Skip to main content

Posts

પોલીસના ત્રણ કર્મીઓ પર છરી વડે હુમલો..

🖋આરોપીને પકડવા જતા બી-ડિવીઝન પોલીસના ત્રણ કર્મીઓ પર કરાયો છરી વડે હુમલો.. જાણવા મળતી પ્રાથમિક વિગતો અનુસાર ભુજ શહેરના દિનદયાલ નગર ખાતે ફરતો અને ખૂન ના કેસનો આરોપી એવો કાસમ મામદ નોતિયારને બી ડીવીઝન પોલીસના ત્રણ કર્મીઓ ને પકડવા ગયા હતા ત્યારે આરોપી એવા કાસમ ને આ વાત ની જાણ થઇ જતા તે સતર્ક બની ગયો હતો અને તેને પકડવા આવેલ જયદિપસિંહ પ્રો. ASI, પ્રકાશભાઈ-કોન્સ્ટેબલ અને સુરેશભાઈ ડ્રાઈવર પર ગંભીર હુમલો કરીને કાસમ નાશી છૂટ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આરોપી કાસમ મામદ નોતિયાર ભૂતકાળમાં તેના જ બનેવી ના ખૂન કેસમાં સજા કાપી રહ્યો છે અને હાલ પેરોલ પર છૂટ્યો છે. ગઈ કાલે લૂટનો બનાવ અને આજે (૧૯-૧) ના રોજ ખુદ પોલીસ પર જ જીવલેણ હુમલો થતા ક્યાંક પોલીસની ધાક આરોપીઓ પર ઓછી થઇ રહી છે તેવું ચોક્કસ જણાઈ આવે છે. હાલ ત્રણેય પોલીસ કર્મીઓને ભુજ જી.કે. જનરલમાં પ્રાથમિક સારવાર અપાઈ ને ભુજની નાણાવટી હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આવી ઘટના બનતા પોલીસે આરોપી કાસમને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. અહેવાલ અને તસ્વીર-કિરણ ગોરી - મા આશાપુરા ન્યુઝ , ભુજ કચ્છ , ભારત. 94287 48643 વોટ્સએપ , 97252 06123 - 37, 72260 ...

ફિલ્મ "પદ્માવત" ને લઇ ને કચ્છમાં પડ્યા પડઘા : કરણી સેના એ કર્યો ઉગ્ર વિરોધ..

"પદ્માવત" ફિલ્મને લઈને કચ્છમાં પણ પડઘા, કરણીસેનાએ કચ્છમાં અલગ-અલગ જગ્યાએ કર્યો ઉગ્ર વિરોધ.. ફિલ્મ પદમાવતનો વિરોધ સમગ્ર ભારતમાં થઈ રહ્યો હતો, ત્યારે સંજય લીલા ભણસાલીઈ સુપ્રીમમાં અરજી કરી હતી અને સુપ્રીમ કોર્ટે ફિલ્મને લીલીઝંડી આપી હતી. આ ઘટનાના બીજા જ દિવસે એટલે કે આજે કચ્છમાં વિવિધ સ્થળોએ ફિલ્મ ''પદ્માવત'' ને લઈને કરણીસેના દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. દેશલપર-નખત્રાણા હાઇવે પર કરણીસેના તેમજ હોદેદારોએ ફિલ્મ રીલીઝ ન થાય તે માટે ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો. અને સમગ્ર હાઇવે પર ચક્કાજામ કર્યો હતો, તો બીજી બાજુ ભચાઉ-રામદેવપીર હાઇવે પર પણ કરણીસેનાએ વિરોધ દર્શાવીને એવા સંકેતો આપી દીધા હતા કે રાજપૂત સમાજ કોઇપણ સંજોગોમાં ઈતિહાસ સાથે ચેડા નહી જ ચલાવી લે. તેમજ આગેવાનોએ એવી પણ ચીમકી આપી હતી કે કચ્છમાં ક્યાંય પણ ફીલ્મને રીલીઝ થવા દેવામાં નહી આવે. અને સરકાર આ તરફ ઘટતું નહી કરે તો કરણી સેના ઘટતું કરવામાં પાછી પાની નહી કરે. કિશાન હોટેલ ભચાઉથી સામખીયાળી ટોલગેટ સુધી ભારે ટ્રાફિક જામની સ્થિતિ જોવા મળી હતી અને રાજપૂત સમાજના આગેવાન તેમજ કરણીસેના કચ્છના ...

માધાપર થી દારૂ પકડતી એલ.સી.બી.

