ગાંધીધામ કંડલા માર્ગ પર આવેલ નીલકંઠ ગોદામ માંથી ૧૪.૮૦ લાખના ચોખાની ચોરી થયેલ તે પ્રકરણ મુદે તપાસ ટુકડી એ ભુજની નવી જથ્થાબંધ બજારના વેપારી પ્રતિક કનુભાઈ ઠક્કર કે જેનું નામ પહેલા એક પત્રકારને માર મારવાના બનાવમાં તેમજ ચોરી સબબ પોલીસ ચોપડે તેનું નામ આવી ચુક્યું છે તેની ધરપકડ કરાઈ છે. પ્રતિક ઠક્કરની પુછતાછ બાદ ચોરાઉ માલનું પગેરું મહુવા, રાજકોટ અને ભુજના અન્ય વેપારી તરફ મળતા વેપારી આલમમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. પ્રતિકે આપેલા નિવેદનમાં ભુજના અશરફ નામના શખ્સનો ઉલ્લેખ કર્યો છે. અશરફ ચોરાઉ માલ પ્રતીકને પહોચાડતો હતો તેથી હવે પોલીસે અશરફ ની ધરપકડ કરવા ચક્રોને ગતિમાન કર્યા છે.
તેમજ વધુ વિગતો મેળવવા રીમાન્ડની માંગણી સાથે પ્રતિકને કોર્ટ સમક્ષ રજુ કરાશે. ત્યારબાદ આ સમગ્ર પ્રકરણ માં સંડોવાયેલા વધુ નામોનો પર્દાફાસ થાય તેવી વકી દેખાઈ રહી છે.
તેમજ વધુ વિગતો મેળવવા રીમાન્ડની માંગણી સાથે પ્રતિકને કોર્ટ સમક્ષ રજુ કરાશે. ત્યારબાદ આ સમગ્ર પ્રકરણ માં સંડોવાયેલા વધુ નામોનો પર્દાફાસ થાય તેવી વકી દેખાઈ રહી છે.
Comments
Post a Comment