ગ્વાટેમાલામાં ફુગો જ્વાળામુખીમાં થયેલા ભયાનક વિસ્ફોટમાં મૃતાંક વધ્યો છે. આજે બીજા દિવસે પણ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. રાહત અને ઈમરજંસી વિભાગના પ્રવક્તા ડેવીડ ડી લિયોને જણાવ્યું હતું કે, પીડિતોની શોધખોળ દરમિયાન અનેક મૃતદેહો મળી આવ્યાં હતાં. જ્વાળામુખી ફાટવાથી નિપજેલા મોતની સંખ્યા 65 થઈ ગઈ છે. આ ઘટનામાં 46 લોકો ઘાયલ થયાં છે જેમાં પણ મોટા ભાગની હાલત ગંભીર જણાવાઈ રહી છે.
જ્વાળામુખી ફાટવાની ઘટના કેટલી ભયાનક હશે તેનો અંદાજ એ વાત પરથી જ લગાવી શકાય કે 17 લાખ લોકોને અસર પહોંચી છે. 3,271 લોકોને સુરક્ષીત સ્થળે ખસેડવામાં આવ્યાં છે. ગત રવિવારે ગ્વાટેમાલામાં 3,763 મીટર ઉંચા ફુગો જ્વાળામુખીમાં ભારે વિસ્ફોટ થયો હતો. આ સાથે જ જ્વાળામુખીમાંથી મોટા પ્રમાણમાં લાવા અન રાખ બહાર આવ્યાં હતાં. જે આસપાસના વિસ્તારમાં ફેલાતા મોટા પ્રમાણમાં નુંકશાન થયું હતું. જ્વાળામુખી ફાટવાના કારણે અત્યાર સુધીમાં જ 65 લોકોના મોત નિપજ્યાં છે. હજી પણ મૃતાંક વધી શકે છે. ગ્વાટેમાલાની ઈનરજંસી મેનેજમેંટ એજંસીના સર્ગિયો કબાનાસે જણાવ્યું હતું કે, અનેક લોકો લાપતા થયા છે. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એંટોનિયો ગુટરેસે જણાવ્યું હતું કે, તેઓ આ વિસ્ફોટમાં લોકોના મોત અને થયેલા ભારે નુંકશાનથી ખુબ જ દુખી છે. સંયુક્ત રાષ્ટ્ર બચાવ અને રાહતના પ્રયાસોમાં મદદ કરવા તૈયાર છે.
- મા આશાપુરા ન્યુઝ,
ભુજ કચ્છ , ભારત.
94287 48643 વોટ્સએપ,
97252 06123 - 37,
72260 06124 - 33,
Youtube : maa news live,
Android app : maa news.
Blog : maanewslive. blogspot. com
Facebook : maa news live page / group
Twitter : @jaymalsinhB
Comments
Post a Comment