🖋 ભુજ તાલુકાના માધાપર ગામે ચૈતન્ય સોસાયટી ખાતેથી ઇંગ્લીશ દારૂનો જથ્થો પકડતી એલ.સી.બી.  એલ.સી.બી. સ્ટાફના  માણસો ભુજ તાલુકામા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન માધાપર ગામે આવતા મળેલ ખાનગી બાતમી હકિકત આધારે આરોપીઓ*_(૧)વિશાલ હરેશભાઇ માખીજા ઉ.વ.૧૯ રહે.માધાપર નવાવાસ, ચૈતન્ય સોસાયટી, તા.ભુજ (ર)ધર્મેશ દિલીપભાઇ ઠકકર ઉ.વ.૨૫ રહે.ઓરીયન્ટ કોલોની પાછળ, ઇન્દીરાનગરી, વી.ડી.હાઇસ્કુલની સામે ભુજ _* વાળાઓ પૈકી નંબર - (૧) વાળાના રહેણાંક મકાનમાથી *_ઇંગ્લીશ દારૂના ૭૫૦ મિ.લી.ની બોટલો નંગ-૬૦ કિં.રૂા. ૨૧,૦૦૦/-_*નો પ્રોહી.મુદ્દામાલ તથા *_મોબાઇલ ફોન નંગ-ર કિ.રૂા.૨૫૦૦/- તથા એકસેસ મોટરસાઇકલ કિ.રૂા.૨૦,૦૦૦/- એમ કુલે રૂા.૪૩,૫૦૦/-ના મુદામાલ સાથે _*ઉપરોક્ત બંને આરોપીઓ પકડાયઇ જઇ જતા દારૂ આપનાર આરોપી ઇબ્રાહીમ હાસમ કેવર રહે.વાલ્મીકીનગર, ભુજ વાળો હાજર નહી મળી ત્રણે આરોપીઓએ ગુન્હો કરેલ હોય મજકુર મજકુર ત્રણેય આરોપીઓ વિરૂધ્ધ ભુજસીટી બી-ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો રજીસ્ટર કરાવવામાં આવેલ છે.

જીએસટી કાઉન્સિલ માં પેટ્રોલની વાત નહીં

🖋 જીએસટી કાઉન્સિલ : પેટ્રોલનો નિર્ણય બાકી જીએસટી કાઉન્સિલ 29 હસ્તકલા વસ્તુઓના ટેક્સ દરો ઘટાડે છે, આગામી બેઠકમાં પેટ્રોલનાં ભાવ અંગેનો નિર્ણય લેવાશે એવું નાણામંત્રી અરુણ જેટલીએ જણાવ્યું હતું . લગભગ 29 હેન્ડિક્રાફ્ટની વસ્તુઓ કોઈ કરને આકર્ષિત કરશે અને ભારપૂર્વક જણાવાયું છે કે હસ્તકલા ઉદ્યોગમાં નોકરીઓનું રક્ષણ કરવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. સુધારેલા જીએસટી રેટ 25 જાન્યુઆરીથી લાગુ થશે.  જીએસટી કાઉન્સિલે ગુરુવારે 29 વસ્તુઓ અને 53 કેટેગરીની સેવાઓનો કર ઘટાડવાનો નિર્ણય કર્યો છે, જ્યારે નાણા પ્રધાન અરુણ જેટલીએ જણાવ્યું હતું કે જીએસટીના કાર્યક્ષેત્ર હેઠળ પેટ્રોલિયમ અને અન્ય મુક્તિ માલ લાવવાનો નિર્ણય આગામી બેઠકમાં લેવામાં આવશે.  બેઠક બાદ મીડિયાને સંબોધતાં જેટલીએ જણાવ્યું હતું કે, હસ્તકલાની 29 જેટલી ચીજ વસ્તુઓને કોઈ ટેક્સ નહીં મળે અને ભારપૂર્વક જણાવાયું હતું કે હસ્તકલા ઉદ્યોગમાં નોકરીઓનું રક્ષણ કરવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. ભારત દર વર્ષે આશરે રૂ. 4,000 કરોડની હસ્તકલાની નિકાસ કરે છે, જેમાં હાથબનાવટનો કાર્પેટનો સમાવેશ થાય છે. હાલમાં, હસ્તકલા વસ્તુઓ 12 થી 18 ...

