Skip to main content

જુઓ વર્ષ 2018નું પ્રથમ ચંદ્રગ્રહણ : લાઈવ

🖋 આ વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ ૩૧ જાન્યુઆરી નાં ૭૭ મિનિટ સુધી લોકોએ નિહાળ્યું .

જાન્યુઆરીની 31 તારીખે 2018 વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ શરૂ થઈ ગયું છે. આ વર્ષે પાંચ ગ્રહણ થશે, જેમાંથી 3 સુર્ય ગ્રગણ અને 2 ચંદ્રગ્રહણ છે. પહેલું ચંદ્રગ્રહણ 31મી તારીખે થશે, 
જે કુલ 77 મિનિટ ચાલશે. આ ચંદ્રગ્રહણ સાંજે 5.58 મિનિટે શરૂ થશે, જે રાતના 8.41 સુધી ચાલશે.
ચંદ્રગ્રહણ લાઈવ જોવા લિંક ઉપર ક્લિક કરો 

માનવામાં આવી રહ્યું છે કે આ સમય દરમિયાન કોઈ કામ કરવું જોઈએ નહીં તેવી અનેક માન્યતાઓ છે , ચંદ્રગ્રહણ આમ તો વૈજ્ઞાનિક બાબત છે , પણ એમાં શાસ્ત્રો ની પણ અનેક માન્યતાઓ છે , અને એમાં પણ સૂક્ષ્મ રીતે વૈજ્ઞાનિક બાબતો છુપાયેલી છે , ગ્રહણ સમયે સ્વામિનારાયણ અને અનેક સંપ્રદાય માં ભજન કીર્તન , ગ્રહણ દરમિયાન કોઈ ચીજવસ્તુઓ ને ના અડકવી , ગ્રહણ પૂર્ણ થયા બાદ સ્નાન કરીને જ ભોજન લેવું જેવી અનેક પરમ્પરા જોવા મળે છે.


(ભુજ શ્રી સ્વામીનારાયણ મંદિરમાં સાંખ્ય યોગી બહેનો અને અનુયાયી બહેનો ચંદ્રગ્રહણ દરમિયાન સત્સંગ માં મગ્ન જોવા મળે છે. )


ચંદ્રગ્રહણ વિશે જાણીએ તો 

જ્યારે પૃથ્વી, સુર્ય અને ચંદ્રની વચ્ચે આવે છે, ત્યારે ચંદ્ર પર પડતા સુર્યાના કિરણોને રોકે છે અને તેમાં પોતાની છાયા બનાવે છે. આ ઘટનાને ચંદ્ર ગ્રહણ કહેવામાં આવે છે. તેને બ્લડ મુન પણ કહેવામાં આવે છે, કારણ કે આ દિવસે ચંદ્ર લાલા રંગનો દેખાય છે.
ગ્રહણ શું છે
પૌરાણિક કથા પ્રમાણે એક વાર સમુદ્ર મંથન દરમિયાન અસુરો અને દાનવોની વચ્ચે અમૃત માટે ઘમાસાણ યુદ્ધ ચાલી રહ્યું હતું. આ મંથનમાં અમૃત દેવતાઓને મળે છે પરંતુ અસરોએ તેમની પાસેથી છીનવી લીધું. અમૃતને પાછુ મેળવવા ભગવાન વિષ્ણુએ મોહિની નામની સુંદર કન્યાનું રૂપ લીધું અને અસુરો પાસેથી અમૃત લઈ આવ્યા. જ્યારે તેઓ અમૃત લઈને દેવતાઓ પાસે આવ્યા અને તેમને પીવડાવવા લાગ્યા તો રાહુ નામનો અસુર પમ તેમની વચ્ચે આવીને અમૃત પીવા લાગ્યો, જેવો જ તે અમૃત પીને ખસ્યો, ભગવાન સુર્ય અને ચંદ્રમાને ખબર પડી ગી કે તે અસુર છે. તરત જ વિષ્ણુ ભગવાને સુદર્શન ચક્રથી તેની ગરદન ઉડાવી દીધી. તેમે અમૃત પીધું હોવાને લીધે મર્યો નહીં પરંતુ તેનું માથું ને ધડ રાહુ અને કેતુ નામના ગ્રહ પર જઈ પડ્યું હતું. માનવામાં આવે છે કે આ ઘટનાને લીધે સુર્ય અને ચંદ્રને ગ્રહણ લાગે છે.

