Skip to main content

પ્રધાનમંત્રી કૌશલ કેન્દ્ર : ભુજમાં કાર્યરત તાલીમ કેન્દ્ર

પ્રધાનમંત્રી કૌશલ કેન્દ્ર : જિલ્લાનું એકમાત્ર તાલીમ કેન્દ્ર ભુજમાં

આજે જ્યારે ટેકનોલોજી યુગમાં રોજગારી એક અવસર સાથે પડકાર પણ બન્યો છે , ત્યારે જે યુવા માં કૌશલ છે કંઈક કરવાની ખેવના છે તેવા યુવક અને યુવતી રોજગાર અને આવક થી વંચિત ના રહે તે ઉમદા હેતુ સાથે ભારત સરકાર ના માત્ર ચિંતિત છે પરંતુ ચિંતા સાથે કોઈપણ ભારતીય નાગરિક આર્થિક રીતે પગભર થઈ પોતાની અંદર રહેલી ક્ષમતા અને કૌશલનાં માધ્યમથી આવક મેળવે તે માટે સમગ્ર ભારતમાં પ્રધાનમંત્રી કૌશલ કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
પ્રધાનમંત્રી કૌશલ કેન્દ્ર અંતર્ગત વિવિદ્ય જિલ્લામાં વિવિધ કોર્ષ શરૂ કરવામાં આવ્યા છે જેમાં કચ્છ જિલ્લામાં એકમાત્ર તાલીમ કેન્દ્ર ભુજ મધ્યે અધ્યતન વિશાળ સંકુલમાં શરૂ કરી દેવાયું છે.
યુવાનો સ્વાનિર્ભર બને તે માટે આપણા દેશમાં એક મહત્વપૂર્ણ કૌશલ વિકાસ યોજના નો પ્રારંભ થઇ ગયો છે.
ભારતનાં પ્રધાનમંત્રી શ્રી દ્વારા દેશમાં પ્રધાનમંત્રી કૌશલ કેન્દ્ર ની સ્થાપના કરીને અત્યાર સુધી લાખો ભારતીયો સ્વરોજગાર માં પદાર્પણ કરી દીધું છે .
પ્રધાનમંત્રી કૌશલ કેન્દ્ર યોજના ની અંદર દેશમાં ૨૦૨૨ માં વર્ષ  સુધી ૨૪ લાખ યુવક/યુવતીઓ ને તાલીમ આપવામાં આવશે.દીર્ઘદ્રષ્ટિ સાથે શરૂ કરાયેલ આ યોજનામાં આ વર્ષે ૧૫૦૦ કરોડ નો ખર્ચ કરવામાં આવશે. આપણાં દરેક ભારતીયો માટે ગૌરવની બાબત એ છે કે આ યોજના વિશ્વ ની અત્યાર સુધીની સૌથી મોટી કૌશલ તાલીમ યોજના છે.
કચ્છનાં લોકો પણ આ તાલીમ કેન્દ્ર ની મુલાકાત લઈ ને પોતાને અનુરૂપ તાલીમ વર્ગમાં જોડાઈ શકે છે ,ભુજ મિરઝાપર રોડ , શુભમ ફર્નિચર પાછળ , હરભોલે પેટ્રોલ પમ્પ સામે આવેલ આ તાલીમ કેન્દ્ર માં વિવધ કોર્ષ શરૂ થઈ ગયા છે , સરકાર દ્વારા કચ્છ જીલ્લા માં માત્ર એક તાલીમ કેન્દ્ર ની અનુમતિ આપવામાં આવે છે અને એ તાલીમ કેન્દ્ર ની અનુમતિ એકમાત્ર ભુજ માં આપવામાં આવી છે.
ભુજ તાલીમકેન્દ્ર માં વિવિધ તાલીમ આપવામાં આવે છે , હાલ કાર્યરત પાંચ કોર્ષની વાત ...

૧)સિલાઈ મશીન ઓપરેટર
૨)હેંડ એમ્બ્રોડરી
૩)પ્લમ્બર જનરલ
૪)મેસન જનરલ
૫)સોલાર પેનલ ઇન્સ્ટોલેશન

આ તાલીમ કોઈપણ ભારતીય નાગરિક જે ૧૮ વર્ષ  થી ૩૫ વર્ષની વય ધરાવતાં હોય તે લઈ શકે છે.
ભુજ તાલીમ કેન્દ્રમાં અનુભવી ટ્રેનરો દ્વારા ટ્રેનિંગ આપવામાં આવે છે.સાથે તાલીમ પૂર્ણ થયે કેન્દ્ર સરકાર માન્ય સર્ટિફિકેટ આપવામાં આવે છે. એટલુંજ નહીં તાલીમ સમાપ્ત થાય બાદ નોકરી મેળવવાની ઉત્તમ તક પ્રાપ્ત થઈ શકે છે.જે યુવક યુવતી માં ક્ષમતા છે એમને તાલીમ બાદ નોકરી ની તક પણ અહીથી જ આપવામાં આવે છે. તાલીમ પ્રાપ્ત કર્યાબાદ
માત્ર ૩ મહિનાનાં ટૂંકાગાળામાં  નોકરી મેળવવાની ઉત્તમ તક પણ ઊભી થઈ શકે છે.
કેન્દ્ર સરકાર દ્વારા પ્રેરિત શ્રી પ્રધાનમંત્રી કૌશલ કેન્દ્ર નાં કચ્છનાં ભુજ તાલીમ કેન્દ્ર નાં સંપર્ક નંબર : ૦૨૮૨૩.....

