યુ નેવર નો : 2500 વર્ષ પહેલાંની ગાથા 2017માં
Kaushik sharing his thoughts through his paintings.....
સત્ય શાશ્વત હોય છે , 2500 વર્ષ પહેલાં બુદ્ધ ભગવાને કરેલી ગાથા 5000 વર્ષ પહેલાં કૃષ્ણ દ્વારા યુદ્ધ મેદાનમાં અર્જુનને માધ્યમ બનાવીને કહેવાઈ ગઈ હતી , તો આ જ ઉપદેશ 27 સપ્ટેમ્બર1893 માં સ્વામી વિવેકાનંદ પોતાની વાત શિકાગોમાં કરી હતી , અને આવા જ વિચારો ઓશો રજનીશે 1990 સુધી સતત કહેતાં રહ્યા હતા. અને 2017 અને મહીનો પણ વિવેકાનંદ શિકાગોમાં બોલ્યા હતા એ જ , હા સપ્ટેમ્બર 2017માં પ્રકાશિત થયેલ પુસ્તકનાં લેખક અને ચિત્રકાર ડૉ. કૌશિક શાહ પણ એ જ વિચારો મૂક્યા છે ,
આમ સત્ય અવિરત છે , પણ જો કોઈ પુસ્તક કે જેમાં ચિત્ર (પેઈન્ટિંગ) સાથે વિચારો અને એવા વિચારો કે વાંચતા જ કોઈ પણ વ્યક્તિ વિચારવા માટે "મજબૂર" બની જાય ( અહીં મજબૂર શબ્દ પ્રયોગ કર્યો છે , વ્યક્તિ વિચારવા લાગી જાય એમ પણ લખી શક્યો હોત , ) એટલે આ પુસ્તક વિશે લખવાનો વિચાર બે કારણે આવ્યો , એક કારણ એનું ટાઇટલ અને બીજું કારણ આ પુસ્તકમાં રહેલા પેઇન્ટિંગ .
પુસ્તક નું ટાઇટલ છે " (યુ નેવર નો) " આમ જોવા જઈએ તો શીર્ષક માં જ ડૉ. કૌશિક શાહે સાહસ કરી દીધું છે , કોઈ એમ કહે કે " તમે નહીં જાણતા હો " તો એક તબક્કે આપણે સામે વાળો વ્યક્તિ અભિમાની લાગે , પણ જ્યારે ધીમે ધીમે એ વ્યક્તિ ને ઓળખવા લાગીયે તો લાગશે કે ના એ અભિમાની નથી , પણ કંઈક એણે એવું જોઈ લીધું છે, મહેસુસ કરી લીધું છે , કંઈક એવો વિચાર નો તારો એક તણખાં ની જેમ એનાં માનસ પટ ઉપર ઝબકારો મારી ગયો હશે , અને ત્યારે જ એ હિમ્મત અને સાહસ કરીને લખી શકતો હશે કે " યુ નેવર નો " . એટલે એક કારણ પુસ્તકનું શીર્ષક .
આ પુસ્તક વિશે લખવાનું બીજું કારણ એનાં ચિત્ર , કોઈ એક જ વિષય ને લઈને 90 પાનાં સુધી વાચક ને પુસ્તક પકડી ને જકડી રાખવા મજબૂર કરવા એ જ સફળતા છે , સિદ્ધિ છે. માત્ર શબ્દો ની રમત કે માયાજાળ નહીં પણ ગહનતા અને ઊંડાઈ કે જેમાં સહેજે ડૂબકી મારવાનું મન થાય , જેને તરતાં નથી આવડતું એ પણ " ય હોમ " કરીને ભૂસ્સાકો મારી દેવાનું સાહસ કરી લે એવા ચિત્ર અને એને લઈને બાજુનાં પેજમાં મુકાયેલા વિચારો વાચક ને અલૌકિકતાનો અનુભવ કરાવી જાય છે .
