Skip to main content

જાગો ગ્રાહક જાગો : હવે વીજકાપનો ઝાટકો વિજકંપનીને


તંત્રી લેખ
જાગો ગ્રાહક જાગો : હવે વીજકાપનો ઝાટકો વિજકંપનીને

ભારતમાં ગ્રાહક સુરક્ષા અને ગ્રાહકનાં અધિકારો માટે પહોળા માર્ગો છે , પણ વર્ષોથી શોષણ માટે ટેવાઈ ગયેલો ભારતનો નાગરિક એટલે કે ગ્રાહક પોતાનાં અધિકાર વિશે જ અભાન જોવા મળે છે, ભારતનું ન્યાયાલય પણ સમયાંતરે ગ્રાહક ને જાગૃત કરે છે અને પોતાનાં હક્ક અને અધિકાર વિશે જાણ કરે છે કે જ્યારે ગ્રાહક કોઈ પણ સુવિધા કે ચીજ વસ્તુ ખરીદી કરે છે ત્યારે ગ્રાહક એને પામી કે માણી શકે છે , અને એની વચ્ચે જો વ્યાપારી કે સુવિધા કે સેવા પૂરી પાડનાર કંપની જો ખરી ના ઉતરે તો ગ્રાહક પોતાનાં અધિકાર માટે લડી શકે છે .
 આ જ મુદ્દે વાત કરીએ વીજળી ની , લાઇટની તો ઘર કે ઓફિસમાં ઘણીવાર વીજ પુરવઠો ખોરવાય ત્યારે આપણે માત્ર જે માત્ર વીજળી કયારે આવશે એની રાહ જોવા સિવાય કંઈ નથી કરતાં અથવા તો કઈ નથી કરી શકતા , પણ હવે એવું નહીં થાય.. હવે કેન્દ્ર સરકાર એવો નિયમ બનાવવા પર વિચાર કરી રહી છે કે જે લાગુ થયા બાદ વીજળી પૂરી પાડતી કંપનીઓ જો સપ્લાયમાં કાપ મૂકશે તો ઝાટકો એટકે કે શોક વિજકંપનીને લાગશે , પીજીવીસીએલ કે જેતે વિજકંપની ઉપર પર ગાળીયો કસાશે.
 પ્રાપ્ત માહિતી અનુસાર કેન્દ્ર સરકારનું ઊર્જા મંત્રાલય વીજળી એક્ટમાં સંશોધન કરવા પર વિચાર કરી રહ્યું છે. સંશોધન થયાં બાદ વીજકાપ કરનારી કંપનીઓ પાસેથી દંડ વસૂલાશે અને સાથે એવી પણ દરખાસ્ત છે કે જેના દ્વારા ગેસ સબસિડીની જેમ રાજ્યો દ્વારા વીજળી પર આપવામાં આવતી સબસિડી પણ લોકો સુધી ડાયરેક્ટ પહોંચી જશે. ઊર્જા મંત્રાલય બજેટ સત્ર દરમિયાન જ વીજળી એક્ટમાં સંશોધન કરવા માટે બિલ રજૂ કરી શકે છે. જો બિલ પાસ થયું તો વીજળી આપવાની પોતાની ફરજને યોગ્ય રીતે ન નીભાવનાર કંપનીઓ પર દિવસના હિસાબથી દંડ લગાવાશે.
જો કે બિલમાં એ પણ દરખાસ્ત હશે કે પ્રાકૃતિક આપત્તિઓ જેવી કે ચક્રવાત, તોફાન અને પૂર જેવી પરીસ્થિતિ દરમિયાન કંપનીઓને છૂટ મળી શકશે. એટલે હવે "જાગો ગ્રાહક જાગો " અને અંતમાં એ પણ એટલુંજ સત્ય છે કે કોર્ટ એટલેકે ન્યાયાલય પણ એનેજ ન્યાય આપે છે જાગેલો છે...



 જામ જયમલસિંહ એ.બી.જાડેજા.
- મા આશાપુરા ન્યુઝ
ભુજ કચ્છ, ભારત.
૯૪૨૮૭૪૮૬૪૩ વોટ્સએપ,
 ૯૭૨૫૨૦૬૧૨૩ - ૩૭.
૭૨૨૬૦૦૬૧૨૪ -૩૩.
Youtube : maa news live
Android app : maa news
Publishing Today , Created on Jan 11, 2018

Comments

Popular posts from this blog

કેમ્પ એરીયામાં જફાર રમજુ થેબાની હત્યા..

