"પદ્માવત" ફિલ્મને લઈને કચ્છમાં પણ પડઘા, કરણીસેનાએ કચ્છમાં અલગ-અલગ જગ્યાએ કર્યો ઉગ્ર વિરોધ..
ફિલ્મ પદમાવતનો વિરોધ સમગ્ર ભારતમાં થઈ રહ્યો હતો, ત્યારે સંજય લીલા ભણસાલીઈ સુપ્રીમમાં અરજી કરી હતી અને સુપ્રીમ કોર્ટે ફિલ્મને લીલીઝંડી આપી હતી. આ ઘટનાના બીજા જ દિવસે એટલે કે આજે કચ્છમાં વિવિધ સ્થળોએ ફિલ્મ ''પદ્માવત'' ને લઈને કરણીસેના દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. દેશલપર-નખત્રાણા હાઇવે પર કરણીસેના તેમજ હોદેદારોએ ફિલ્મ રીલીઝ ન થાય તે માટે ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો.
અને સમગ્ર હાઇવે પર ચક્કાજામ કર્યો હતો, તો બીજી બાજુ ભચાઉ-રામદેવપીર હાઇવે પર પણ કરણીસેનાએ વિરોધ દર્શાવીને એવા સંકેતો આપી દીધા હતા કે રાજપૂત સમાજ કોઇપણ સંજોગોમાં ઈતિહાસ સાથે ચેડા નહી જ ચલાવી લે. તેમજ આગેવાનોએ એવી પણ ચીમકી આપી હતી કે કચ્છમાં ક્યાંય પણ ફીલ્મને રીલીઝ થવા દેવામાં નહી આવે. અને સરકાર આ તરફ ઘટતું નહી કરે તો કરણી સેના ઘટતું કરવામાં પાછી પાની નહી કરે.
કિશાન હોટેલ ભચાઉથી સામખીયાળી ટોલગેટ સુધી ભારે ટ્રાફિક જામની સ્થિતિ જોવા મળી હતી અને રાજપૂત સમાજના આગેવાન તેમજ કરણીસેના કચ્છના હોદેદારોએ આકરા શબ્દોમાં સરકારને ચીમકી આપી હતી કે જો ફિલ્મ રીલીઝ થશે તો પરિણામ ભોગવવા તૈયાર રહેજો. અને આટલા વિરોધ બાદ પણ સરકારની આંખો નહી ઉઘડે તો આગામી ૨૫ મી જાન્યુઆરીએ ભારત બંધનું એલાન પણ કરવામાં આવશે.
કરણીસેનાના હોદેદારોએ ફિલ્મને લઈને રોષ વ્યક્ત કર્યો હતો. કરણીસેના કચ્છ દ્વારા વિરોધ કરીને ફિલ્મ ''પદ્માવત'' ની રીલીઝ રોકવા દેખાવો કરાયા હતા.
કરણીસેનાના હોદેદારોએ ફિલ્મને લઈને રોષ વ્યક્ત કર્યો હતો. કરણીસેના કચ્છ દ્વારા વિરોધ કરીને ફિલ્મ ''પદ્માવત'' ની રીલીઝ રોકવા દેખાવો કરાયા હતા.
- મા આશાપુરા ન્યુઝ ,
ભુજ કચ્છ , ભારત.
94287 48643 વોટ્સએપ ,
97252 06123 - 37,
72260 06124 - 33,
Youtube : maa news live,
Android app : maa news.
Blog : maanewslive. blogspot. com
Enter your comment...જય રાજપુતાના 🙏🙏
ReplyDelete