અગાઉ કહ્યું તેમ શાસ્ત્રો માં શુ કરવું અને શું કરવું એ વિશે અનેક સૂચનો અને નિયમો વાંચવા અને સાંભળવા મળે છે.

ગ્રહણ દરમિયાન ખુલ્લા આકાશમાં ન નીકળવું જોઈએ, ખાસ કરીને ગર્ભિત મહિલાઓ, વૃદ્ધ, રોગી અને બાળકોએ.

એવું કહેવામાં આવે છે કે ગ્રહણ શરૂ થયાના અને પતવાના સમય વચ્ચે કંઈ ખાવું જોઈએ નહીં.

કોઈપણ પ્રકારનું શુભ કામ કરવું ન જોઈએ. આથી જ ગ્રહણ દરમિયાન મંદિરને પણ બંધ કરી દેવામાં આવે છે.

ગ્રહણ દરમિયાન શું  કરવું

દાન કરવું જોઈએ, દાનમાં લોટ, ચોખા, ખાંડ, દાળ આપવી

ગ્રહણની ખરાબ અસરથી બચવા માટે દુર્ગા ચાલીસા અથવા શ્રીમદ ભાગવત ગીતા અથવા કોઈ પણ ધાર્મિક ગ્રંથનું વાંચન કરવું જોઈએ.

જેમને સાડા સાતની પનોતી ચાલી રહી હોય તેવા લોકોએ શનિ મંત્રનો અથવા હનુમાન ચાલીસાનો જાપ કરવો જોઈએ.
નાસા એ ચંદ્રગ્રહણ નું જીવંત પ્રસારણ કર્યું હતું જેને વિશ્વના અનેક દેશનાં અનેક લોકોએ નિહાળ્યું હતું , તો સાયન્સ ને લઈને કાર્ય કરતી સંસ્થાઓ પણ મોટા દૂરબીન અને સાધનો વડે લોકોને ચંદ્રગ્રહણ નો લાઈવ નઝારો દેખાડ્યો હતો .
ભુજમાં પણ આઈ.પી.એસ.એટલેકે ઇન્ડિયન પ્લેનેટરી સોસાયટી દ્વારા દર વખતની જેમ આ વખતે પણ ગ્રહણ ને લોકો નિહાળી તેમજ સમજી શકે એ માટેનું આયોજન ભુજ ખેંગારજી બાગ ખાતે આઇપીએસ સેન્ટર ખાતે કરાયું હતું.ક્લિક કરો લિંક 

- *મા આશાપુરા ન્યુઝ* ,
ભુજ કચ્છ , ભારત.

*94287 48643 વોટ્સએપ* ,
97252 06123 - 37,
72260 06124 - 33,
(Advertisement)
*Youtube* : maa news live,
*Android app* : maa news.
*Blog* : maanewslive. blogspot. com
*Facebook* : maa news live page */* group
*Twitter* : @jaymalsinhB

Comments

Popular posts from this blog

કેમ્પ એરીયામાં જફાર રમજુ થેબાની હત્યા..

કેમ્પ એરીયામાં જફાર રમજુ થેબાની હત્યા.. (મૃતક જફાર ની ફાઇલ તસ્વીર) અવારનવાર ભુજના ભીડ ફળીયા અને કેમ્પ એરિયામાં હત્યા અને હુમલાના બનાવો બનતા હોય છે. ગુન્હાખોરીનો ગ્રાફ આ વિસ્તારમાં કાયમ ઉંચકાયેલો જોવા મળે છે ત્યારે આજે (૨૨-૧) કેમ્પ એરિયામાં જફાર રમજુ થેબાની હત્યા થઇ હતી. જફારને છરી મારનાર સિકંદર અનવર લાખા નામનો વ્યક્તિ હોવાનું બહાર આવ્યું છે. વધુ વિગતો પોલીસ તપાસ બાદ બહાર આવશે. અહેવાલ અને તસ્વીર-કિરણ ગોરી (હત્યા થઈ તે સ્થળ)