ભગવાન બુદ્ધ ના જ ચિત્ર , હા માત્રને માત્ર બુદ્ધ અને એ જ્યારે પાનું પલટાવીએ કે બુદ્ધની બીજી તસ્વીર , બીજો જ ભાવ તાદ્રશ્ય થાય , એક પાનાં ઉપર ક્રોધની વાત છે તો બુદ્ધનાં એ પેઈન્ટીંગ ને જોતાં જ લાગે કે હા આમાં ક્રોધની વાત હશે , બુદ્ધ તો કરુણા અને શાંતિનું પ્રતિક પણ જ્યારે ચિત્રમાં લાલ રંગ નો ઉપયોગ કરીને ચિત્રકાર કૌશિક શાહે કમાલ કરી છે.
પુસ્તકનું બીજું અને ત્રીજું પાનું કોરું છે , આમ કોરું નથી પણ આમ જોવા જઈએ તો કોઈ જ પેઈન્ટીંગ કે વિચાર નથી , છતાં પૂરું પુસ્તક વાંચીને ફરી જયારે એ 2જુ અને 3જુ પાનું ઉઘાડીએ ત્યારે એમાં કંઈક જોવાય છે, કંઈક વંચાય છે , આમ પણ કવિની ભાષામાં વાત કરીએ તો સાચી કવિતા શબ્દોમાં નહીં પણ બે શબ્દોનાં ખાલીપામાં રહેલી હોય છે , તો પુસ્તકનું અંતિમ પાનું 92મુ પણ કોરું છે , ખાલી છે .
લાગે છે શરીરની વાઢ કાપ કરીને ડૉ. કૌશિક શાહને પણ બુદ્ધની જેમ માનસ પટ ઉપર વિચાર અંકુરિત થયો હશે કે આમાં વ્યક્તિ છે ક્યાં ? ક્યાં છે આ સૂતેલા શરીર , આ ચિયારેલાં શરીરમાં એ ભાગતો , દોડતો માણસ ? કોણ દોડે છે ? કોણ મહત્વકાંક્ષા લઈને આમતેમ ભાગે છે અને પછી થાકે છે ... ખબર નહીં પણ કંઈક આવું જ થયું હશે , અને એટલેજ પુસ્તકનાં 91માં પાને તેઓ લખે છે " ગાઢ અંધકારની રાત્રી એટલે અજ્ઞાનતા. અજ્ઞાનતા એ માનવીની કમનસીબી છે . અજ્ઞાની માણસ ક્યારે વિશ્વમાં પ્રકાશદીપ ફેલાવી શકતો નથી .... લોખંડનાં ખીલાને પાણીમાં મુકો તો ડૂબી જાય છે.પરંતુ જહાજ સાથે એનો સંબંધ બંધાતા એ તરતો થઈ જાય છે."
ડૉ. કૌશિક શાહને ચોક્કસ જહાજ મળી ગયું છે , એ પછી બુદ્ધ હોય, સાધ્વી શ્રી શીલાપીજી મહારાજ સાહેબ હોય , કે માતા પિતા હોય ,પત્ની કિંજલ શાહ હોય , કે કોઈ પૂર્વ જન્મનું કોઈ ભાથું હોય , જે હોય એ પણ જહાજ વગર લોખંડનો ખીલો ડૂબી જ જાય..
આ પુસ્તક મને આજે 17.જાન્યુઆરી 2018 ના મળ્યું ( મારી આળસ નાં કારણે થોડું મોડું મળ્યું ) પણ જેવું ઉઘાડયું કે એક જ બેઠેકે વાંચી લીધું અને પછી પોતે પત્રકાર , કવિ , સાહિત્ય પ્રેમી અને વાચક એટલે થયું લાવ મને મળ્યું એ બીજાને પણ વહેંચુ ..
મિત્રો આ પુસ્તકને લઈને ટૂંક જ સમયમાં ડૉ .કૌશિક શાહનો ઇન્ટરવ્યૂ લેવાનો વિચાર પણ પ્રબળ બન્યો છે , ત્યારે એ મોકો મળશે તો ટીવી અને સોશ્યલ મીડિયામાં આપની સમક્ષ મુકીશ , ત્યાં સુધી આપને " યુ નેવર નો " હાથ લાગે તો ચૂકશો નહીં.
- જામ જયમલસિંહ એ.બી.જાડેજા
- મા આશાપુરા ન્યુઝ ,
ભુજ કચ્છ , ભારત.
94287 48643 વોટ્સએપ ,
97252 06123 - 37,
72260 06124 - 33,
Youtube : maa news live,
Android app : maa news.
