🖋ગુજરાતમાં રિલીઝ થશે ફિલ્મ પદ્માવત, સુપ્રિમે હટાવ્યો પ્રતિબંધ..
જો પદ્માવત રિલીઝ થશે તો પરિણામ માટે તૈયાર રહે સરકાર : કાલવી સાહેબ
સંજય લીલા ભણસાળીની બહુ ચર્ચિત ફિલ્મ 'પદ્માવત' પરનો પ્રતિબંધ સુપ્રિમ કોર્ટે હટાવી લીધો છે. ગુજરાત સહિતના પાંચ રાજ્યોમાં પદ્માવતની રિલીઝ પર પ્રતિબંધ મૂક્યો હતો. જેની સામે ફિલ્મના પ્રોડ્યૂસર્સ સંજય લીલા ભણસાળી સુપ્રિમ કોર્ટમાં ગયા હતા. આજે સુપ્રિમ કોર્ટે આ અરજી પર સુનાવણી કરતા ફિલ્મની રિલીઝ પરનો પ્રતિબંધ હટાવી લીધો છે.
હવે દેશભરમાં ફિલ્મ 25 જાન્યુઆરીના રોજ રિલિઝ થશે. આ પહેલાં ફિલ્મને રિલીઝ કરવાની હતી પરંતુ રાજપૂતોના વિરોધને જોતાં ફિલ્મની રીલિઝને અટકાવી દેવામાં આવી હતી. ત્યારે હવે સમગ્ર ભારતમાં કરણી સેના દ્વારા વિરોધ કરવામાં આવી રહેલી ફિલ્મ "પદ્માવત" સામે હવે કરણી સેના અને રાજ્ય સરકારનું શું સ્ટેન્ડ રહે છે તે જોવું રહ્યું.
જોકે કરણી સેનાનાં લોકેન્દ્ર કાલવી સાહેબે ચીમકી ઉચ્ચારી છે કે જો પદ્માવત ફિલ્મ રિલીઝ થશે તો પરિણામ માટે તૈયાર રહેવું પડશે . મીડિયા સાથે તેમણે એક ઇન્ટરવ્યુમાં આ ચીમકી ઉચ્ચારી હતી. (ઇન્ટરવ્યૂ જોવા લિંક ને ક્લીક કરો :
https://youtu.be/BWmVbR5CjfY
- મા આશાપુરા ન્યુઝ ,
ભુજ કચ્છ , ભારત.
94287 48643 વોટ્સએપ ,
97252 06123 - 37,
72260 06124 - 33,
Youtube : maa news live,
Android app : maa news.
Blog : maanewslive. blogspot. com
Comments
Post a Comment