કેમ્પ એરીયામાં જફાર રમજુ થેબાની હત્યા.. (મૃતક જફાર ની ફાઇલ તસ્વીર) અવારનવાર ભુજના ભીડ ફળીયા અને કેમ્પ એરિયામાં હત્યા અને હુમલાના બનાવો બનતા હોય છે. ગુન્હાખોરીનો ગ્રાફ આ વિસ્તારમાં કાયમ ઉંચકાયેલો જોવા મળે છે ત્યારે આજે (૨૨-૧) કેમ્પ એરિયામાં જફાર રમજુ થેબાની હત્યા થઇ હતી. જફારને છરી મારનાર સિકંદર અનવર લાખા નામનો વ્યક્તિ હોવાનું બહાર આવ્યું છે. વધુ વિગતો પોલીસ તપાસ બાદ બહાર આવશે. અહેવાલ અને તસ્વીર-કિરણ ગોરી (હત્યા થઈ તે સ્થળ)

બે ભાનુશાલી યુવક ઉપર સ્કોર્પિયો ચડાવી દેવાઈ : એકનું મોત

માનકુવા ભુજ હાઈવે પર અકસ્માત માં એક નું મોત, અગાઉનું મનદુઃખ કારણભુત સ્કોર્પિયો અને બાઈક વચ્ચેનો અકસ્માત  પ્રાપ્ત વિગતો મુજબ હતભાગી અર્જુન મોરારજી ભાનુશાલી ઉ.વ. ૨૨ રહે ઝૂરા અને તેનો મિત્ર પ્રભુ ભાનુશાળી ઉ.વ. ૨૫ રહે ભુજ માનકુવા થી ભુજ આવી રહ્યા હતા ત્યારે સામે થી આવી રહેલ સ્કોર્પીઓ કાર ધડાકા ભેર અથડાતા mestro સ્કુટર ચાલક અર્જુનનું ઘટના સ્થળે મોત થયું અને સાથે આવી રહેલ પ્રભુ ભાનુશાળીને ઈજાઓ થતા ભુજ ની જી.કે જનરલ હોસ્પિટલ દાખલ કરાયા છે. મૃતક અર્જુન ભાનુશાલી સ્કોર્પીઓ ચાલક અને અન્યો કાનજી, ધીરજ ભીમજી , જગદીશ, દિનેશ દેવજી તેમજ અન્યો કાર ઘટના સ્થળે છોડી અને નાસી છુટ્યા. જાણવા મળતી માહિતી મુજબ અકસ્માત માટે અગાઉં નું મનદુઃખ કારણભુત છે. ઘાયલ પ્રભુ ભાનુશાલી ઘટનાની જાણ થતાં ભાનુશાળી સમાજ સહીત નાં અન્ય આગેવાનો હોસ્પિટલ ખાતે એકઠા થયા હતા. જીકે માં એકઠા થયેલા ભાનુશાલી સમાજનાં લોકો સમપૂર્ણ વિગત માટે વાંચો : ભુજ તાલુકાના માનકુવા ગામ ખાતે આજરોજ એક ગંભીર અકસ્માત સર્જાયો હતો.જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.અને એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જાણવા મળતી વિગતો અનુસાર , ભુજ મ

દેવાંધ માણેક ગઢવીની હત્યા, શિવરાત્રીનીનાં ગૂમ થયેલ, આરોપીની અટકાયત

🖋 શિવરાત્રી નાં ગૂમ થયેલ દેવાંધ માણેક ગઢવીની લાશ બોર માંથી મળી. આરોપીની અટકાયત કરાઈ. 13 ફેબ્રુઆરી શિવરાત્રીની રાતે ભજન સાંભળવા ગયેલા અને ત્યારબાદ ગુમ થયેલા માંડવી તાલુકાનાં ભાડિયા ગામના ગઢવી દેવાંધ માણેક ની ધારીયા જેવા તીક્ષ્ણ હથિયારથી હત્યા કરાઈ છે અને આજે 6 દિવસ બાદ દેવાંધ ની લાશ વાડી વિસ્તારમાંથી એક બોર માંથી મળી આવી છે. આ ચકચારી બનાવમાં પોલીસે બે આરોપીની અટકાયત કરી છે , માંડવી પોલીસે ગઈકાલે દારૂના કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી હતી તે ખીમરાજ હરિ ગઢવી , રામ પબુ ગઢવી જ દેવાંધ નાં હત્યારા હોવાનું પ્રાથમિક તપાસમાં પોલીસ માની રહી છે , સત્તાવાર જાહેર પોલીસ કરશે , હાલ બને આરોપીઓની ઉલટ તપાસ ચાલુ છે , આ હત્યા રૂપિયાની લેતી દેતી માટે થઈ હોવાનું જાણવા મળે છે. દેવાંધ ગુમ થયા બાદ ગઢવી આજે રૂબરૂ માંડવી પોલીસે જઈ તપાસ કરવા જણાવ્યું હતું , હત્યા કયા કારણોસર કરાઈ છે અને કોણે કરી છે પોલીસ એ દિશામાં તાપસ આદરી દીધી છે. - *મા આશાપુરા ન્યુઝ* , ભુજ કચ્છ , ભારત. *94287 48643 વોટ્સએપ* , 97252 06123 - 37, 72260 06124 - 33, *Youtube* : maa news live, *Android app* : maa news. *Blog* : maanewsliv