Blog : maanewslive. blogspot. com
Kaushik sharing his thoughts through his paintings.....
સત્ય શાશ્વત હોય છે , 2500 વર્ષ પહેલાં બુદ્ધ ભગવાને કરેલી ગાથા 5000 વર્ષ પહેલાં કૃષ્ણ દ્વારા યુદ્ધ મેદાનમાં અર્જુનને માધ્યમ બનાવીને કહેવાઈ ગઈ હતી , તો આ જ ઉપદેશ 27 સપ્ટેમ્બર1893 માં સ્વામી વિવેકાનંદ પોતાની વાત શિકાગોમાં કરી હતી , અને આવા જ વિચારો ઓશો રજનીશે 1990 સુધી સતત કહેતાં રહ્યા હતા. અને 2017 અને મહીનો પણ વિવેકાનંદ શિકાગોમાં બોલ્યા હતા એ જ , હા સપ્ટેમ્બર 2017માં પ્રકાશિત થયેલ પુસ્તકનાં લેખક અને ચિત્રકાર ડૉ. કૌશિક શાહ પણ એ જ વિચારો મૂક્યા છે ,
આમ સત્ય અવિરત છે , પણ જો કોઈ પુસ્તક કે જેમાં ચિત્ર (પેઈન્ટિંગ) સાથે વિચારો અને એવા વિચારો કે વાંચતા જ કોઈ પણ વ્યક્તિ વિચારવા માટે "મજબૂર" બની જાય ( અહીં મજબૂર શબ્દ પ્રયોગ કર્યો છે , વ્યક્તિ વિચારવા લાગી જાય એમ પણ લખી શક્યો હોત , ) એટલે આ પુસ્તક વિશે લખવાનો વિચાર બે કારણે આવ્યો , એક કારણ એનું ટાઇટલ અને બીજું કારણ આ પુસ્તકમાં રહેલા પેઇન્ટિંગ .
પુસ્તક નું ટાઇટલ છે " (યુ નેવર નો) " આમ જોવા જઈએ તો શીર્ષક માં જ ડૉ. કૌશિક શાહે સાહસ કરી દીધું છે , કોઈ એમ કહે કે " તમે નહીં જાણતા હો " તો એક તબક્કે આપણે સામે વાળો વ્યક્તિ અભિમાની લાગે , પણ જ્યારે ધીમે ધીમે એ વ્યક્તિ ને ઓળખવા લાગીયે તો લાગશે કે ના એ અભિમાની નથી , પણ કંઈક એણે એવું જોઈ લીધું છે, મહેસુસ કરી લીધું છે , કંઈક એવો વિચાર નો તારો એક તણખાં ની જેમ એનાં માનસ પટ ઉપર ઝબકારો મારી ગયો હશે , અને ત્યારે જ એ હિમ્મત અને સાહસ કરીને લખી શકતો હશે કે " યુ નેવર નો " . એટલે એક કારણ પુસ્તકનું શીર્ષક .
આ પુસ્તક વિશે લખવાનું બીજું કારણ એનાં ચિત્ર , કોઈ એક જ વિષય ને લઈને 90 પાનાં સુધી વાચક ને પુસ્તક પકડી ને જકડી રાખવા મજબૂર કરવા એ જ સફળતા છે , સિદ્ધિ છે. માત્ર શબ્દો ની રમત કે માયાજાળ નહીં પણ ગહનતા અને ઊંડાઈ કે જેમાં સહેજે ડૂબકી મારવાનું મન થાય , જેને તરતાં નથી આવડતું એ પણ " ય હોમ " કરીને ભૂસ્સાકો મારી દેવાનું સાહસ કરી લે એવા ચિત્ર અને એને લઈને બાજુનાં પેજમાં મુકાયેલા વિચારો વાચક ને અલૌકિકતાનો અનુભવ કરાવી જાય છે .
ભગવાન બુદ્ધ ના જ ચિત્ર , હા માત્રને માત્ર બુદ્ધ અને એ જ્યારે પાનું પલટાવીએ કે બુદ્ધની બીજી તસ્વીર , બીજો જ ભાવ તાદ્રશ્ય થાય , એક પાનાં ઉપર ક્રોધની વાત છે તો બુદ્ધનાં એ પેઈન્ટીંગ ને જોતાં જ લાગે કે હા આમાં ક્રોધની વાત હશે , બુદ્ધ તો કરુણા અને શાંતિનું પ્રતિક પણ જ્યારે ચિત્રમાં લાલ રંગ નો ઉપયોગ કરીને ચિત્રકાર કૌશિક શાહે કમાલ કરી છે.
