જોધપુર: વીસ વર્ષ જૂના કાળિયારના શિકાર મામલે જોધપુરની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે આજે અભિનેતા સલમાન ખાન ને દોષી જાહેર કર્યો છે. આ મામલે સલમાનને 5 વર્ષની જેલ અને 10 હજાર રૂપિયાના દંડની સજા સંભળાવવામાં આવી છે. કોર્ટથી સલમાનને સીધો જોધપુરની સેન્ટ્રલ જેલમાં મોકલવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આસારામ બાપુ પણ સગીરા સાથે બળાત્કારના મામલે જોધપુરની જેલમાં છેલ્લાં 5 વર્ષથી સજા કાપી રહ્યા છે. તેઓ 2013થી જોધપુરની જેલમાં બંધ છે. જોધપુર જેલની બેરેક -1 માં સલમાન ખાનને રાખવામાં આવશે, જ્યારે આસારામ બાપુ બેરેક -2માં બંધ છે. બંને જેલમાં પાડોશીઓ બનશે.
કચ્છની સૌથી વધારે ફેલાવો ધરાવતી ન્યુઝ ચેનલ