રેડ ચીલી...U

Comments

Popular posts from this blog

કેમ્પ એરીયામાં જફાર રમજુ થેબાની હત્યા..

કેમ્પ એરીયામાં જફાર રમજુ થેબાની હત્યા.. (મૃતક જફાર ની ફાઇલ તસ્વીર) અવારનવાર ભુજના ભીડ ફળીયા અને કેમ્પ એરિયામાં હત્યા અને હુમલાના બનાવો બનતા હોય છે. ગુન્હાખોરીનો ગ્રાફ આ વિસ્તારમાં કાયમ ઉંચકાયેલો જોવા મળે છે ત્યારે આજે (૨૨-૧) કેમ્પ એરિયામાં જફાર રમજુ થેબાની હત્યા થઇ હતી. જફારને છરી મારનાર સિકંદર અનવર લાખા નામનો વ્યક્તિ હોવાનું બહાર આવ્યું છે. વધુ વિગતો પોલીસ તપાસ બાદ બહાર આવશે. અહેવાલ અને તસ્વીર-કિરણ ગોરી (હત્યા થઈ તે સ્થળ)

બે ભાનુશાલી યુવક ઉપર સ્કોર્પિયો ચડાવી દેવાઈ : એકનું મોત

માનકુવા ભુજ હાઈવે પર અકસ્માત માં એક નું મોત, અગાઉનું મનદુઃખ કારણભુત સ્કોર્પિયો અને બાઈક વચ્ચેનો અકસ્માત  પ્રાપ્ત વિગતો મુજબ હતભાગી અર્જુન મોરારજી ભાનુશાલી ઉ.વ. ૨૨ રહે ઝૂરા અને તેનો મિત્ર પ્રભુ ભાનુશાળી ઉ.વ. ૨૫ રહે ભુજ માનકુવા થી ભુજ આવી રહ્યા હતા ત્યારે સામે થી આવી રહેલ સ્કોર્પીઓ કાર ધડાકા ભેર અથડાતા mestro સ્કુટર ચાલક અર્જુનનું ઘટના સ્થળે મોત થયું અને સાથે આવી રહેલ પ્રભુ ભાનુશાળીને ઈજાઓ થતા ભુજ ની જી.કે જનરલ હોસ્પિટલ દાખલ કરાયા છે. મૃતક અર્જુન ભાનુશાલી સ્કોર્પીઓ ચાલક અને અન્યો કાનજી, ધીરજ ભીમજી , જગદીશ, દિનેશ દેવજી તેમજ અન્યો કાર ઘટના સ્થળે છોડી અને નાસી છુટ્યા. જાણવા મળતી માહિતી મુજબ અકસ્માત માટે અગાઉં નું મનદુઃખ કારણભુત છે. ઘાયલ પ્રભુ ભાનુશાલી ઘટનાની જાણ થતાં ભાનુશાળી સમાજ સહીત નાં અન્ય આગેવાનો હોસ્પિટલ ખાતે એકઠા થયા હતા. જીકે માં એકઠા થયેલા ભાનુશાલી સમાજનાં લોકો સમપૂર્ણ વિગત માટે વાંચો : ભુજ તાલુકાના માનકુવા ગામ ખાતે આજરોજ એક ગંભીર અકસ્માત સર્જાયો હતો.જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.અને એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જાણવા મળતી વિગતો અનુસાર , ભુજ મ

દેવાંધ માણેક ગઢવીની હત્યા, શિવરાત્રીનીનાં ગૂમ થયેલ, આરોપીની અટકાયત

🖋 શિવરાત્રી નાં ગૂમ થયેલ દેવાંધ માણેક ગઢવીની લાશ બોર માંથી મળી. આરોપીની અટકાયત કરાઈ. 13 ફેબ્રુઆરી શિવરાત્રીની રાતે ભજન સાંભળવા ગયેલા અને ત્યારબાદ ગુમ થયેલા માંડવી તાલુકાનાં ભાડિયા ગામના ગઢવી દેવાંધ માણેક ની ધારીયા જેવા તીક્ષ્ણ હથિયારથી હત્યા કરાઈ છે અને આજે 6 દિવસ બાદ દેવાંધ ની લાશ વાડી વિસ્તારમાંથી એક બોર માંથી મળી આવી છે. આ ચકચારી બનાવમાં પોલીસે બે આરોપીની અટકાયત કરી છે , માંડવી પોલીસે ગઈકાલે દારૂના કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી હતી તે ખીમરાજ હરિ ગઢવી , રામ પબુ ગઢવી જ દેવાંધ નાં હત્યારા હોવાનું પ્રાથમિક તપાસમાં પોલીસ માની રહી છે , સત્તાવાર જાહેર પોલીસ કરશે , હાલ બને આરોપીઓની ઉલટ તપાસ ચાલુ છે , આ હત્યા રૂપિયાની લેતી દેતી માટે થઈ હોવાનું જાણવા મળે છે. દેવાંધ ગુમ થયા બાદ ગઢવી આજે રૂબરૂ માંડવી પોલીસે જઈ તપાસ કરવા જણાવ્યું હતું , હત્યા કયા કારણોસર કરાઈ છે અને કોણે કરી છે પોલીસ એ દિશામાં તાપસ આદરી દીધી છે. - *મા આશાપુરા ન્યુઝ* , ભુજ કચ્છ , ભારત. *94287 48643 વોટ્સએપ* , 97252 06123 - 37, 72260 06124 - 33, *Youtube* : maa news live, *Android app* : maa news. *Blog* : maanewsliv