પુસ્તકનું બીજું અને ત્રીજું પાનું કોરું છે , આમ કોરું નથી પણ આમ જોવા જઈએ તો કોઈ જ પેઈન્ટીંગ કે વિચાર નથી , છતાં પૂરું પુસ્તક વાંચીને ફરી જયારે એ 2જુ અને 3જુ પાનું ઉઘાડીએ ત્યારે એમાં કંઈક જોવાય છે, કંઈક વંચાય છે , આમ પણ કવિની ભાષામાં વાત કરીએ તો સાચી કવિતા શબ્દોમાં નહીં પણ બે શબ્દોનાં ખાલીપામાં રહેલી હોય છે , તો પુસ્તકનું અંતિમ પાનું 92મુ પણ કોરું છે , ખાલી છે .
લાગે છે શરીરની વાઢ કાપ કરીને ડૉ. કૌશિક શાહને પણ બુદ્ધની જેમ માનસ પટ ઉપર વિચાર અંકુરિત થયો હશે કે આમાં વ્યક્તિ છે ક્યાં ? ક્યાં છે આ સૂતેલા શરીર , આ ચિયારેલાં શરીરમાં એ ભાગતો , દોડતો માણસ ? કોણ દોડે છે ? કોણ મહત્વકાંક્ષા લઈને આમતેમ ભાગે છે અને પછી થાકે છે ... ખબર નહીં પણ કંઈક આવું જ થયું હશે , અને એટલેજ પુસ્તકનાં 91માં પાને તેઓ લખે છે " ગાઢ અંધકારની રાત્રી એટલે અજ્ઞાનતા. અજ્ઞાનતા એ માનવીની કમનસીબી છે . અજ્ઞાની માણસ ક્યારે વિશ્વમાં પ્રકાશદીપ ફેલાવી શકતો નથી .... લોખંડનાં ખીલાને પાણીમાં મુકો તો ડૂબી જાય છે.પરંતુ જહાજ સાથે એનો સંબંધ બંધાતા એ તરતો થઈ જાય છે."
ડૉ. કૌશિક શાહને ચોક્કસ જહાજ મળી ગયું છે , એ પછી બુદ્ધ હોય, સાધ્વી શ્રી શીલાપીજી મહારાજ સાહેબ હોય , કે માતા પિતા હોય ,પત્ની કિંજલ શાહ હોય , કે કોઈ પૂર્વ જન્મનું કોઈ ભાથું હોય , જે હોય એ પણ જહાજ વગર લોખંડનો ખીલો ડૂબી જ જાય..
આ પુસ્તક મને આજે 17.જાન્યુઆરી 2018 ના મળ્યું ( મારી આળસ નાં કારણે થોડું મોડું મળ્યું ) પણ જેવું ઉઘાડયું કે એક જ બેઠેકે વાંચી લીધું અને પછી પોતે પત્રકાર , કવિ , સાહિત્ય પ્રેમી અને વાચક એટલે થયું લાવ મને મળ્યું એ બીજાને પણ વહેંચુ ..
મિત્રો આ પુસ્તકને લઈને ટૂંક જ સમયમાં ડૉ .કૌશિક શાહનો ઇન્ટરવ્યૂ લેવાનો વિચાર પણ પ્રબળ બન્યો છે , ત્યારે એ મોકો મળશે તો ટીવી અને સોશ્યલ મીડિયામાં આપની સમક્ષ મુકીશ , ત્યાં સુધી આપને " યુ નેવર નો " હાથ લાગે તો ચૂકશો નહીં.
- જામ જયમલસિંહ એ.બી.જાડેજા
- મા આશાપુરા ન્યુઝ ,
ભુજ કચ્છ , ભારત.
94287 48643 વોટ્સએપ ,
97252 06123 - 37,
72260 06124 - 33,
Youtube : maa news live,
Android app : maa news.
Blog : maanewslive. blogspot. com
અભિનંદન
ReplyDelete