજ માનકુવા થી ભુજ આવી રહ્યા હતા ત્યારે સામે થી આવી રહેલ સ્કોર્પીઓ કાર ધડાકા ભેર અથડાતા mestro સ્કુટર ચાલક અર્જુનનું ઘટના સ્થળે મોત થયું અને સાથે આવી રહેલ પ્રભુ ભાનુશાળીને ઈજાઓ થતા ભુજ ની જી.કે જનરલ હોસ્પિટલ દાખલ કરાયા છે. મૃતક અર્જુન ભાનુશાલી સ્કોર્પીઓ ચાલક અને અન્યો કાનજી, ધીરજ ભીમજી , જગદીશ, દિનેશ દેવજી તેમજ અન્યો કાર ઘટના સ્થળે છોડી અને નાસી છુટ્યા. જાણવા મળતી માહિતી મુજબ અકસ્માત માટે અગાઉં નું મનદુઃખ કારણભુત છે. ઘાયલ પ્રભુ ભાનુશાલી ઘટનાની જાણ થતાં ભાનુશાળી સમાજ સહીત નાં અન્ય આગેવાનો હોસ્પિટલ ખાતે એકઠા થયા હતા. જીકે માં એકઠા થયેલા ભાનુશાલી સમાજનાં લોકો સમપૂર્ણ વિગત માટે વાંચો : ભુજ તાલુકાના માનકુવા ગામ ખાતે આજરોજ એક ગંભીર અકસ્માત સર્જાયો હતો.જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.અને એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જાણવા મળતી વિગતો અનુસાર , ભુજ મ

દેવાંધ માણેક ગઢવીની હત્યા, શિવરાત્રીનીનાં ગૂમ થયેલ, આરોપીની અટકાયત

🖋 શિવરાત્રી નાં ગૂમ થયેલ દેવાંધ માણેક ગઢવીની લાશ બોર માંથી મળી. આરોપીની અટકાયત કરાઈ. 13 ફેબ્રુઆરી શિવરાત્રીની રાતે ભજન સાંભળવા ગયેલા અને ત્યારબાદ ગુમ થયેલા માંડવી તાલુકાનાં ભાડિયા ગામના ગઢવી દેવાંધ માણેક ની ધારીયા જેવા તીક્ષ્ણ હથિયારથી હત્યા કરાઈ છે અને આજે 6 દિવસ બાદ દેવાંધ ની લાશ વાડી વિસ્તારમાંથી એક બોર માંથી મળી આવી છે. આ ચકચારી બનાવમાં પોલીસે બે આરોપીની અટકાયત કરી છે , માંડવી પોલીસે ગઈકાલે દારૂના કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી હતી તે ખીમરાજ હરિ ગઢવી , રામ પબુ ગઢવી જ દેવાંધ નાં હત્યારા હોવાનું પ્રાથમિક તપાસમાં પોલીસ માની રહી છે , સત્તાવાર જાહેર પોલીસ કરશે , હાલ બને આરોપીઓની ઉલટ તપાસ ચાલુ છે , આ હત્યા રૂપિયાની લેતી દેતી માટે થઈ હોવાનું જાણવા મળે છે. દેવાંધ ગુમ થયા બાદ ગઢવી આજે રૂબરૂ માંડવી પોલીસે જઈ તપાસ કરવા જણાવ્યું હતું , હત્યા કયા કારણોસર કરાઈ છે અને કોણે કરી છે પોલીસ એ દિશામાં તાપસ આદરી દીધી છે. - *મા આશાપુરા ન્યુઝ* , ભુજ કચ્છ , ભારત. *94287 48643 વોટ્સએપ* , 97252 06123 - 37, 72260 06124 - 33, *Youtube* : maa news live, *Android app* : maa news. *Blog* : maanewsliv