પદ્માવત રિલીઝ તો પરીણામ માટે રહેજો તૈયાર : કરણીસેના

🖋ગુજરાતમાં રિલીઝ થશે ફિલ્મ પદ્માવત, સુપ્રિમે હટાવ્યો પ્રતિબંધ.. જો પદ્માવત રિલીઝ થશે તો પરિણામ માટે તૈયાર રહે સરકાર : કાલવી સાહેબ સંજય લીલા ભણસાળીની બહુ ચર્ચિત ફિલ્મ 'પદ્માવત' પરનો પ્રતિબંધ સુપ્રિમ કોર્ટે હટાવી લીધો છે. ગુજરાત સહિતના પાંચ રાજ્યોમાં પદ્માવતની રિલીઝ પર પ્રતિબંધ મૂક્યો હતો. જેની સામે ફિલ્મના પ્રોડ્યૂસર્સ સંજય લીલા ભણસાળી સુપ્રિમ કોર્ટમાં ગયા હતા. આજે સુપ્રિમ કોર્ટે આ અરજી પર સુનાવણી કરતા ફિલ્મની રિલીઝ પરનો પ્રતિબંધ હટાવી લીધો છે.  હવે દેશભરમાં ફિલ્મ 25 જાન્યુઆરીના રોજ રિલિઝ થશે. આ પહેલાં ફિલ્મને રિલીઝ કરવાની હતી પરંતુ રાજપૂતોના વિરોધને જોતાં ફિલ્મની રીલિઝને અટકાવી દેવામાં આવી હતી. ત્યારે હવે સમગ્ર ભારતમાં કરણી સેના દ્વારા વિરોધ કરવામાં આવી રહેલી ફિલ્મ "પદ્માવત" સામે હવે કરણી સેના અને રાજ્ય સરકારનું શું સ્ટેન્ડ રહે છે તે જોવું રહ્યું.

જીએસટી પરિષદ માં વળતરની સરળતા

મા ન્યુઝ : જીએસટી પરિષદ માં વળતરની સરળતા, કાર્ડ્સ પર દરોમાં ઘટાડા થશે . કરદાતાઓ વાર્ષિક રૂ. 1.5 કરોડ માત્ર ત્રિમાસિક વળતર ફાઇલ કરી શકે છે, અન્ય તમામ વર્ગો દ્વારા માસિક વળતર ફાઇલ કરતી વખતે ચાલુ રાખવામાં આવે છે. જીએસટી સંબંધી કાયદામાં આવશ્યક કાયદાકીય સુધારાની ચર્ચા કરવામાં આવશે, જેથી સરકાર સંસદના બજેટ સત્રમાં ફેરફારો દ્વારા દબાણ કરી શકે. જીએસટી રીટર્ન ફાઇલિંગ પ્રક્રિયાને કેટલાક વળતર, ઇન્વૉઇસ મેચિંગ, ઇ-વે બિલ માટે ટેકનોલોજીકલ સપોર્ટ, 1 ફેબ્રુઆરીથી ફરજિયાત રોલઆઉટ પહેલાં અને મોટા સર્વિસ પ્રોવાઇડર્સ માટે કેન્દ્રિત રજીસ્ટ્રેશન માટે જીએસટી કાઉન્સિલ દ્વારા ચર્ચા કરવામાં આવનારી કેટલાક મુદ્દાઓ છે.  કાઉન્સિલ જીએસટી સંબંધી કાયદામાં આવશ્યક કાયદાકીય સુધારા અંગે ચર્ચા કરશે, જેથી સરકાર સંસદના બજેટ સત્રમાં ફેરફાર કરી શકે છે, જે 29 જાન્યુઆરીથી શરૂ થાય છે. 2018-19ના કેન્દ્રીય બજેટ પહેલાંની તેની છેલ્લી બેઠકમાં, જીએસટી કાઉન્સિલ વિવિધ હિત જૂથો પાસેથી મળેલી રજૂઆતોને ધ્યાનમાં રાખીને કૃષિ સાધનો જેવા વસ્તુઓ અને સેવાઓ માટે જીએસટી દરોમાં ઘટાડો કરવાનું વિચારશે. કાઉન્સિલની કાયદો સમીક્ષા સમિતિ, જેનો...

You Never Know : Thoughts Through Painting

You Never Know: 2500 Years Ago In 2017 Kaushik sharing his thoughts through his paintings.... The truth is eternal; 2500 years ago, the Gita made by Lord Buddha was called by Arjun by means of Krishna in battleground 5000 years ago, this same teaching was done by Swami Vivekananda in Chicago on September 27, 1893, and such views are continued by Osho Rajneesh They were saying so. And the words of Vivekananda in Chicago, 2017 and Mahi, were the same, yes, author and illustrator of the book published in September 2017. Kaushik Shah also has the same ideas, Thus, the truth is endless, but if a book in which ideas with painting and thoughts and thoughts read, any person will be "forced" to think (Here the word has been used, the person might have thought of writing ,) So the idea of ​​writing about this book came for two reasons,  one reason is the title and another reason the painting in this book. The title of the book is "(You Never Know)". Kaushik Shah has ...