બે ભાનુશાલી યુવક ઉપર સ્કોર્પિયો ચડાવી દેવાઈ : એકનું મોત

માનકુવા ભુજ હાઈવે પર અકસ્માત માં એક નું મોત, અગાઉનું મનદુઃખ કારણભુત સ્કોર્પિયો અને બાઈક વચ્ચેનો અકસ્માત  પ્રાપ્ત વિગતો મુજબ હતભાગી અર્જુન મોરારજી ભાનુશાલી ઉ.વ. ૨૨ રહે ઝૂરા અને તેનો મિત્ર પ્રભુ ભાનુશાળી ઉ.વ. ૨૫ રહે ભુજ માનકુવા થી ભુજ આવી રહ્યા હતા ત્યારે સામે થી આવી રહેલ સ્કોર્પીઓ કાર ધડાકા ભેર અથડાતા mestro સ્કુટર ચાલક અર્જુનનું ઘટના સ્થળે મોત થયું અને સાથે આવી રહેલ પ્રભુ ભાનુશાળીને ઈજાઓ થતા ભુજ ની જી.કે જનરલ હોસ્પિટલ દાખલ કરાયા છે. મૃતક અર્જુન ભાનુશાલી સ્કોર્પીઓ ચાલક અને અન્યો કાનજી, ધીરજ ભીમજી , જગદીશ, દિનેશ દેવજી તેમજ અન્યો કાર ઘટના સ્થળે છોડી અને નાસી છુટ્યા. જાણવા મળતી માહિતી મુજબ અકસ્માત માટે અગાઉં નું મનદુઃખ કારણભુત છે. ઘાયલ પ્રભુ ભાનુશાલી ઘટનાની જાણ થતાં ભાનુશાળી સમાજ સહીત નાં અન્ય આગેવાનો હોસ્પિટલ ખાતે એકઠા થયા હતા. જીકે માં એકઠા થયેલા ભાનુશાલી સમાજનાં લોકો સમપૂર્ણ વિગત માટે વાંચો : ભુજ તાલુકાના માનકુવા ગામ ખાતે આજરોજ એક ગંભીર અકસ્માત સર્જાયો હતો.જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.અને એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જાણવા મળતી વિગતો અનુસાર , ભુજ મ

દેવાંધ માણેક ગઢવીની હત્યા, શિવરાત્રીનીનાં ગૂમ થયેલ, આરોપીની અટકાયત

🖋 શિવરાત્રી નાં ગૂમ થયેલ દેવાંધ માણેક ગઢવીની લાશ બોર માંથી મળી. આરોપીની અટકાયત કરાઈ. 13 ફેબ્રુઆરી શિવરાત્રીની રાતે ભજન સાંભળવા ગયેલા અને ત્યારબાદ ગુમ થયેલા માંડવી તાલુકાનાં ભાડિયા ગામના ગઢવી દેવાંધ માણેક ની ધારીયા જેવા તીક્ષ્ણ હથિયારથી હત્યા કરાઈ છે અને આજે 6 દિવસ બાદ દેવાંધ ની લાશ વાડી વિસ્તારમાંથી એક બોર માંથી મળી આવી છે. આ ચકચારી બનાવમાં પોલીસે બે આરોપીની અટકાયત કરી છે , માંડવી પોલીસે ગઈકાલે દારૂના કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી હતી તે ખીમરાજ હરિ ગઢવી , રામ પબુ ગઢવી જ દેવાંધ નાં હત્યારા હોવાનું પ્રાથમિક તપાસમાં પોલીસ માની રહી છે , સત્તાવાર જાહેર પોલીસ કરશે , હાલ બને આરોપીઓની ઉલટ તપાસ ચાલુ છે , આ હત્યા રૂપિયાની લેતી દેતી માટે થઈ હોવાનું જાણવા મળે છે. દેવાંધ ગુમ થયા બાદ ગઢવી આજે રૂબરૂ માંડવી પોલીસે જઈ તપાસ કરવા જણાવ્યું હતું , હત્યા કયા કારણોસર કરાઈ છે અને કોણે કરી છે પોલીસ એ દિશામાં તાપસ આદરી દીધી છે. - *મા આશાપુરા ન્યુઝ* , ભુજ કચ્છ , ભારત. *94287 48643 વોટ્સએપ* , 97252 06123 - 37, 72260 06124 - 33, *Youtube* : maa news live, *Android app* : maa news. *Blog* : maanewsliv